December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-રાનકુવા માર્ગ ઉપર માર્ગ મકાન વિભાગ દ્વારા વિસ્‍તુતિકરણની કામગીરી હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.22: ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગ ઉપર કોલેજ સર્કલથી રાનકુવા સુધીની લંબાઈમાં માર્ગ મકાન દ્વારા માર્ગની પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્‍તારમાં ક્‍વોરી ઉદ્યોગને પગલે ભારે વાહનોની અવાર જવર વધુ રહેતી હોય તેવામાં માર્ગની વધુ પહોળાઈ હોય તે જરૂરી હતું. બીજી તરફ માર્ગની સાઈડે ચોમાસામાં બેસી જતા આ સપાટી ખાડા-ટેકરાવાળી ઊંચી નીચી થતી હોય છે. જેને પગલે વાહન ચાલકોને ભયના ઓથાર હેઠળ વાહનો હંકારવાની નોબત આવતી હોય છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં હાલે માર્ગ મકાન દ્વારા રોડ સાઈડની જગ્‍યામાં ખોદકામ કરી આ ખાડા ટેકરાવાળી સપાટીને સમતલ કરી માર્ગની પહોળાઈ વધારવાની કામગીરી હાથ ધરી છે. ત્‍યારે માર્ગની પહોળાઈ વધતા આગામી દિવસોમાં વાહન ચાલકોને મોટી રાહત થશે તે નિヘતિ જણાઈ રહ્યું છે.
ચીખલી-વાંસદા રાજ્‍યધોરીમાર્ગ ઉપર માર્ગ મકાન દ્વારા કોલેજ સર્કલથી માણેકપોર સુધીની લંબાઈમાં માર્ગની બન્ને તરફની કાચી ગટરોની તથા ઠેર ઠેરના નાળાઓની સાફ સફાઈ ચોમાસા પૂર્વે કરાવી પાણીના નિકાલની વ્‍યવસ્‍થા કરાવવામાં આવે તે જરૂરી છે. કારણ કે પાણીનો નિકાલ થશે તો જ માર્ગ ટકશે અને વિસ્‍તુતિકરણ પાછળ કરવામાં આવેલ ખર્ચનો ખરા અર્થમાંલોકોને લાભ થશે તે વાત ચોક્કસ છે.

Related posts

વલસાડમાં તા. ૧૧ મી જૂને નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મીડિયા એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના અધ્‍યાપક પીએચ. ડી. થયા

vartmanpravah

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

vartmanpravah

વાપી-વલસાડમાં નવરાત્રી મહોત્‍સવમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સપરિવાર ઉપસ્‍થિત રહી આરતી-દર્શનનો લાભ લીધો

vartmanpravah

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી દ્વારા 10454 એકમોની તપાસ, 561 એકમો સામે કાર્યવાહી

vartmanpravah

પારડીના સુખેશ રામપોરમાં છોડવાઓ ઉખેડવા બાબતે માર મારતો પાડોશી

vartmanpravah

Leave a Comment