October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

કમોસમી વરસાદ તથા સાફ-સફાઈના અભાવે સેલવાસમાં વધી રહેલો મચ્‍છરોનો ઉપદ્રવઃ તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરવો જરૂરી

મચ્‍છરોના ઉપદ્રવના કારણે ડેંગ્‍યુ, મલેરિયા, ટાઈફોઈડની જેવી બિમારીઓમાં થઈ રહેલો વધારોઃ હોસ્‍પિટલ, ક્‍લિનિકોમાં દર્દીઓની લાગી રહેલી લાઈન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીમાં બદલાતી વાતાવરણના કારણે સાંજ થતાં જ મચ્‍છરોનો ઉપદ્રવ શઈ થઈ જાય છે. લાગતા-વળગતા તંત્ર દ્વારા સમય સમયે દવાઓનો છંટકાવ નહીં થતો હોવાને કારણે આ રીતની સમસ્‍યાનો સામનો જનતાએ કરવો પડે છે. દાનહ ઔદ્યોગિક પ્રદેશ હોવાને કારણે મોટી સંખ્‍યામા પરપ્રાંતીય કામદારો, મજૂરો રોજીરોટી માટે આવીને વસ્‍યા છે. જેના કારણે અહીં કાચા મકાનો અને ચાલીઓની સંખ્‍યા પણ મોટી સંખ્‍યામાં છે. જેનીમકાન માલિક અને ચાલ માલિકો દ્વારા પણ સાફ સફાઈ પર ધ્‍યાન નહિ આપવાને કારણે પણ મચ્‍છરોની ઉત્‍પત્તિ વધી રહી છે. મકાન અને ચાલીઓમાંથી નીકળતુ ગંદુ પાણીને ખુલ્લુ મુકી દેવાને કારણે પણ મચ્‍છરોમાં વધારો થઈ રહ્યો છે.
સ્‍થાનિકોના જણાવ્‍યા અનુસાર દાનહ પ્રશાસન દ્વારા આવા લાપરવાહ મકાન અને ચાલ માલિકોને સાફ સફાઈ બાબતે ધ્‍યાન આપવા તાકીદ કરવી જોઈએ અને આરોગ્‍ય વિભાગે પણ કડકાઈથી દિશા-નિર્દેશ જારી કરી સમય સમયે મચ્‍છરજનિત દવાઓનો છંટકાવ નિયમિત રૂપે કરવો જોઈએ અને નગરપાલિકા દ્વારા ફોગિંગ પણ નિયમિત ચાલુ રાખવું જોઈએ.
સેલવાસ શહેર દેશની સ્‍માર્ટસીટીની સૂચીમાં સામેલ છે, પરંતુ હકીકતમાં હાલમાં પણ સેલવાસ શહેર સ્‍માર્ટ સીટી બનવાથી કોસો દૂર છે. જેમાં ગટરોની લાઈન ગંદકીથી જામ છે, લગભગ 6 ફૂટની ગટરમાં ત્રણ ફૂટ ઊંડાઈ સુધી ગંદકી જામેલી છે જેના ઉપરથી ગંદુ પાણી વહેતુ જોવા મળે છે અને સફાઈ નહીં થવાને કારણે મચ્‍છરોનો ઉપદ્રવ શહેરમાં વધી રહ્યો છે. શહેરની ગટરો સીવરેજ લાઈનની પાસે થોડો સમય ઉભા રહો તો એવું નથી લાગતુ કે સ્‍માર્ટ સીટીમાં ઉભા છીએ. ગટરોની દુર્ગંધના કારણે વ્‍યક્‍તિ બિમાર પડી રહ્યા છે. શહેરમાં કેટલીક જગ્‍યા પર ગટરોની હાલત દયનીય થઈ ચુકી છે, ક્‍યાંક ઢાંકણો નથી તો કેટલીક જગ્‍યા પર ડિવાઈડરતૂટી ગયા બાદ ખુલી ગટર જોવા મળી રહી છે. તૂટેલી-ફૂટલી ગટરોના કારણે રખડતા ઢોર, નાના બાળકો પડી જવાની સંભાવના છે. જેથી સેલવાસ નગરપાલિકા અને સ્‍માર્ટસીટી લિ. અધિકારીઓ દ્વારા આ તરફ ધ્‍યાન આપવું જરૂરી છે.
બીજી તરફ વારંવાર કમોસમી વરસાદ પડવાને કારણે તાવ, શરદી, ખાંસીના કેસો સાથે વાયરલ ફીવરના કેસો પણ વધી રહ્યા છે. સરકારી તથા ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. આરોગ્‍ય વિભાગ દ્વારા સાવચેતીના તમામ પગલાંઓ ભરવામાં આવે એવી માંગ છે.

Related posts

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત સેલવાસના કલા કેન્‍દ્રમાં જિલ્લા સ્‍તરીય રંગોત્‍સવ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ભડકમોરાથી દેશી તમંચા સાથે એસ.ઓ.જી.એ એકને ઝડપી પાડયો

vartmanpravah

પારડીની નામાંકિત સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો 17 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

આજે રક્ષાબંધન પવિત્ર પર્વે નિમિત્તે વાપીપાલિકાની ભેટ : બહેનો અને બાળકો માટે સીટી બસમાં નિઃશુલ્‍ક સફર

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

Leave a Comment