નશામુક્તિ અને યુવાનોમાં વધી રહેલા તણાવના સંદર્ભમાં બંને મહાનુભાવોએ કરેલી ચર્ચા-વિચારણાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ, તા.14 : વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક પદ્મવિભૂષણ શ્રી શ્રી રવિશંકરજીએ આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની તેમના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રી સાથે નશામુક્તિ અને યુવા પેઢી તણાવમુક્ત રહે તે માટે યોગ અને સુદર્શન ક્રિયાના સંદર્ભમાં ચર્ચા-વિચારણાં કરી હતી.