August 9, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આંબાપાકમાં ઘનિષ્ટ વાવેતર કે અતિ ઘનિષ્ટ વાવેતર કરી કેરી ઉત્‍પાદનમાં વધારો મેળવો

ઘનિષ્ટ વાવેતર માટે 75 હજાર અને અતિ ઘનિષ્ટ વાવેતર માટે 1 લાખની સહાય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: આંબાની ઘનિષ્ટ વાવેતર કે અતિ ઘનિષ્ટ વાવેતર કરી કેરી ઉત્‍પાદનમાં વધારો મેળવી શકાય છે. આ ઉપરાંત આ નવીન અભિગમવાળી વાવેતર પદ્ધતિ અપનાવીનેઆંબા કલમોનું વાવેતર કરી ઉછેર કરવાથી અન્‍ય ફાયદાઓ પણ થાય છે. જેવા કે કેરી બેડવી ખુબજ સહેલી રહે, રોગજીવાત નિયંત્રણ સરળ અને તરત જ કરી શકાય, ઝાડના કદના પ્રમાણમાં વધુ ઉત્‍પાદન મળે, આંબાઝાડનો મોટોભાગ ફળ ઉત્‍પાદનમાં ભાગ ભજવે, સુર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય અને કરેલી માવજતની અસર વધુ ઝડપી થાય છે. આંબાની ઘનિષ્ઠ વાવેતરમાં આંબા કલમોનું વાવતેર અંતર 5×5, 5×4, 6×4 અને 6×3 મીટર અંતરે કરવામાં આવે છે જ્‍યારે અતિ ઘનિષ્ઠ વાવેતરમાં આંબા કલમોનું વાવતેર અંતર 5×3, 6×2, 4×2 અને 3×3 મીટર અંતરે કરવામાં આવે છે. આ વાવેતર પદ્ધતિમાં આંબાની કેસર, આમ્રપાલી, તોતાપુરી, સોનપરી, મલ્લીકા, દશેરી, રત્‍ના, નીલમ વગેરે જેવી ઝાડનો ઓછો વિકાસ ધરાવતી જાતોની ભલામણ કરવામાં આવે છે.
બાગાયત ખાતુ, ગુજરાત રાજ્‍ય દ્વારા આંબાની ઘનિષ્ટ વાવેતર કે અતિ ઘનિષ્ટ વાવેતર માટે ખેડૂતોને પોત્‍સાહન આપવા માટેની સહાય યોજનાઓ કાર્યરત છે જે મુજબ આંબાની ઘનિષ્ટ વાવેતર કરવા માટે રૂા.1.50 લાખ યુનિટ કોસ્‍ટ સામે રૂા.75000/- ની સહાય અને અતિ ઘનિષ્ટ વાવેતર માટે રૂા.2.00 લાખ યુનિટ કોસ્‍ટ સામે મહત્તમ રૂા.1.00 લાખ સુધીની સહાય ટપક પ્રધ્‍ધતિ સાથે ત્રણ હપ્તામાં (60:20:20) આપવામાં આવે છે. આ યોજનાઓનોલાભ મેળવવા માટે ખેડૂતોએ i-khedut પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલ અરજીની પ્રિન્‍ટ નકલ જરૂરી સાધનીક કાગળો સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, પહેલો માળ, એચ.ડી.એફ.સી. બેંક, વલસાડ શાખાની સામે, તિથલ રોડ, વલસાડ-396001 ટેલીફોન નંબર-02632243183 ખાતે જમા કરાવવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામકશ્રીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

સેલવાસમાં રાજભાષા દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ‘શિક્ષક પર્વ ૨૦૨૧’નું સત્ર ખુલ્લું મુકશેઃ સંઘપ્રદેશ પ્રશાસને જીવંત પ્રસારણ નિહાળવા કરેલી ખાસ વ્યવસ્થા

vartmanpravah

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુરમાં સમસ્‍ત આદિવાસી સમાજ દ્વારા બંધારણ દિવસની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા યુવા મોરચાની કારોબારી બેઠક યોજાઈ

vartmanpravah

‘સ્‍વચ્‍છ ભારત અભિયાન’ની પ્રેરણા: ‘સ્‍વચ્‍છતા – નોટ બાય હેન્‍ડ્‍સ, બાય લેગ’ પ્રોજેક્‍ટ જાહેર શૌચાલયોમાં સ્‍વચ્‍છતાના સમીકરણો બદલશે

vartmanpravah

Leave a Comment