October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરેઃ ટૂંક સમયમાં લોકાર્પણની ચાલતી તૈયારીઓ

તીઘરા, સારણ, ઉદવાડા સહિત દમણના વાહન ચાલકોને બંધ ફાટકમાંથી મળશે મુક્‍તિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ જિલ્લામાં હાલમાં અનેક રેલવે ફલાય ઓવરની પુરઝડપે કામગીરી ચાલી રહી છે તે પૈકીનો બગવાડા રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી ચૂકી છે. તેથી ટૂંક સમયમાં જ અતિ ઉપયોગી આ આર.ઓ.બી.નું લોકાર્પણ થનાર છે.
વલસાડ જિલ્લામાં વાપી, બલીઠા, બગવાડા, મોતીવાડા અને વલસાડમાં આર.ઓ.બી.ની કામગીરી ફુલ ઝડપથી હાલમાં ચાલી રહી છે. આ તમામ બ્રિજ પૈકીનો બગવાડા રેલવે ફલાય ઓવર પૂર્ણતાને આરે પહોંચી ચૂક્‍યો છે. જેનું અંતિમ ચરણની કામગીરી કે ઓથ અપાઈ રહ્યો છે. અમદાવાદની અવધૂત એજન્‍સી દ્વારા નિર્માણ કરાયેલ પુલ ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે તેવું એજન્‍સીના ઈજનેર મૌલિકે જણાવ્‍યું છે. આ પુલ અતિ લોકોપયોગી એટલા માટે છે કે તીઘરા, સારણ, ઉદવાડા સહિત સંઘપ્રદેશ દમણના વાહન ચાલકોને ટ્રાફિક સમસ્‍યાથી છૂટકારો મળશે. એટલા માટે કે વારંવાર બંધ થઈજતું રેલવે ફાટકની પરેશાની વાહન ચાલકો વેઠી રહ્યા હતા પરંતુ 60 કરોડને ખર્ચે બગવાડા આર.ઓ.બી. તૈયાર થઈ ચૂક્‍યો છે તેથી વાહન ચાલકો માટે મોટી આશા જાગી ઉઠી છે.

Related posts

સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા દાનહના ખાનવેલ ચૌડા ગ્રાઉન્‍ડને આધુનિકરણ માટે કલેક્‍ટરને આવેદન પત્ર આપ્‍યું

vartmanpravah

શિવ શિવા રેસીડેન્‍સી છરવાડા રામવાડી ખાતે આઠમના દિને માતાજીનો યજ્ઞ કરાયો

vartmanpravah

જિલ્લા શાળાકીય એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધામાં નાની વહીયાળ સ્‍કૂલના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

દાનહના સુરંગીમાં જૂના ટાયરોનું રિસાયકલીંગ કરતી ઓઈસ્‍ટર કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

સેલવાસમાં ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી કેસના આરોપીના જિલ્લા કોર્ટે ત્રણ દિવસના મંજૂર કરેલા રિમાન્‍ડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment