(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: સેલવાસના બહુમાળીમાં આયોજીત ગૌ કથાના શુભારંભ અવસરે આજે આમલી હનુમાનજી મંદિરથી ભવ્ય કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેને બહુમાળી કથા સ્થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. આ કળશયાત્રામાં સાધ્વી કપિલા ગોપાલ સરસ્વતી દીદી સહિત મોટી સંખ્યામા મહિલાઓ સહિત ભાવિકભક્તો જોડાયા હતા.
બહુમાળી ખાતે આજે 4 મેથી 10મે સુધી સાત દિવસ આયોજીત થનાર ગૌ કથાનો સમય સાંજે 4:00 થી 7:00 વાગ્યાનો છે. આ ગૌ કથાનો લાભ લેવા આયોજકો દ્વારા ભાવિક ભક્તોને આમંત્રણ આપવામાં પાઠવવામાં આવ્યું છે.