Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી ચલામાં આવેલા સ્‍વિમિંગ પૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક પુલ પાર્ટીનું થયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપી ચલા ખાતે બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ હોવાથી તનાવ મુક્‍ત થઈ વિદ્યાર્થીઓ એન્‍જોય કરી શકે એ માટે દરેકવિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક પુલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આશરે 250 જેટલા વિદ્યાર્થીઓએ પુલ પાર્ટીમાં ભાગ લઈ સ્‍વિમિંગ, અક્‍વા ઝુંબા, વિવિધ પ્રકારની એક્‍સરસાઈઝ, વિવિધ રમતો, ડી જે ડાંસની મોજ માણી હતી. સ્‍વિમિંગ પૂલ ખાતે આવેલા રૂફ ટોપ રેસ્‍ટોરન્‍ટ દ્વારા આઈપીએલ મેચનું પણ સ્‍ક્રિનિંગ કરવામાં આવ્‍યું હતું. સાથે સાથે પાણીપુરી અને પીઝાની પણ લેહજત માણી હતી. સ્‍પોર્ટ્‍સ ક્‍લબ વાપીના સંચાલક શ્રી હાર્દિક જોશી એ જણાવ્‍યું હતું કે સ્‍વિમિંગ દ્વારા વિદ્યાર્થીઓને ફિટનેસની સાથે સાથે સ્‍ટ્રેસ ફ્રી રહેવામાં મદદ મળે છે જેનાથી એમનું માનસિક અને શારીરિક સ્‍વાસ્‍થ્‍ય જળવાઈ રહે છે. આ ઉનાળામાં સ્‍વિમિંગ શીખવા માટે સ્‍પોર્ટ્‍સ ક્‍લબ દ્વારા આકર્ષક ઓફરો પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વાપી નગરપાલિકાના પૂર્ણ સહયોગથી કે આ વર્ષે વાપીના આઠ બાળકોનેશનલ લેવલ સ્‍પર્ધામાં જવા માટે તૈયારી કરી રહ્યા છે. ક્‍લબમાં સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાના ઉત્‍કળષ્ટ કોચ દ્વારા બાળકોને તૈયાર કરવામાં આવી રહ્યા છે. અહી દરેક ઉંમરના વ્‍યક્‍તિને સ્‍વિમિંગ શીખવવામાં આવે છે. સ્‍વિમિંગ કરવાથી વજન નિયંત્રણમાં રહે છે, તેમજ હૃદય, ડાયાબિટીસ જેવા રોગોને નિયંત્રણમાં રાખી શકાય છે.

Related posts

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

ઉમરગામ બાળકી દુષ્‍કર્મ ઘટના અંગે અફવાથી દૂર રહેવાની પોલીસની અપીલ

vartmanpravah

ખરડપાડાના યુવાનનું સારવાર દરમ્‍યાન મોતઃ રિપોર્ટમાં ગળુ દબાવી હત્‍યા કરાઈ હોવાનું સામે આવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગરૂકતા અભિયાનમાં ભારત સ્‍કાઉટ ગાઈડની સરાહનીય કામગીરી

vartmanpravah

પારડી હાઈવે વલ્લભ આશ્રમ સામે યુવાનનું બાઈક ગ્રીલ સાથે ભટકાતા ઘટના સ્‍થળે મોત 36 વર્ષિય નિતિનભાઈ ગજેરાએ બાઈકનો કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્‍નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવા

vartmanpravah

Leave a Comment