April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન શાહના નામની જાહેરાત થતા સન્‍માન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દમણ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન સોભાગચંદ શાહના નામની જાહેરાત થતા તા.13.02.2022ના સન્‍માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
શ્રી દમણ જેન સોશિયલ ગ્રુપના પ્રેસિડેન્‍ટ શ્રી હર્ષદ શાહ સાથે જૈન સમાજના વડીલો શ્રી કેસરીભાઈ હરખચંદભાઈ શાંતિભાઈ, શ્રી વસંતભાઈ અને પૂર્ણિમાબેન મંચ ઉપર ઉપસ્‍થિત રહ્યા હતા.
નાવ્‍યા પીનલભાઈ શાહે ખુબ જ સરસ નવકાર મંત્ર કરી પ્રોગ્રામની શરુઆત કરી. મંચ ઉપર ઉપસ્‍થિત મહેમાનોએ પ્રભાબેન શાહનો ટૂંકમાં અને સરળભાષામાં પરિચય આપી સ્‍વાગતપ્રવચન કર્યુ હતુ. સભ્‍યોમાંથી નિમિષા, અનીતા, વર્ષા શાહ સીમા જૈન, પ્રજ્ઞા શાહ અને ખુશનુમાબેન પોતાના વક્‍તવ્‍ય આપીને શુભેચ્‍છા પાઠવી હતી. 92 વર્ષીય પ્રભાબેન શાહ અમારા જેન સમાજનું ગૌરવ છે. મહેકભાઈ તથા પૂર્ણિમાબેને શ્રીફળ-મોમેન્‍ટો આપી સ્‍વાગત કર્યુ હતું. જૈન સોશિયલ ગ્રુપ વતી પીનલભાઈ, રાજેશભાઈ, પ્રકાશભાઈ તથા રાજેન્‍દ્ર જૈન મોમેન્‍ટો આપી બહુમાન કર્યુ હતું.
પદ્મશ્રી પ્રભાબેને પોતાના વક્‍તવ્‍યમાં જૈન ધર્મ પ્રત્‍યેની ઉંડી લાગણી ધર્મ પ્રત્‍યેનો રાગ, જ્ઞાન વિશે જણાવ્‍યું હતું કે 1963માં મહિલા મંડળની સ્‍થાપના કર્યા પછી જૈન સમાજની બહેનો ફાળો વિવિધ પદ, કારોબારી સમિતિમાં અને સભ્‍ય તરીકે રહીને યોગદાન આવ્‍યું હતું. એમના જૂના સંસ્‍મરણોને યાદ કર્યા હતા. જેમાં નયનબેન એસ.શાહ, સુમતિબેન એસ. શાહ, રસીલાબેન કે. શાહ, પદમાબેન કે.શાહ, સુમતિબેન એસ.શાહ, કોકિલાબેન પી. શાહ, તરુણાબેન કે.શાહ, વીરુબેન એન.શાહ, પ્રમીલાબેન ટી. શાહનું વિવિધ રીતે યોગદાન રહ્યું હતું અનેક વાતો યાદ કરી હતી.
અંતમાં દર્શિત શાહેનો આભાર માન્‍યો અને સમસ્‍ત જૈન પરિવાર સ્‍વામી વાત્‍સલ્‍યનો લાભ લઈ છૂટા પડયા હતા.

Related posts

વાપી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સ્‍થળ પર 1169 અરજીનો નિકાલ કરાયો

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા લોક કલ્‍યાણના અનેક કામોથી દાનહ લોકસભા બેઠક ઉપર ઝડપથી બદલાઈ રહેલા સમીકરણોઃ ભાજપ માટે એડવાન્‍ટેજનું વાતાવરણ

vartmanpravah

બે વર્ષ પહેલાં ગુમ થયેલા પરિયારીના વિનોદ રામજી વારલીનો પરિવાર સાથે મેળાપ થતાં સંવેદનશીલ બનેલું વાતાવરણ

vartmanpravah

કવાલ ગામે ગ્રામ પંચાયત તેમજ આંગણવાડીનું મકાન બનાવાશે

vartmanpravah

ચીખલીના કુકેરી અને સુરખાઈમાં આરોગ્‍ય વિભાગના સબ સેન્‍ટરોના જર્જરિત મકાનથી ખુદ તાલુકા આરોગ્‍ય અધિકારી જ અજાણ!

vartmanpravah

વલસાડના ઓલગામમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment