July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

તેજલાવ ગામે વંકાલ હાઈસ્‍કૂલના 2002 ના બેચ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ડો.સુજીત પટેલની ટીમ ચેમ્‍પિયન બનીઃ જ્‍યારે ડો.નીરજ મહેતાની ટીમ રનર્સઅપ રહી હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.21
ચીખલી તાલુકાના તેજલાવ ગામે યુવા એકતા ગ્રાઉન્‍ડ પર વંકાલ હાઈસ્‍કૂલના-2002 ના વર્ષ પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મૈત્રી ભાવના,એકતા ખેલદિલીની ભાવના વધે તેવા હેતુથી ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવતા મુખ્‍ય આયોજક શ્રી નિલેશભાઈ વંકાલ મોખાના ભાવેશભાઈ સહિત યુવા ક્રિકેટરોની ઉપસ્‍થિતિમાં તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા રીતેશભાઈ પટેલના હસ્‍તે દીપ પ્રાગટય કરી દો.નૈનેશભાઈ તથા નિતેશભાઈ દ્વારા ટુર્નામેન્‍ટને ખુલ્લી મુકવામાં આવી હતી.
ઉપરોક્‍ત ટુર્નામેન્‍ટમાંકુલ છ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ફાઇનલ મેચમાં ડો.સુજીત પટેલ અને ડૉ.નીરજ મહેતાની ટીમ વચ્‍ચે ટક્કર જામી હતી.જેમાં રસાકસી વચ્‍ચે ડો.સુજીત પટેલની ટીમ ચેમ્‍પિયન થતા તેમને વંકાલ મોખાના ગ્રામ પંચાયત સભ્‍ય શ્રી દીપકભાઈ અને રનર્સઅપ ડો.નીરજ મહેતાને ઇમરાનભાઈ દ્વાદ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
ટૂર્નામેન્‍ટમાં મેન ઓફ ધ સિરીઝ દિવ્‍યેશભાઈ, બેસ્‍ટ બોલર કેયુર પટેલ, બેસ્‍ટ બેટ્‍સમેન વિવેક પટેલને જાહેર કરાયા હતા. ટૂર્નામેન્‍ટમાં વંકાલ હાઈસ્‍કૂલના વર્ષ 2002ના બેચના વિદ્યાર્થી મિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં વસંતપંચમી ઉત્‍સવ નિમિત્તે માઁ સરસ્‍વતીનું પૂજન તથા યજ્ઞ

vartmanpravah

ઉમરગામમાં એસીબીની લગાતાર બીજી સફળ ટ્રેપ

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દીવ રમત ગમત વિભાગ દ્વારા ત્રણ દિવસીય પ્રી-સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

સરપંચ શંકરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત કડૈયા ગ્રામ પંચાયતની મળેલી ગ્રામસભા

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

Leave a Comment