(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: સેલવાસ ઝંડાચોક આઝાદી સ્મારકની બાજુમાં ઈલેક્ટ્રીક પોલ માટે ઢાંચો બનાવવામાં આવેલ છે જેના ઉપર ખાનગી બસના ચાલકે શોર્ટકર્ટમાં ટર્ન લેવાના પ્રયાસમાં ઢાંચા ઉપર બસ ચડાવી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસની ટીમ દોડી આવી હતી અને બસચાલકને જોતા તે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું.
અત્રે યાદ રહે કે, આ ઢાંચાને કારણે અગાઉ પણ ઘણી વખત ટર્ન લેવાની લ્હાયમાં અકસ્માતો થતા રહ્યા છે. તેથી આ ઢાંચાને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠી રહી છે.