December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છીરી રણછોડ નગરમાં ગંદકીનું સામ્રાજ્‍ય રહેતું હોવાથી સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં મોરચો કાઢયો

દિન 15માં સમસ્‍યાના ઉકેલ આવી જશે તેવી પંચાયતે હૈયા ધરપત આપતા મામલો થાળો પડયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી નજીક આવેલ છીરી ગામના રણછોડ નગરમાં ગંદકીની સમસ્‍યા ગટરની તકલીફ અને રસ્‍તાની મુશ્‍કેલી જેવા મામલાઓથી કંટાળેલા સ્‍થાનિક રહિશોએ પંચાયતમાં હલ્લાબોલ કરી મોરચો કાઢયો હતો.
વાપીના વિકાસની સાથે સાથે આસપાસના ગામડા બલીઠા, છરવાડા, છીરીનો પણ ઝડપી વિકાસ થયો છે. પરંતુ છીરી વિસ્‍તાર ગંદકી ભરેલો પ્રમાણમાં વધુ છે. ગીચ ચાલીઓ, આડેધડ એપાર્ટમેન્‍ટના બાંધકામો, ગટર કે આંતરિક રોડ રસ્‍તાઓ ઉપર દબાણો જેવા મુદ્દાઓ સમસ્‍યાઓ છીરીમાંબેસુમાર છે. છીરી રણછોડ નગર વિસ્‍તારની હાલત કંદકીમાં વધુ ખરાબ થઈ છે. ગટરના પાણી રોડ ઉપર ઉભરાય છે. રોગચાળા અને મચ્‍છરોનો ઉપદ્રવ વધી પડયો હોવાથી ગતરોજ રણછોડ નગરના સ્‍થાનિક નિવાસીઓ મોરચો કાઢી પંચાયતમાં પહોંચી પસ્‍તાળ પાડી હતી. હલ્લાબોલ કરી પંચાયતને સમસ્‍યાઓના ઉકેલ માટે લેખિત રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્‍યું હતું. પંચાયતે જણાવ્‍યું હતું કે, આગામી 15 દિવસમાં સમસ્‍યાઓનો ઉકેલ લાવવામાં આવશે તેવી હૈયાધરપત આપતા મામલો માંડ થાળે પડયો હતો.

Related posts

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું દમણ એરપોર્ટ ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્‍માભેર અભિવાદન

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

vartmanpravah

વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની ૩૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈઃ કારોબારી પ્રમુખ તરીકે ફરીવાર બળવંતસિંહ સોલંકીની નિમણૂંક

vartmanpravah

લવાછામાં નવા પોલીસ સ્‍ટેશનનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

Leave a Comment