February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બગવાડા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરેઃ ટૂંક સમયમાં લોકાર્પણની ચાલતી તૈયારીઓ

તીઘરા, સારણ, ઉદવાડા સહિત દમણના વાહન ચાલકોને બંધ ફાટકમાંથી મળશે મુક્‍તિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વલસાડ જિલ્લામાં હાલમાં અનેક રેલવે ફલાય ઓવરની પુરઝડપે કામગીરી ચાલી રહી છે તે પૈકીનો બગવાડા રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી ચૂકી છે. તેથી ટૂંક સમયમાં જ અતિ ઉપયોગી આ આર.ઓ.બી.નું લોકાર્પણ થનાર છે.
વલસાડ જિલ્લામાં વાપી, બલીઠા, બગવાડા, મોતીવાડા અને વલસાડમાં આર.ઓ.બી.ની કામગીરી ફુલ ઝડપથી હાલમાં ચાલી રહી છે. આ તમામ બ્રિજ પૈકીનો બગવાડા રેલવે ફલાય ઓવર પૂર્ણતાને આરે પહોંચી ચૂક્‍યો છે. જેનું અંતિમ ચરણની કામગીરી કે ઓથ અપાઈ રહ્યો છે. અમદાવાદની અવધૂત એજન્‍સી દ્વારા નિર્માણ કરાયેલ પુલ ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે તેવું એજન્‍સીના ઈજનેર મૌલિકે જણાવ્‍યું છે. આ પુલ અતિ લોકોપયોગી એટલા માટે છે કે તીઘરા, સારણ, ઉદવાડા સહિત સંઘપ્રદેશ દમણના વાહન ચાલકોને ટ્રાફિક સમસ્‍યાથી છૂટકારો મળશે. એટલા માટે કે વારંવાર બંધ થઈજતું રેલવે ફાટકની પરેશાની વાહન ચાલકો વેઠી રહ્યા હતા પરંતુ 60 કરોડને ખર્ચે બગવાડા આર.ઓ.બી. તૈયાર થઈ ચૂક્‍યો છે તેથી વાહન ચાલકો માટે મોટી આશા જાગી ઉઠી છે.

Related posts

વલસાડમાં ડેંગ્‍યુની બિમારીથી યુવતિએ જીવ ગુમાવ્‍યો

vartmanpravah

પ્રાકૃતિક ખેતી કરનાર વલસાડ જિલ્લાના 3 ખેડૂતોનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

આજે પોસ્‍ટ વિભાગના ગુજરાત સર્કલ દ્વારા સેલવાસની ડોકમર્ડી સરકારી કોલેજ ખાતે જન કલ્‍યાણકારી યોજના પ્રોત્‍સાહન કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ખેરના લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપાયો : બેની અટકાયત કરાઈ

vartmanpravah

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

vartmanpravah

વલસાડ જિલ્લાના તલાટીઓની નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે યોજાયેલ મીટિંગ સફળ રહી : હડતાલ સમેટાઈ

vartmanpravah

Leave a Comment