March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

કમોસમી વરસાદ તથા સાફ-સફાઈના અભાવે સેલવાસમાં વધી રહેલો મચ્‍છરોનો ઉપદ્રવઃ તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવો જરૂરી

મચ્‍છરોના ઉપદ્રવના કારણે ડેંગ્‍યુ, મલેરિયા, ટાઈફોઈડની જેવી બિમારીઓમાં થઈ રહેલો વધારોઃ હોસ્‍પિટલ, ક્‍લિનિકોમાં દર્દીઓની લાગી રહેલી લાઈન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીમાં બદલાતી વાતાવરણના કારણે સાંજ થતાં જ મચ્‍છરોનો ઉપદ્રવ શઈ થઈ જાય છે. લાગતા-વળગતા તંત્ર દ્વારા સમય સમયે દવાઓનો છંટકાવ નહીં થતો હોવાને કારણે આ રીતની સમસ્‍યાનો સામનો જનતાએ કરવો પડે છે. દાનહ ઔદ્યોગિક પ્રદેશ હોવાને કારણે મોટી સંખ્‍યામા પરપ્રાંતીય કામદારો, મજૂરો રોજીરોટી માટે આવીને વસ્‍યા છે. જેના કારણે અહીં કાચા મકાનો અને ચાલીઓની સંખ્‍યા પણ મોટી સંખ્‍યામાં છે. જેનીમકાન માલિક અને ચાલ માલિકો દ્વારા પણ સાફ સફાઈ પર ધ્‍યાન નહિ આપવાને કારણે પણ મચ્‍છરોની ઉત્‍પત્તિ વધી રહી છે. મકાન અને ચાલીઓમાંથી નીકળતુ ગંદુ પાણીને ખુલ્લુ મુકી દેવાને કારણે પણ મચ્‍છરોમાં વધારો થઈ રહ્યો છે.
સ્‍થાનિકોના જણાવ્‍યા અનુસાર દાનહ પ્રશાસન દ્વારા આવા લાપરવાહ મકાન અને ચાલ માલિકોને સાફ સફાઈ બાબતે ધ્‍યાન આપવા તાકીદ કરવી જોઈએ અને આરોગ્‍ય વિભાગે પણ કડકાઈથી દિશા-નિર્દેશ જારી કરી સમય સમયે મચ્‍છરજનિત દવાઓનો છંટકાવ નિયમિત રૂપે કરવો જોઈએ અને નગરપાલિકા દ્વારા ફોગિંગ પણ નિયમિત ચાલુ રાખવું જોઈએ.
સેલવાસ શહેર દેશની સ્‍માર્ટસીટીની સૂચીમાં સામેલ છે, પરંતુ હકીકતમાં હાલમાં પણ સેલવાસ શહેર સ્‍માર્ટ સીટી બનવાથી કોસો દૂર છે. જેમાં ગટરોની લાઈન ગંદકીથી જામ છે, લગભગ 6 ફૂટની ગટરમાં ત્રણ ફૂટ ઊંડાઈ સુધી ગંદકી જામેલી છે જેના ઉપરથી ગંદુ પાણી વહેતુ જોવા મળે છે અને સફાઈ નહીં થવાને કારણે મચ્‍છરોનો ઉપદ્રવ શહેરમાં વધી રહ્યો છે. શહેરની ગટરો સીવરેજ લાઈનની પાસે થોડો સમય ઉભા રહો તો એવું નથી લાગતુ કે સ્‍માર્ટ સીટીમાં ઉભા છીએ. ગટરોની દુર્ગંધના કારણે વ્‍યક્‍તિ બિમાર પડી રહ્યા છે. શહેરમાં કેટલીક જગ્‍યા પર ગટરોની હાલત દયનીય થઈ ચુકી છે, ક્‍યાંક ઢાંકણો નથી તો કેટલીક જગ્‍યા પર ડિવાઈડરતૂટી ગયા બાદ ખુલી ગટર જોવા મળી રહી છે. તૂટેલી-ફૂટલી ગટરોના કારણે રખડતા ઢોર, નાના બાળકો પડી જવાની સંભાવના છે. જેથી સેલવાસ નગરપાલિકા અને સ્‍માર્ટસીટી લિ. અધિકારીઓ દ્વારા આ તરફ ધ્‍યાન આપવું જરૂરી છે.
બીજી તરફ વારંવાર કમોસમી વરસાદ પડવાને કારણે તાવ, શરદી, ખાંસીના કેસો સાથે વાયરલ ફીવરના કેસો પણ વધી રહ્યા છે. સરકારી તથા ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. આરોગ્‍ય વિભાગ દ્વારા સાવચેતીના તમામ પગલાંઓ ભરવામાં આવે એવી માંગ છે.

Related posts

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે ચૂંટાતા પોતાના રાજકીય ગુરૂ સ્‍વ.ડાહ્યાભાઈ પટેલનાઅલૌકિક આશીર્વાદ લેતા નવિનભાઈ પટેલ

vartmanpravah

કોલક ડુંગરીવાળી ખાતે ડમ્‍પરમાં પાછળથી બાઈક ઘૂસી જતા અકસ્‍માતઃ પિતા તથા સાત વર્ષના બાળકનું કરૂણ મોત

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં હંગામા વીકની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

પરીયાની 21 વર્ષીય યુવતી ગુમ

vartmanpravah

નીતિ આયોગના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિલ્લા પ્રશાસન આરોગ્‍ય, પોષણ, શિક્ષણ, કૃષિ સેવાઓ, માળખાગત સુવિધા, સામાજિક વિકાસના કી પર્ફોર્મન્‍સ ઈન્‍ડીકેટર ઉપર નજર રાખશે

vartmanpravah

Leave a Comment