October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના સુંદરવન સોસાયટી ખાતે ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાન અને શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથા દરમિયાન દરરોજ મહાલક્ષ્મી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આવતી કાલ તા.22માર્ચથી કથાકાર શ્રી દેવુભાઈ જોષી (ખેરગામવાળા) અને શ્રી દર્શનભાઈ દેવુભાઈ જોષીની મધુરવાણીમાં પી.આર. પાર્ટી પ્‍લોટ ગાર્ડનની બાજુમાં સુંદરવન સોસાયટી, પાતળીયા ફળિયા સેલવાસના આયોજકો દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથાનો સમય બપોરે 3:30થી 6:30 અને મહાલક્ષ્મી યજ્ઞનો સમય દરરોજ સવારે 8:30થી 11:30 વાગ્‍યાનો રહેનાર હોવાનું આયોજકોની યાદીમાં જણાવાયું છે. કથા વિરામ 30માર્ચ, 2023ના રોજ કરવામાં આવશે. પવિત્ર યજ્ઞનો લાભ લેવા સંચાલકોનો સંપર્ક કરવા જણાવાયુ છે.
આ શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનો લાભલેવા માટે આયોજકો દ્વારા ભાવિકભક્‍તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

સરીગામ ગ્રા.પં. દ્વારા રૂા.11.5 લાખના ખર્ચે નિર્માણ થનાર વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

સલવાવની બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રિપ્‍લેસમેન્‍ટ અને કેરિયર કાઉન્‍સેલિંગ માટે ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

આજે વલસાડ 20 રાઉન્‍ડ, કપરાડા 22 રાઉન્‍ડ, ધરમપુર 21 રાઉન્‍ડ, પારડી 18 રાઉન્‍ડ, ઉમરગામ 20 રાઉન્‍ડમાં મતગણતરી પૂર્ણ થશે

vartmanpravah

દાભેલના ઘેલવાડ ફળિયાની એક દુકાનમાંથી દમણ એક્‍સાઈઝ વિભાગે જપ્ત કરેલો દારૂ

vartmanpravah

સમસ્‍ત ઉતર ભારતીય સેવા સમિતિ દ્વારા પારડી રોકડિયા હનુમાન મંદિરે ખાતે સતત 17માં વરસે અખંડ રામાયણ પાઠનું થયું આયોજન

vartmanpravah

Leave a Comment