April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વચ્‍છતા હી સેવા ‘એક તારીખ, એક કલાક’, વલસાડ જિલ્લામાં 1લી ઓક્‍ટોબરે મહાશ્રમદાનની પ્રવૃત્તિઓ કરાશે

તમામ ગામડાઓમાં ‘‘ગાર્બેજ ફ્રી ઈન્‍ડિયા’ ની થીમ સાથે ગામો કચરામુક્‍ત બને તે માટે સવારે 10 કલાકે કામગીરી થશે

આ ભગીરથ કાર્યમાં રાજ્‍યના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ સભ્‍ય ડો. કે.સી.પટેલ, અને સર્વ ધારાસભ્‍યોઓ પણ જોડાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: ‘સ્‍વચ્‍છતા હી સેવા’ માસની ઉજવણી અન્‍વયે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા.1 ઓકટોબર 2023ના દિવસે દેશના તમામ ગ્રામ્‍ય અને શહેરી વિસ્‍તારોમાં જન- પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘‘એક તારીખ , એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી હતી.
વલસાડ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકામાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવાના” વિવિધ આયોજનોના ભાગરૂપે તમામ ગામડાઓમાં ‘‘ગાર્બેજ ફ્રી ઈન્‍ડિયા”ની થીમ સાથે ગામો કચરામુકત બને તે માટે 1 લી ઓકટોબરે સવારે 10 કલાકે મહાશ્રમદાન કાર્યક્રમયોજવામાં આવશે. ‘‘એક તારીખ, એક કલાક” અન્‍વયે મહાશ્રમ દાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન જિલ્લાના આરોગ્‍ય કેન્‍દ્રો/આંગણવાડીઓ/શાળાઓ/વિવિધ કચેરીના પ્રાંગણ અને આજુબાજુના વિસ્‍તારો, પ્રવાસન સ્‍થળો, ગૌશાળાઓ, બસ સ્‍ટેન્‍ડ, ધાર્મિક સ્‍થળો સહિતની જગ્‍યાઓએ કરાશે.
સ્‍વચ્‍છતા અભિયાનના હેતુથી શ્રમદાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક ગામમાં ઓછામાં ઓછી એક શ્રમદાન ગતિવિધિનું આયોજન કરાશે. સંપૂર્ણ શ્રમદાન ‘‘સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક ફ્રી” અને ‘‘ઝીરો વેસ્‍ટ”ને પ્‍શ્રોત્‍સાહન મળે તે પ્‍શ્રકારનું રહેશે. એકત્રિત થયેલા કચરાના યોગ્‍ય નિકાલની જગ્‍યાએ લઈ જવા માટે નોડલ ઓફિસરો તેમજ કંટ્રોલરૂમની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં રાજ્‍યના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ સભ્‍ય ડો. કે.સી.પટેલ, અને સર્વ ધારાસભ્‍યોશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખશ્રી અને સભ્‍યશ્રીઓ, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્‍યો તેમજ જિલ્લા/તાલુકાના ઉચ્‍ચ અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્‍થિતિ રહેશે. આ સ્‍વચ્‍છતા માટેના ઉમદા મહાશ્રમદાન પ્રવૃત્તિઓમાં તમામ વલસાડવાસીઓ સહભાગી બને તેવો જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી, વલસાડ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ શ્રેષ્‍ઠ ‘થ્રીડી’ના મિશન માટે મક્કમઃ મરવડ હોસ્‍પિટલના મહત્‍વાકાંક્ષી નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

vartmanpravah

દાનહઃ નરોલી પંચાયત દ્વારા ગૌશાળા માટે જગ્‍યા ફાળવવા જિ.પં.ના સીઈઓ સમક્ષ માંગ

vartmanpravah

અમદાવાદના માન યુથ સર્કલ ટ્રસ્‍ટના સૌજન્‍યથી ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત દીવ જિલ્લા પ્રશાસન દ્વારા ‘કાલી રાણી’ નાટકની કરાયેલી પ્રસ્‍તૂતિ

vartmanpravah

દીવ બાલ ભવનના બાળકોને “TIE & DYE”Workshop નો લાભ મળ્‍યો…

vartmanpravah

આહવા વઘઈ શિવઘાટના વળાંક પાસે જૂનિયર ક્‍લાર્કના પરીક્ષાર્થીઓને નડયો અકસ્‍માત

vartmanpravah

Leave a Comment