April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરેઃ ટૂંક સમયમાં લોકાર્પણની ચાલતી તૈયારીઓ

તીઘરા, સારણ, ઉદવાડા સહિત દમણના વાહન ચાલકોને બંધ ફાટકમાંથી મળશે મુક્‍તિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ જિલ્લામાં હાલમાં અનેક રેલવે ફલાય ઓવરની પુરઝડપે કામગીરી ચાલી રહી છે તે પૈકીનો બગવાડા રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી ચૂકી છે. તેથી ટૂંક સમયમાં જ અતિ ઉપયોગી આ આર.ઓ.બી.નું લોકાર્પણ થનાર છે.
વલસાડ જિલ્લામાં વાપી, બલીઠા, બગવાડા, મોતીવાડા અને વલસાડમાં આર.ઓ.બી.ની કામગીરી ફુલ ઝડપથી હાલમાં ચાલી રહી છે. આ તમામ બ્રિજ પૈકીનો બગવાડા રેલવે ફલાય ઓવર પૂર્ણતાને આરે પહોંચી ચૂક્‍યો છે. જેનું અંતિમ ચરણની કામગીરી કે ઓથ અપાઈ રહ્યો છે. અમદાવાદની અવધૂત એજન્‍સી દ્વારા નિર્માણ કરાયેલ પુલ ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે તેવું એજન્‍સીના ઈજનેર મૌલિકે જણાવ્‍યું છે. આ પુલ અતિ લોકોપયોગી એટલા માટે છે કે તીઘરા, સારણ, ઉદવાડા સહિત સંઘપ્રદેશ દમણના વાહન ચાલકોને ટ્રાફિક સમસ્‍યાથી છૂટકારો મળશે. એટલા માટે કે વારંવાર બંધ થઈજતું રેલવે ફાટકની પરેશાની વાહન ચાલકો વેઠી રહ્યા હતા પરંતુ 60 કરોડને ખર્ચે બગવાડા આર.ઓ.બી. તૈયાર થઈ ચૂક્‍યો છે તેથી વાહન ચાલકો માટે મોટી આશા જાગી ઉઠી છે.

Related posts

મુંબઈ થી દિલ્‍હી જવા નીકળેલ મિત્રોની કાર ગુંદલાવ હાઈવે પર ટ્રકમાં ઘુસી જતા અકસ્‍માત સર્જાયો : 3 ઘાયલ

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસે અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોના માનસિક સામાજિક અને આર્થિક પુનર્વસન માટે સરકાર દ્વારા વિશેષ સહાયક યોજનાલાગુ કરવા પ્રગટ કરેલો મત

vartmanpravah

ચીખલી નજીકના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિરનો 24મો પાટોત્‍સવ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના સથવારે ઉજવાયો

vartmanpravah

મરવડ ગ્રામ પંચાયતના માહ્યાવંશી ફળિયામાં સવારની ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

દમણ ન.પા.માં પ્રશાસકશ્રીના સલાહકાર ગૌરવ સિંહ રાજાવતનો સપાટોઃ સ્‍વચ્‍છતા પ્રત્‍યે ઉદાસિનતા રાખતા પાંચ કર્મીઓ સસ્‍પેન્‍ડ

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે પારડી નગરપાલિકા વિસ્‍તારમાં રૂા.૪૩૧.૯૪ લાખના ખર્ચે ચાર વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

Leave a Comment