Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં પાણીની કપરી સ્‍થિતિ : લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે : નલ સે જલ યોજના ફલોપ

વાસ્‍મો યોજનાથી પર્યાપ્ત પાણી મળશે તે માત્ર ઠાલા વચનો બન્‍યા છે : કેટલાક વિસ્‍તારોમાં બાલટી પાણી માટે ફાંફા પડી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.12: જળ છે તો જીવન છે. પણ જ્‍યાં જળ ના હોય ત્‍યાં જીવન કેમ શક્‍ય બને? કંઈક તેવી કારમી અસહ્ય પાણીની સમસ્‍યા ધરમપુર-કપરાડાના અસંખ્‍ય ગામોમાં ઉભી થઈ ચૂકી છે. આઝાદીનો અમૃત મહોત્‍સવ ભલે ઉજવાતો રહ્યો છે. પરંતુ તેના મીઠા ફળ ધરમપુર કપરાડાના અંતરીયાળ ટ્રાયબલ એરીયા સુધી નથી પહોંચ્‍યા. આ નરી વાસ્‍તવિકતા અને કડવું સત્‍ય પણ છે.
ગુજરાતનો ચેરાપૂંજી ગણાતો વિસ્‍તાર, સૌથી વધુ વરસાદ પડતો વિસ્‍તાર કાળ ઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારી રહ્યો છે. પર્વતીય વિસ્‍તારમાં હાલ ઉનાળામાં પાણીની ભયંકર કટોકટી ઉભી થઈ ચૂકી છે. એક-બે, ચાર ગામડા નહીં પણ સેંકડો ગામોમાં પાણીની કપરી વ્‍યથા-પીડા લોકો ભોગવી રહ્યા છે. આ વિસ્‍તાર માટે કરોડો રૂપિયાના ખર્ચે પાણીની સમસ્‍યાનો અંત લાવવા માટે વાસ્‍મો યોજના કાર્યરત કરાઈ છે પરંતુ આ યોનજાના દાવા અને સફળતાના બરાબર જ છે. રૂપાળુ સ્‍લોગન વહેતુ કરાયું છે. નલ સે જલ પણ જલ કે નળ છે કે ક્‍યાં? હોય તો ધરમપુર-કપરાડાના અંતરિયાળ વિસ્‍તારમાં બતાવો? કાળઝાળ ગરમીમાં બહેનો, બાળકો બે-ચાર કિલોમીટરનો વિસ્‍તાર ચાલી ખાડા કે ખનકાઓમાં પાણી શોધી માથે ઉપાડી લાવવાની લોકો દયનીય સ્‍થિતિ ભોગવી રહ્યા છે. ઉનાળામાં એ.સી. ઓફિસોમાં બેસી ફીલ્‍ટર પાણી પિતો અધિકારી વર્ગકપરાડા-ધરમપુરના ઊંડાણ ભર્યા વિસ્‍તારમાં પાણીની સ્‍થિતિનો તાગ ક્‍યાંથી મેળવી શકે. બસ નલ સે જલ કેમ સાકાર થાય છે. જ્‍યાં જળ નથી જળ માટે જોઈએ તેવું વ્‍યવસ્‍થાપન નથી. યોજનાઓ કાગનો વાઘ બની કોડીયા તાણી રહી છે અને ભોગ ગરીબ આદિવાસી વિસ્‍તાર બની રહ્યો છે.

Related posts

નવતર પ્રયોગ : વલસાડ મોગરાવાડી ગરનાળાની પગદંડીનું કામ વિરોધ પક્ષ નેતાએ લોકફાળો ઉઘરાવી શરૂ કર્યું

vartmanpravah

સંઘપ્રદેશની શાળાના શિક્ષકોને ન્‍યૂનત્તમ ઈનપુટ્‍સથી વધુમાં વધુ આઉટપુટ આપવાની દિશામાં કામ કરવા પ્રેરિત કરતા શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

દમણ રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા આપવામાં આવતી મફત કાનૂની સેવાઓ બાબતે થઈ રહેલોપ્રચાર

vartmanpravah

દાનહઃ રખોલી દમણગંગા નદીના બ્રીજ પરથી અજાણ્‍યા યુવાને ઝંપલાવી દેતાં ઘટના સ્‍થળ પર જ નિપજેલું મોત

vartmanpravah

વિશ્વ હૃદય રોગ નિવારણ અભિયાન અંતર્ગત રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ધરમપુરમાં તા.29 સપ્‍ટેમ્‍બરે યોગ શિબિર યોજાશે

vartmanpravah

લાખો રૂપિયાના ખર્ચે પાકી બનાવાયેલ મજીગામ માઇનોર કેનાલમાં ઠેર ઠેર તિરાડો અને કોંક્રિટના જોવા મળી રહેલા હાડ પિંજર

vartmanpravah

Leave a Comment