April 24, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના સુંદરવન સોસાયટી ખાતે ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાન અને શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથા દરમિયાન દરરોજ મહાલક્ષ્મી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આવતી કાલ તા.22માર્ચથી કથાકાર શ્રી દેવુભાઈ જોષી (ખેરગામવાળા) અને શ્રી દર્શનભાઈ દેવુભાઈ જોષીની મધુરવાણીમાં પી.આર. પાર્ટી પ્‍લોટ ગાર્ડનની બાજુમાં સુંદરવન સોસાયટી, પાતળીયા ફળિયા સેલવાસના આયોજકો દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથાનો સમય બપોરે 3:30થી 6:30 અને મહાલક્ષ્મી યજ્ઞનો સમય દરરોજ સવારે 8:30થી 11:30 વાગ્‍યાનો રહેનાર હોવાનું આયોજકોની યાદીમાં જણાવાયું છે. કથા વિરામ 30માર્ચ, 2023ના રોજ કરવામાં આવશે. પવિત્ર યજ્ઞનો લાભ લેવા સંચાલકોનો સંપર્ક કરવા જણાવાયુ છે.
આ શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો લાભલેવા માટે આયોજકો દ્વારા ભાવિકભક્‍તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

સરીગામ પંચાયત કચેરી અને બાલાજી મંદિરના પટાંગણમાં 75 માં સ્‍વતંત્ર દિનની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

રાંધામાં વારલી સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ‘વારલી કિંગ બીજોરીપાડા’ ચેમ્‍પિયન

vartmanpravah

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

દમણ ભાજપ દ્વારા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા ખેલ મહોત્‍સવનો આન બાન અને શાનથી આરંભ : જિલ્લા કલેક્‍ટર તપસ્‍યા રાઘવે કરાવેલો જયઘોષ

vartmanpravah

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

vartmanpravah

Leave a Comment