February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના સુંદરવન સોસાયટી ખાતે ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાન અને શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથા દરમિયાન દરરોજ મહાલક્ષ્મી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આવતી કાલ તા.22માર્ચથી કથાકાર શ્રી દેવુભાઈ જોષી (ખેરગામવાળા) અને શ્રી દર્શનભાઈ દેવુભાઈ જોષીની મધુરવાણીમાં પી.આર. પાર્ટી પ્‍લોટ ગાર્ડનની બાજુમાં સુંદરવન સોસાયટી, પાતળીયા ફળિયા સેલવાસના આયોજકો દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથાનો સમય બપોરે 3:30થી 6:30 અને મહાલક્ષ્મી યજ્ઞનો સમય દરરોજ સવારે 8:30થી 11:30 વાગ્‍યાનો રહેનાર હોવાનું આયોજકોની યાદીમાં જણાવાયું છે. કથા વિરામ 30માર્ચ, 2023ના રોજ કરવામાં આવશે. પવિત્ર યજ્ઞનો લાભ લેવા સંચાલકોનો સંપર્ક કરવા જણાવાયુ છે.
આ શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો લાભલેવા માટે આયોજકો દ્વારા ભાવિકભક્‍તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

ખેરગામ વિસ્‍તારમાં ધમધોકાર ચાલી રહેલા દારૂ-જુગારના અડ્ડાઓ ઉપર નવસારી એલસીબીની ટીમે મારેલો છાપો

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે થાલા પાસે સર્વિસ રોડ ઉપર રાત્રીના સમયે જ્‍વલંત કેમિકલ ભરેલ ટેન્‍કર ગટરમાં ઉતરી જતા નાસભાગ મચી

vartmanpravah

વાપીમાં બુધવારે મળસ્‍કે 5.5 ઈંચ વરસાદ ખાબકતા શહેર પાણીમાં તરતુ થયું

vartmanpravah

વલસાડમાં એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે દારૂ ભરેલી કારનો પીછો કરતા ચાલક કારને ખનકીમાં ઉતારી ભાગી છૂટયો

vartmanpravah

વાપી જકાતનાકા નજીક બલીઠા સર્વિસ રોડ ઉપર બે કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો

vartmanpravah

કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિને સન્‍માન કરી પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment