April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તલાટીની પરીક્ષા આપવા આવેલ 15 વિદ્યાર્થી અટવાયા: વલસાડ સેન્‍ટ જોસેફ સ્‍કૂલમાં 5 મિનિટ મોડા પડતા રઝળી પડયા

રવિવારે રાજ્‍યભરમાં તલાટીની જાહેર પરીક્ષા યોજાઈ હતી : ટ્રેનો અચાનક બંધ થતા વિદ્યાર્થીઓ મુસ્‍કેલીમાં મુકાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: આજે રવિવારે રાજ્‍યભરમાં તલાટી માટેની સામાન્‍ય પરીક્ષા યોજાઈ હતી. તે માટે સરકારે તથા એસ.ટી. વિભાગે બરાબર પ્રબંધ પરીક્ષાર્થીઓ માટે કર્યો હતો. પરંતુ સુરત તરફથી વલસાડ પરીક્ષા કેન્‍દ્રમાં પરીક્ષા આપવા નિકળેલા 15 જેટલા પરીક્ષાર્થીઓ વલસાડ સેન્‍ટ જોસેફ સ્‍કૂલ કેન્‍દ્રમાં અટવાઈ પડયા હતા. સમય કરતા 5 મિનિટ મોડા પડવા બદલ વિદ્યાર્થીઓને ગેટમાં લેવાયા નહોતા અને રઝળી પડવાનો કારમો સમયઆવ્‍યો હતો.
વલસાડ તલાટીની પરીક્ષા આપવા આવેલ સેન્‍ટ જોસેફ સ્‍કૂલ કેન્‍દ્રમાં મોડા પડવા બદલ 15 જેટલા પરીક્ષાર્થીને કેન્‍દ્રમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. પરીક્ષાર્થીઓની કમનસીબી ગણો કે હાની ગણો આજે વડોદરા સ્‍ટેશને કામગીરીને લઈ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી તેથી પરીક્ષાર્થીઓને સુરત સ્‍ટેશન પર ટ્રેન મળી નહોતી. એસ.ટી.ઓ પણ ફુલ થઈ ગઈ હતી. તેથી માંડ માંડ લટકી હાડમારી સાથે 15 જેટલા વિદ્યાર્થીઓ વલસાડ સેન્‍ટ જોસેફ સ્‍કૂલ કેન્‍દ્રમાં પહોંચ્‍યા હતા પરંતુ માત્ર 5 મિનિટ લેટ પડયા હોવાથી પરીક્ષાર્થીઓને કેન્‍દ્રમાં પ્રવેશ નહોતો અપાયો તેથી આશા ભરેલ પરીક્ષાર્થી નિરાશા સાથે ઘરે પરત ફર્યા હતા.

Related posts

દમણ-દલવાડાના સુપ્રસિદ્ધ વાસુકીનાથ મંદિરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથામાં શ્રી કૃષ્‍ણની બાળ લીલાનું વર્ણન સાંભળી મંત્રમુગ્‍ધ બનેલા શ્રદ્ધાળુઓ

vartmanpravah

‘સ્‍વચ્‍છ નિર્મળ તટ અભિયાન’ અંતર્ગત દરિયા કિનારા પર સ્‍વચ્‍છતા અભિયાનમાં 6 રાજ્‍યો અને 3 કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં સ્‍થિત 10 દરિયાકિનારા વિકસાવાયા છેઃ કેન્‍દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ રાજ્‍યસભામાં આપેલી માહિતી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા બે દિવસીય સંસ્કૃતિ હમારી ધરોહર કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ પ્રભારી વિશાલભાઈ ટંડેલ ત્રિ-દિવસીય આસામ રાજ્‍યના પ્રવાસે

vartmanpravah

દીવના ઘોઘલા બીચ ઉપર G20 નો લોગો સેન્‍ડ આર્ટથી બનાવાયો

vartmanpravah

દાનહના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ પંચાયત મંત્રીઓ સાથે ઘન કચરો વ્‍યવસ્‍થાપન અંતર્ગત યોજેલી બેઠક

vartmanpravah

Leave a Comment