April 19, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ રિવર ફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓને વેક્‍સીન અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14
દાદરા નગર હવેલીમા નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાહાલમાં એકપણ કેસ સક્રિય નથી. અત્‍યાર સુધીમા 5916 કેસ રીકવર થઇ ચૂકયા છે, અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 149 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજન 207 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો નથી.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ હતું. જેમા આજે 105 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમા પ્રથમ ડોઝ 389725 અને બીજો ડોઝ 198851 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. કુલ 588579 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
હાલમાં દિવાળી વેકેશન ચાલી રહ્યુ છે, જેના કારણે પ્રદેશમાં પ્રવાસીઓ આવી રહ્યા છે જેને ધ્‍યાનમાં રાખી દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા સેલવાસના દમણગંગા નદી કિનારે આવેલ રિવરફ્રન્‍ટ પર આવતા પ્રવાસીઓ કે જેમની વેક્‍સીન લેવાની બાકી હોય તેઓને વેક્‍સીન આપવામા આવી હતી.

Related posts

વલસાડ-નવસારી હાઈવે ઉપર ગોઝારો અકસ્‍માત સર્જાયો : વર્ષના છેલ્લા દિવસે 9 લોકોની જીંદગીનો આખરી દિન બન્‍યો

vartmanpravah

મોરાઈ સરપંચ લાંચ પ્રકરણમાં એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદી સુરક્ષિત નથી : મળી રહી છે ધમકીઓ

vartmanpravah

દમણ શહેર ભાજપ પ્રમુખ હિરેન જોષીએ કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રીને ટુવ્‍હીલર ચલાવવા માટેના લાયસન્‍સની વયમર્યાદા 18 થી ઘટાડી 16 વર્ષ કરવા કરેલી રજૂઆત

vartmanpravah

કપરાડા વિધાનસભા વિસ્તારમાં નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે કરાયેલું ખાતમુહૂર્ત

vartmanpravah

રખોલી-સાયલી રસ્‍તા પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો-રાહદારીઓને પરેશાન

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ગણેશ પર્વની ઉત્‍સાહ અને ભક્‍તિભાવ સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment