January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ રિવર ફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓને વેક્‍સીન અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14
દાદરા નગર હવેલીમા નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાહાલમાં એકપણ કેસ સક્રિય નથી. અત્‍યાર સુધીમા 5916 કેસ રીકવર થઇ ચૂકયા છે, અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 149 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજન 207 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો નથી.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતું. જેમા આજે 105 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમા પ્રથમ ડોઝ 389725 અને બીજો ડોઝ 198851 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. કુલ 588579 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યુ છે, જેના કારણે પ્રદેશમાં પ્રવાસીઓ આવી રહ્યા છે જેને ધ્‍યાનમાં રાખી દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા સેલવાસના દમણગંગા નદી કિનારે આવેલ રિવરફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓ કે જેમની વેક્‍સીન લેવાની બાકી હોય તેઓને વેક્‍સીન આપવામા આવી હતી.

Related posts

વાપી વસાહતના વિવિધ પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સાથે કેબીનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલી મુલાકાત

vartmanpravah

ચીખલી કાવેરી નદીના જુના લો – લેવલ પુલ નીચેથી અજાણ્‍યા શખ્‍સની લાશ મળી

vartmanpravah

કપરાડા-ધરમપુરમાં ફરજ બજાવતા જી.આર.ડી. જવાનો બે માસ પગારથી વંચિત : હોળીના તહેવારો બગડયા

vartmanpravah

સંઘપ્રદેશના ઈતિહાસમાં જોડાયેલો પ્રેરણાદાયી અધ્‍યાયઃ દાનહના આદિવાસી નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાની બે જોડિયા દિકરીઓએ લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સમાંથી મેળવેલી માસ્‍ટર્સની ડીગ્રી

vartmanpravah

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના ઉપલક્ષમાં 73 કુંડી યજ્ઞનું કરેલું સફળ આયોજન

vartmanpravah

આગામી 6ઠ્ઠી નવેમ્‍બરે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જંગી જાહેરસભા યોજાશે

vartmanpravah

Leave a Comment