July 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં એનએસએસ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ કરેલું વૃક્ષારોપણ

એનએસએસ કાર્યક્રમ અધિકારી ચંદ્રકાન્‍ત કાઈટે વિદ્યાર્થીઓને સમુદાયની સેવા તરફ દોરવા અને તેમના વ્‍યક્‍તિત્‍વમાં સકારાત્‍મક બદલાવ લાવવા આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : રાષ્ટ્રીય સેવા યોજના(એનએસએસ) 1969થી ‘નોટ મી બટ યુ’ના આદર્શ વાક્‍ય સાથે સામાજીક કાર્યોના માધ્‍યમથી સમુદાયની સેવા તરફ દોરવા અને વિદ્યાર્થીઓના વ્‍યક્‍તિત્‍વમાં સકારાત્‍મક બદલાવ લાવવાના હેતુથી સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોને ગતિ આપવા માટે સ્‍વૈચ્‍છિક કાર્યની આવશ્‍યકતા પ્રતિત હોય છે. જેને ધ્‍યાનમાં રાખી સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં ધોરણ અગિયારની વિદ્યાર્થીનીઓને રાષ્ટ્રીય સેવા યોજના(એનએસએસ) સંદર્ભે વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રીય સેવા યોજના કાર્યક્રમ અધિકારી શ્રી ચંદ્રકાન્‍ત કાઈટે વિદ્યાર્થીનીઓને એનએસએસનું લક્ષ્ય, ઉદ્દેશ્‍ય અને પ્રક્રિયાઓ, સ્‍થાનીક, રાજ્‍ય અને રાષ્‍ટ્રીય સ્‍તરે યોજવામાં આવતી શિબિરો સંબંધિત માર્ગદર્શન આપવામાં આપ્‍યું હતું. જ્‍યારે શાળાના આચાર્ય અને એનએસએસ હેડ શ્રી પ્રવીણ ભોયાએ એનએસએસના માધ્‍યમથી કરવામાં આવતા કાર્ય સમાજની પ્રગતિના માટે કેટલું મહત્‍વપૂર્ણ છે તેની વિસ્‍તૃત માહિતી આપી હતી.
દરમિયાન પર્યાવરણ સંતુલન અને સંરક્ષણના પ્રત્‍યે વિદ્યાર્થીઓમાં વન થતા કુદરતી સંપદા વિશે જાગૃતિ પેદા કરવા માટે વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ફળદાર વૃક્ષની ભેટ આપવામાં આવી હતી.
આ અવસરે માંદોની ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રીસામેશ માલકરી, એનએસએસના અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યાહતા.

Related posts

ભારતીય રમત-ગમત પ્રાધિકરણના પ્રાદેશિક નિયામક પાંડુરંગ ચાટેએ સેલવાસ સ્‍થિત ‘‘ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર”ની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍થિત કેમિકલ કંપનીમાં લાગેલી ભિષણ આગ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગૌ ધનની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

ભિલાડ પોલીસ મથકના નવ નિયુક્‍ત પીએસઆઈ આર.પી.દોડીયાનુ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિએ કરેલું સન્‍માન

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે 1989માં યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં દેવજીભાઈ ટંડેલે અપક્ષ તરીકે બાજી મારી હતી

vartmanpravah

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

vartmanpravah

Leave a Comment