Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં મુખ્‍ય માર્ગ સ્‍થિત માર્જિનમાં આવેલા ધાર્મિક સ્‍થળો ખસેડવા પ્રાંત અધિકારી દ્વારા સ્‍થળ નિરીક્ષણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.02: ચીખલીમાં મુખ્‍યમાર્ગ સ્‍થિત માર્જિનમાં આવેલા ધાર્મિક સ્‍થળો ખસડવા માટે પ્રાંત અધિકારી દ્વારા સ્‍થળ નિરીક્ષણ કરી કવાયત તેજ કરી દેવામાં આવી હતી.
ચીખલી-વાંસદા રોડ ઉપર હાઈવે ચાર રસ્‍તાથી બામણવેલ સુધીની લંબાઈમાં રેફરલ હોસ્‍પિટલની સામે આવેલ દરગાહ, થાલા બગલાદેવ મંદિર, ખૂંધ સાત પીપળા સ્‍થિત હનુમાનજી દાદાનું મંદિર સહિતના ધાર્મિક સ્‍થળો ખસેડવા માટે થોડા દિવસ પૂર્વે પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરી દ્વારા સબંધિત વિભાગોના પ્રતિનિધિઓ, હિન્‍દૂ-મુસ્‍લિમ સમુદાયના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
આ દરમ્‍યાન સોમવારના રોજ સાંજના સમયે પ્રાંત અધિકારી દ્વારા માર્ગ મકાન નાયબ કાર્યપાલક ઈજનેર, પીઆઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં ખૂંધ સાત પીપળા સ્‍થિત મંદિરની મુલાકત લઈ સ્‍થળ નિરીક્ષણ કરી જરૂરી માપણી કરાવી હતી. આ મંદિરના સેવક ભાણાભાઈ હળપતિની રજૂઆતો સાંભળી સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અનેઅકસ્‍માતોના બનાવોને ધ્‍યાનમાં લઈ આ ધાર્મિક સ્‍થળો હટાવવાની ફરજ પડી હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્‍યુ હતું. આ ઉપરાંત ચીખલી રેફરલ હોસ્‍પિટલ સ્‍થિત દરગાહનું પણ સ્‍થળ નિરીક્ષણ પ્રાંત અધિકારી દ્વારા કરાયું હતું.
ચીખલીમાં મુખ્‍યમાર્ગ સ્‍થિત આ ધાર્મિક સ્‍થળો ખસેડવાનો પ્રશ્ન વર્ષોથી વણ ઉકેલ્‍યા છે. આ વખત પ્રાંત અધિકારી આ સ્‍થળો ખસેડવા મક્કમતાથી આગળ વધી રહ્યા છે. ત્‍યારે શાંતિપૂર્ણ માહોલમાં સ્‍વેચ્‍છાએ ધાર્મિક વિધિ સાથે આ ધાર્મિક સ્‍થળો ખસેડાઈ અને વર્ષો જૂના પ્રશ્નનું સુખદ નિરાકરણ આવે તેવો આશાવાદ લોકો વ્‍યક્‍ત કરી રહ્યા છે.

Related posts

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદો દમણમાં પાંચ વર્ષ પહેલાં થયેલ એક મહિલાની હત્‍યા કેસના આરોપીને આજીવન કેદ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ

vartmanpravah

કચીગામ ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાનો વાર્ષિક રમતોત્‍સવ યોજાયો

vartmanpravah

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં દાનહ કોંગ્રેસે કરેલો ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ’

vartmanpravah

કપરાડાના સુખાલા ગામે બે ગઠિયા મહિલાને માલિશ કરવાના નામે સોનાની કડી ઉતરાવી ફરાર

vartmanpravah

સંઘપ્રદેશ સહિત વલસાડ જિલ્લાનો ભંડારી સમાજ સ્‍તબ્‍ધ દાનહના ખરડપાડા ખાતે ‘‘પતિ-પત્‍ની ઔર વો”ના કિસ્‍સામાં કરૂણ અંજામઃ પત્‍નીએ પોતાના કુંવારા પ્રેમી સાથે મળી પતિની ગળું દબાવી કરેલી હત્‍યા

vartmanpravah

સેલવાસની એકદંત સોસાયટી નજીક રિંગરોડ પર મોડી રાત્રિએ બે જૂથ વચ્‍ચે થયેલી મારામારીની ઘટના

vartmanpravah

Leave a Comment