February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-રાનકુવા માર્ગ ઉપર માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્‍તુતિકરણની કામગીરી હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.22: ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગ ઉપર કોલેજ સર્કલથી રાનકુવા સુધીની લંબાઈમાં માર્ગ મકાન દ્વારા માર્ગની પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્‍તારમાં ક્‍વોરી ઉદ્યોગને પગલે ભારે વાહનોની અવાર જવર વધુ રહેતી હોય તેવામાં માર્ગની વધુ પહોળાઈ હોય તે જરૂરી હતું. બીજી તરફ માર્ગની સાઈડે ચોમાસામાં બેસી જતા આ સપાટી ખાડા-ટેકરાવાળી ઊંચી નીચી થતી હોય છે. જેને પગલે વાહન ચાલકોને ભયના ઓથાર હેઠળ વાહનો હંકારવાની નોબત આવતી હોય છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં હાલે માર્ગ મકાન દ્વારા રોડ સાઈડની જગ્‍યામાં ખોદકામ કરી આ ખાડા ટેકરાવાળી સપાટીને સમતલ કરી માર્ગની પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરી છે. ત્‍યારે માર્ગની પહોળાઈ વધતા આગામી દિવસોમાં વાહન ચાલકોને મોટી રાહત થશે તે નિヘતિ જણાઈ રહ્યું છે.
ચીખલી-વાંસદા રાજ્‍યધોરીમાર્ગ ઉપર માર્ગ મકાન દ્વારા કોલેજ સર્કલથી માણેકપોર સુધીની લંબાઈમાં માર્ગની બન્ને તરફની કાચી ગટરોની તથા ઠેર ઠેરના નાળાઓની સાફ સફાઈ ચોમાસા પૂર્વે કરાવી પાણીના નિકાલની વ્‍યવસ્‍થા કરાવવામાં આવે તે જરૂરી છે. કારણ કે પાણીનો નિકાલ થશે તો જ માર્ગ ટકશે અને વિસ્‍તુતિકરણ પાછળ કરવામાં આવેલ ખર્ચનો ખરા અર્થમાંલોકોને લાભ થશે તે વાત ચોક્કસ છે.

Related posts

સ્‍વચ્‍છતા હી સેવા – 2024, સેવા સેતુ અને એક પેડ મા કે નામ – ત્રિવેણી કાર્યક્રમને વલસાડ જિલ્લામાં લોન્‍ચીંગ કરતા જિલ્લા પ્રમુખ મનહરભાઈ પટેલ

vartmanpravah

કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની અધ્‍યક્ષતામાં દાનહના સાયલી ક્રિકેટ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડમાં વિશાળ લાભાર્થી જનસભા યોજાઈ : પ્રધાનમંત્રી મોદીની ગેરંટી એટલે કામ 100 ટકા પૂર્ણ કરવાનું વચનઃ અમિતભાઈ શાહ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં ગુરૂ પૂર્ણિમા પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

મંગળવારે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી સિમલાથી દેશભરના વિવિધ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે : દમણમાં પણ યોજાશે સમાંતર કાર્યક્રમ

vartmanpravah

28 મે ના શનિવારે આંબાતલાટ ખાતે આદિવાસી સાંસ્‍કળતિક સંમેલન યોજાશે

vartmanpravah

આજે મહાશિવરાત્રી : વલસાડમાં સિધ્‍ધેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રામાં શીવ નગરચર્યામાં નિકળશે

vartmanpravah

Leave a Comment