(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: શ્રી કૌશિક કાંતિલાલ હરિઆ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં સ્વ.શ્રી કૌશિકભાઈની પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થના સભા અને શ્રધ્ધાંજલિ કાર્યક્રમ શાળાના સાંસ્કૃતિક ભવન શ્રીમતી રમીલાબેન કાંતિલાલ હરીઆમાં યોજવામાં આવ્યો હતો.
કૌશિક હરીયા એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત કૌશિક હરીયા ટેક્નિકલ સેંટર (આઈ.ટી.આઈ.) ખાતે સ્વ.કૌશિખભાઈ કાન્તીભાઈ હરીયાની તા.01-05-2023ના રોજ 34મી પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિનો કાર્યક્રમમાં ઉપસ્થિત ટ્રસ્ટીશ્રીઓ તથા સ્ટાફ અને તાલીમાર્થીઓએ ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ અર્પણ કર્યું હતું. ત્યારબાદ દરેક તાલીમાર્થીઓને બુંદી-ગાંઠીયાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદઉપરાંત કૌશિક કાન્તીભાઈ હરીયા સ્કૂલ કરવડ ખાતે પણ દરેક વિદ્યાર્થીને બુંદી-ગાંઠીયાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.