(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર નિવૃત શિક્ષક જયસિંહભાઈ ડાહ્યાભાઈ પરમાર (રહે.કુકેરી દૂધ ડેરીની બાજુમાં તા.ચીખલી) ગતરોજ તેમની મોપેડ નં.જીજે-21-બીકે-8388 પર સુરખાઈ અનાવલ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન પ્રાથમિક શાળા પાસે અજાણ્યા વાહન ચાલકે અડફતે લેતા માથાના પગના ભાગે ગંભીર ઈજા થતા 108 દ્વારાસારવાર અર્થે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગેની ફરિયાદ મયંકસિંહ મગનસિંહ પરમાર (રહે.કુકેરી દૂધ ડેરીની બાજુમાં તા.ચીખલી) એ કરતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.