January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાનહ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

આરોપીઓ પાસેથી ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલી પોલીસ વિભાગના ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ દ્વારા સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ચાર જેટલા ચોરીના કેસોમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓએ લેન્‍ડમાર્ક ટોકરખાડા નજીકથી એક પલ્‍સર બાઈક, સાયલી મેઢાપાડાથી પણ એક પલ્‍સર બાઈકની ચોરી કરી હતી અને રાત્રિ દરમ્‍યાન ઘરફોડ ચોરી પણ કરી હોવાની અને ગલોન્‍ડા પારસીપાડામાં ફાર્મ હાઉસમાં ચોરી કર્યા બાદ આગ પણ લગાવી દીધી હોવાની ઘટના બનવા પામી હતી. આચોરીની ઘટનાઓની તપાસ ક્રાઇમ બ્રાન્‍ચના પી.આઇ. શ્રી હરિશસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્‍યાન ચોરી કરનાર આરોપીઓમાં (1)દિપક માલવી વળવી (રહેવાસી જનાથીયાપાડા ગલોન્‍ડા), (2)જીગ્નેશ મુકેશ સલ્‍કર (રહેવાસી ગલોન્‍ડા), (3)વિપુલ નગીન વરઠા (રહેવાસી ગલોન્‍ડા) આ ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્‍યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલની અંદાજીત કિંમત ચાર લાખ જેટલી હોવાનું જણાવાયું છે. સેલવાસ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા અન્‍ય કોઈ ગુનામાં સામેલ તો નથી તે અંગેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Related posts

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તામંડળ સચિવ એસ.એમ.ભોંસલેના માર્ગદર્શનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાનના સહયોગથી સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે અંગ્રેજી ભાષા ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા મોડયુલની તાલીમ સંપન્ન

vartmanpravah

તેજલાવ ગામે વંકાલ હાઈસ્‍કૂલના 2002 ના બેચ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ડો.સુજીત પટેલની ટીમ ચેમ્‍પિયન બનીઃ જ્‍યારે ડો.નીરજ મહેતાની ટીમ રનર્સઅપ રહી હતી

vartmanpravah

ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યુ

vartmanpravah

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય શાળાને ઓમ સાંઈ સેવા ટ્રસ્‍ટ દ્વારા 3 કોમ્‍યુટર અપાયા

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ બલસાર દ્વારા 300 જેટલાપૂરગ્રસ્‍ત પરિવારને અનાજની કીટ અને ધાબળાનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment