October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વચ્‍છતા હી સેવા ‘એક તારીખ, એક કલાક’, વલસાડ જિલ્લામાં 1લી ઓક્‍ટોબરે મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ કરાશે

તમામ ગામડાઓમાં ‘‘ગાર્બેજ ફ્રી ઈન્‍ડિયા’ ની થીમ સાથે ગામો કચરામુક્‍ત બને તે માટે સવારે 10 કલાકે કામગીરી થશે

આ ભગીરથ કાર્યમાં રાજ્‍યના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ સભ્‍ય ડો. કે.સી.પટેલ, અને સર્વ ધારાસભ્‍યોઓ પણ જોડાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: ‘સ્‍વચ્‍છતા હી સેવા’ માસની ઉજવણી અન્‍વયે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.1 ઓકટોબર 2023ના દિવસે દેશના તમામ ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં જન- પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘‘એક તારીખ , એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી હતી.
વલસાડ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકામાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવાના” વિવિધ આયોજનોના ભાગરૂપે તમામ ગામડાઓમાં ‘‘ગાર્બેજ ફ્રી ઈન્‍ડિયા”ની થીમ સાથે ગામો કચરામુકત બને તે માટે 1 લી ઓકટોબરે સવારે 10 કલાકે મહાશ્રમદાન કાર્યક્રમયોજવામાં આવશે. ‘‘એક તારીખ, એક કલાક” અન્‍વયે મહાશ્રમ દાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન જિલ્લાના આરોગ્‍ય કેન્‍દ્રો/આંગણવાડીઓ/શાળાઓ/વિવિધ કચેરીના પ્રાંગણ અને આજુબાજુના વિસ્‍તારો, પ્રવાસન સ્‍થળો, ગૌશાળાઓ, બસ સ્‍ટેન્‍ડ, ધાર્મિક સ્‍થળો સહિતની જગ્‍યાઓએ કરાશે.
સ્‍વચ્‍છતા અભિયાનના હેતુથી શ્રમદાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક ગામમાં ઓછામાં ઓછી એક શ્રમદાન ગતિવિધિનું આયોજન કરાશે. સંપૂર્ણ શ્રમદાન ‘‘સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક ફ્રી” અને ‘‘ઝીરો વેસ્‍ટ”ને પ્‍શ્રોત્‍સાહન મળે તે પ્‍શ્રકારનું રહેશે. એકત્રિત થયેલા કચરાના યોગ્‍ય નિકાલની જગ્‍યાએ લઈ જવા માટે નોડલ ઓફિસરો તેમજ કંટ્રોલરૂમની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં રાજ્‍યના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ સભ્‍ય ડો. કે.સી.પટેલ, અને સર્વ ધારાસભ્‍યોશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખશ્રી અને સભ્‍યશ્રીઓ, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્‍યો તેમજ જિલ્લા/તાલુકાના ઉચ્‍ચ અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્‍થિતિ રહેશે. આ સ્‍વચ્‍છતા માટેના ઉમદા મહાશ્રમદાન પ્રવૃત્તિઓમાં તમામ વલસાડવાસીઓ સહભાગી બને તેવો જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી, વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

દમણ-દીવના પૂર્વ સાંસદ સ્‍વ. ડાહ્યાભાઈ પટેલના સ્‍મરણાર્થે  શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલતી શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો

vartmanpravah

પારડી નગરપાલિકાની મુલાકાત લેતા પ્રાદેશિક કમિશ્નર

vartmanpravah

વલસાડ જિલ્લા રાજપૂત કરણી સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન વિરૂધ્‍ધ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશમાં પારદર્શક પ્રશાસન માટે બદલી કરાયેલા કેટલાક અધિકારી-કર્મચારીઓ હજુ પણ પોતાના જુના સ્‍થળે જ કાર્યરત

vartmanpravah

એચ.ડી.એસ.વી. સાર્વજનિક હાઈસ્‍કૂલ ફડવેલ ખાતે વિકસિત ભારત સંકલ્‍પ રથયાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

Leave a Comment