September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં પાણીની કપરી સ્‍થિતિ : લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે : નલ સે જલ યોજના ફલોપ

વાસ્‍મો યોજનાથી પર્યાપ્ત પાણી મળશે તે માત્ર ઠાલા વચનો બન્‍યા છે : કેટલાક વિસ્‍તારોમાં બાલટી પાણી માટે ફાંફા પડી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.12: જળ છે તો જીવન છે. પણ જ્‍યાં જળ ના હોય ત્‍યાં જીવન કેમ શક્‍ય બને? કંઈક તેવી કારમી અસહ્ય પાણીની સમસ્‍યા ધરમપુર-કપરાડાના અસંખ્‍ય ગામોમાં ઉભી થઈ ચૂકી છે. આઝાદીનો અમૃત મહોત્‍સવ ભલે ઉજવાતો રહ્યો છે. પરંતુ તેના મીઠા ફળ ધરમપુર કપરાડાના અંતરીયાળ ટ્રાયબલ એરીયા સુધી નથી પહોંચ્‍યા. આ નરી વાસ્‍તવિકતા અને કડવું સત્‍ય પણ છે.
ગુજરાતનો ચેરાપૂંજી ગણાતો વિસ્‍તાર, સૌથી વધુ વરસાદ પડતો વિસ્‍તાર કાળ ઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારી રહ્યો છે. પર્વતીય વિસ્‍તારમાં હાલ ઉનાળામાં પાણીની ભયંકર કટોકટી ઉભી થઈ ચૂકી છે. એક-બે, ચાર ગામડા નહીં પણ સેંકડો ગામોમાં પાણીની કપરી વ્‍યથા-પીડા લોકો ભોગવી રહ્યા છે. આ વિસ્‍તાર માટે કરોડો રૂપિયાના ખર્ચે પાણીની સમસ્‍યાનો અંત લાવવા માટે વાસ્‍મો યોજના કાર્યરત કરાઈ છે પરંતુ આ યોનજાના દાવા અને સફળતાના બરાબર જ છે. રૂપાળુ સ્‍લોગન વહેતુ કરાયું છે. નલ સે જલ પણ જલ કે નળ છે કે ક્‍યાં? હોય તો ધરમપુર-કપરાડાના અંતરિયાળ વિસ્‍તારમાં બતાવો? કાળઝાળ ગરમીમાં બહેનો, બાળકો બે-ચાર કિલોમીટરનો વિસ્‍તાર ચાલી ખાડા કે ખનકાઓમાં પાણી શોધી માથે ઉપાડી લાવવાની લોકો દયનીય સ્‍થિતિ ભોગવી રહ્યા છે. ઉનાળામાં એ.સી. ઓફિસોમાં બેસી ફીલ્‍ટર પાણી પિતો અધિકારી વર્ગકપરાડા-ધરમપુરના ઊંડાણ ભર્યા વિસ્‍તારમાં પાણીની સ્‍થિતિનો તાગ ક્‍યાંથી મેળવી શકે. બસ નલ સે જલ કેમ સાકાર થાય છે. જ્‍યાં જળ નથી જળ માટે જોઈએ તેવું વ્‍યવસ્‍થાપન નથી. યોજનાઓ કાગનો વાઘ બની કોડીયા તાણી રહી છે અને ભોગ ગરીબ આદિવાસી વિસ્‍તાર બની રહ્યો છે.

Related posts

ધરમપુરમાં બિલપુડીની બી.આર.એસ કોલેજમાં થીમ બેઝ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

ચીખલીના દભાડ મહોલ્લાનો ધોરણ-10 માં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક કેન્‍દ્ર શાળા આંબોલીમાં પ્રશ્નમંચ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં કેન્‍દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાનું દમણ કોસ્‍ટગાર્ડ ખાતે ભાજપના પદાધિકારી-ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલું અભિવાદન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘‘બાળ લગ્ન મુક્‍ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત પંચાયતો, શાળાઓ અને કાર્યાલયોમાં જનજાગૃતિ રેલી, મશાલ રેલી અને શપથ ગ્રહણ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment