Vartman Pravah
Breaking Newsદમણદેશ

શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન શાહના નામની જાહેરાત થતા સન્‍માન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દમણ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન સોભાગચંદ શાહના નામની જાહેરાત થતા તા.13.02.2022ના સન્‍માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
શ્રી દમણ જેન સોશિયલ ગ્રુપના પ્રેસિડેન્‍ટ શ્રી હર્ષદ શાહ સાથે જૈન સમાજના વડીલો શ્રી કેસરીભાઈ હરખચંદભાઈ શાંતિભાઈ, શ્રી વસંતભાઈ અને પૂર્ણિમાબેન મંચ ઉપર ઉપસ્‍થિત રહ્યા હતા.
નાવ્‍યા પીનલભાઈ શાહે ખુબ જ સરસ નવકાર મંત્ર કરી પ્રોગ્રામની શરુઆત કરી. મંચ ઉપર ઉપસ્‍થિત મહેમાનોએ પ્રભાબેન શાહનો ટૂંકમાં અને સરળભાષામાં પરિચય આપી સ્‍વાગતપ્રવચન કર્યુ હતુ. સભ્‍યોમાંથી નિમિષા, અનીતા, વર્ષા શાહ સીમા જૈન, પ્રજ્ઞા શાહ અને ખુશનુમાબેન પોતાના વક્‍તવ્‍ય આપીને શુભેચ્‍છા પાઠવી હતી. 92 વર્ષીય પ્રભાબેન શાહ અમારા જેન સમાજનું ગૌરવ છે. મહેકભાઈ તથા પૂર્ણિમાબેને શ્રીફળ-મોમેન્‍ટો આપી સ્‍વાગત કર્યુ હતું. જૈન સોશિયલ ગ્રુપ વતી પીનલભાઈ, રાજેશભાઈ, પ્રકાશભાઈ તથા રાજેન્‍દ્ર જૈન મોમેન્‍ટો આપી બહુમાન કર્યુ હતું.
પદ્મશ્રી પ્રભાબેને પોતાના વક્‍તવ્‍યમાં જૈન ધર્મ પ્રત્‍યેની ઉંડી લાગણી ધર્મ પ્રત્‍યેનો રાગ, જ્ઞાન વિશે જણાવ્‍યું હતું કે 1963માં મહિલા મંડળની સ્‍થાપના કર્યા પછી જૈન સમાજની બહેનો ફાળો વિવિધ પદ, કારોબારી સમિતિમાં અને સભ્‍ય તરીકે રહીને યોગદાન આવ્‍યું હતું. એમના જૂના સંસ્‍મરણોને યાદ કર્યા હતા. જેમાં નયનબેન એસ.શાહ, સુમતિબેન એસ. શાહ, રસીલાબેન કે. શાહ, પદમાબેન કે.શાહ, સુમતિબેન એસ.શાહ, કોકિલાબેન પી. શાહ, તરુણાબેન કે.શાહ, વીરુબેન એન.શાહ, પ્રમીલાબેન ટી. શાહનું વિવિધ રીતે યોગદાન રહ્યું હતું અનેક વાતો યાદ કરી હતી.
અંતમાં દર્શિત શાહેનો આભાર માન્‍યો અને સમસ્‍ત જૈન પરિવાર સ્‍વામી વાત્‍સલ્‍યનો લાભ લઈ છૂટા પડયા હતા.

Related posts

નેશનલ ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ફેશન ટેક્‍નોલોજી (NIFT)દમણની પ્રથમ બેચે ફેશન મેનેજમેન્‍ટમાં માસ્‍ટર ડિગ્રી સફળતાપૂર્વક પૂર્ણ કરી: ‘બોટમ લાઇન-2024‘માં ફેશન સ્‍નાતકોનું કરાયેલું સન્‍માન

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર કલ્‍પનાતીત વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

મનિષ દેસાઈની જગ્‍યાએ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી બનતાં સુનિલ પાટીલ

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલ કુતરાઓના હવાલે : સુરક્ષાના અભાવે સ્‍થિતિ ઉભી થઈ છે : દર્દીઓ ભયભીત

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર અજાણ્‍યા વાહનની ટક્કર લાગતા પારડીના યુવાનની કાર ટોલ રેટ બોર્ડમાં ઘૂસી ગઈ

vartmanpravah

Leave a Comment