Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

કથા, ભજન, પૂજા, મહા આરતી સાથે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર વાપી નેશનલ હાઈવે ઉપર આવેલું છે. મંદિર આસ્‍થા અને ભક્‍તિ-સત્‍સંગ અને પર્વની ઉજવણીનું અનેરુ ધામ બની રહ્યું છે. આવતીકાલ તા.13-04-23 ચૈત્ર વદ-8 આઠમને ગુરૂવારના રોજ જલારામ બાપા મંદિરનો 21મો ભવ્‍ય પાટોત્‍સવની ઉજવણી થનાર છે.
જલારામ બાપા મંદિર ને.હા. 48 વાપીમાં પાટોત્‍સવની ઉજવણીના કાર્યક્રમ મુજબ સવારે 7:30 વાગે ધ્‍વજારોહણ થશે. 9:00 વાગે સત્‍યનારાયણ ભગવાનની પૂજા કથા બાદમાં ભજન કિર્તનનું આયોજન કરાયું છે. ત્‍યાર બાદ સાંજે 6:30 વાગ્‍યાથી રાત્રે 10:00 વાગ્‍યા સુધી મહાપ્રસાદનું આયોજન છે. વાપી સહિત આજુબાજુની ભાવિક જનતાને પાટોત્‍સવનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Related posts

વલસાડ હાઈવે ઉપર વાપીના દંપતિનું બાઈક ખાડામાં પટકાયું હતું : સારવારમાં પત્‍નીએ દમ તોડયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ કિસાન મોર્ચાના ઉપ પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની નિમણૂંક : ખેડૂતોમાં ઉત્‍સાહ અને આનંદની લાગણી

vartmanpravah

વલસાડના લીલાપોર ઔરંગા નદીનો પીચીંગ રોડ ફરી બંધ કરાયો : વરસાદી પ્રકોપમાં કૈલાસ રોડ પુલ પણ બેહાલ

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે કુપોષણ દૂર કરવા માટે પ્રશાસન દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાંની કરેલી પ્રશંસા

vartmanpravah

સરીગામની લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના “આઈડિયા ફેસ્ટ-૨૦૨૩”માં ૩૦૦થી વધુ વિધાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

Leave a Comment