March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લા દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સ્‍કૂલમાં મંદબુદ્ધિ તેમજ બહેરા-મૂંગા બાળકોની સાથે બેસીને ફળ ખવડાવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજરોજ તા.16 માર્ચે આપણા સૌના માર્ગદર્શક ને કર્તવ્‍યનિષ્ઠ ભાજપ ગુજરાત પ્રદેશનાં અધ્‍યક્ષ તથા સાંસદશ્રી નવસારીના શ્રી સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લા દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ, દેગામ, તા.વાપી સંચાલિત સ્‍કૂલમાં મંદબુદ્ધિ તેમજ બહેરા-મૂંગા બાળકોની સાથે બેસીને ફળ ખવડાવ્‍યા હતા. બહુજ આનંદ અને સંતોષ પ્રભુનાં પ્‍યારાં બાળકો સાથે થયો હતો.
આર્થિક સેલ જિલ્લા સંયોજક મહેશભાઈ ભટ્ટ, નોટીફાઈડ મહામંત્રી સુધીરભાઈ સાવલિયા, દીપકભાઈ પટેલ વિગેરેએ પ્રાસંગિક ઉદબોધનમાં દરેક વક્‍તાઓએ પાટીલને જન્‍મ દિવસની શુભેચ્‍છા સહ શ્રી પાટીલનું સ્‍વાસ્‍થ્‍ય તંદુરસ્‍ત રહે, ્‌તેઓનું માર્ગદર્શન કાર્યકરોને હંમેશાં મળતુ રહે, અને ઉત્તરોતર સર્વાંગી રાજકીય, સામાજિક પ્રગતિ કરતા રહે સાથે સાથે પરમ કૃપાળુ પરમાત્‍માની અસીમ કળપા તેઓ પર વર્ષે તેવી ભાવના વ્‍યક્‍ત કરેલહતી.
કાર્યકમમાં સામેલ ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લાનાં સંયોજક મહેશ ભટ્ટ, ડુંગરાનાં પૂર્વ સરપંચ અને પૂર્વ વાપી ન.પા. સભ્‍ય નરેશભાઈ ઉર્ફે (કારાભાઈ) હળપતિ, વાપી શહેર આર્થિક સેલનાં સંયોજક હરીશ પટેલ(હરીશ આર્ટસ), ભાજપ નોટીફાઈડનાં મહામંત્રી સુધીરભાઈ સાવલિયા, ભાજપ વાપી શહેર મહિલા મોરચાનાં મંત્રી નીતાબેન ટીલાલા, ચણોદ ગામ પંચાયતનાં સભ્‍ય વનરાજભાઈ ગૌદાની, ડુંગરાનાં સામાજિક અગ્રણી દીપકભાઈ પટેલ, પાયોનીયર બેકરીનાં માલિક દાનીસ સિદ્દીકી, ડ્રીમ ટ્રાન્‍સપોર્ટનાં રામનીવાસજી, ડુંગરી ફળિયાનાં દેવનાથભાઈ, મહિલા કાર્યકરો વિમલબેન પરમાર, રક્ષાબેન રાઠોડ, વિગેરે ઉપસ્‍થિત તમામને કાર્ય સંતોષ થયેલ.
સંસ્‍થાનાં સંચાલકોમાંથી અમરતભાઈ સોની, પ્‍યારેલાલ શર્માજી ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

ભિલાડ ખાતે કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક

vartmanpravah

વલસાડ જિલ્લાના જાણીતા ર1 સેન્‍ચુરી હોસ્‍પિટલના ડાયરેક્‍ટર પૂર્ણિમા નાડકર્ણીનું દુઃખદ અવસાન

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની આંગણવાડીમાં ‘પોષણ પખવાડા’ અંતર્ગત યોજાયેલી પૌષ્‍ટિક વાનગી સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment