કથા, ભજન, પૂજા, મહા આરતી સાથે મહાપ્રસાદનું ભવ્ય આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર વાપી નેશનલ હાઈવે ઉપર આવેલું છે. મંદિર આસ્થા અને ભક્તિ-સત્સંગ અને પર્વની ઉજવણીનું અનેરુ ધામ બની રહ્યું છે. આવતીકાલ તા.13-04-23 ચૈત્ર વદ-8 આઠમને ગુરૂવારના રોજ જલારામ બાપા મંદિરનો 21મો ભવ્ય પાટોત્સવની ઉજવણી થનાર છે.
જલારામ બાપા મંદિર ને.હા. 48 વાપીમાં પાટોત્સવની ઉજવણીના કાર્યક્રમ મુજબ સવારે 7:30 વાગે ધ્વજારોહણ થશે. 9:00 વાગે સત્યનારાયણ ભગવાનની પૂજા કથા બાદમાં ભજન કિર્તનનું આયોજન કરાયું છે. ત્યાર બાદ સાંજે 6:30 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન છે. વાપી સહિત આજુબાજુની ભાવિક જનતાને પાટોત્સવનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે.