March 4, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

જ્‍યારે વાપી રેલવે સ્‍ટેશનનું નામ દમણ રોડ હતું

1559માં ગુજરાતના સુલ્‍તાનથી જીતીને પોર્ટુગીઝોએ દમણ ઉપર મેળવેલા કબજાને કારણે અંગ્રેજ સરકાર પાસે રેલવે સ્‍ટેશનનું નામ દાદરા નગર હવેલીની જગ્‍યાએ દમણ રોડ રખાવવા પેરવી કરી હતી કારણ કે દાદરા નગર હવેલી પોર્ટુગીઝોને ભેટમાં મળ્‍યું હતું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.07: ઘણાને કદાચ ખબર નહિ હશે, પરંતુ ઈતિહાસના પાના પલટાવતા આપણને ખબર પડે છે કે, વાપી રેલવે સ્‍ટેશનનું નામ પહેલાં દમણ રોડ સ્‍ટેશન હતું. કારણ કે, દહાણુ રોડ અને નાસિક રોડની માફક દમણ જેને પોર્ટુગીઝ ભાષામાં દમાઉ (ઝખ્‍પ્‍ખ્‍બ્‍) કહેવાતું હતું.

દમણ રેલવે લાઈનથી પોણા સાત માઈલ દુર હતું જે હવેલગભગ 11 કિ.મી. દુરી પર છે. તે સમયે પણ દબદબો દમણનો ખૂબ હતો. કારણ કે તે પોર્ટુગલ કોલોનીના આધિન હતું અને ઘણું લોકપ્રિય સ્‍ટેશન હતું. કારણ કે, આ રેલવે લાઈન ઉપર દમણ બીજા દેશ (પોર્ટુગલ)નું પ્રતિનિધિત્‍વ કરતું હતું. જ્‍યારે વાપી એક નાનકડો કસ્‍બો હતો. એક માહિતી પ્રમાણે વાપી વિસ્‍તારમાં પાણીની ખૂબ જ તંગી હતી. જેના કારણે આ વિસ્‍તારમાં પાણીની એક વાવ બનાવવામાં આવી હતી. જેમાંથી લોકો પાણી લેતા હતા. આ પાણીની વાવના કારણે જ આ વિસ્‍તારનું નામ વાપી પડયું હતું. દમણ બ્રિટીશ રાજ દરમિયાન એક પોર્ટુગીઝ કોલોનીનો હિસ્‍સો હતું. દમણવાસીઓને દમણથી બહાર જવા માટે પોર્ટુગલ અધિકારીઓથી પરમિટ બનાવવા પડતી હતી અને પરત આવવા ઉપર તેને પ્રવેશદ્વાર ઉપર જમા કરાવવી પડતી હતી. આ સમયે દમણ રોડ સ્‍ટેશનની રેલવે લાઈન ઉપર ટ્રેન ગ્રેન્‍ડ રોડ (મુંબઈ) સ્‍ટેશનથી અમદાવાદ સુધી જતી હતી. અને આ પ્રકારણે અમદાવાદથી ગ્રેન્‍ડ રોડ પરત આવતી હતી. ગ્રેન્‍ડ રોડથી અમદાવાદ એક તરફની સફરનું અંતર તે સમયના રેલવે ટાઈમ ટેબલ પ્રમાણે 306 માઈલ હતું જે અત્‍યારે 493 કિ.મી. છે. દમણ રોડ સ્‍ટેશનથી ગ્રેન્‍ડ રોડનું અંતર 104.5 માઈલ હતું જે 168 કિ.મી. થાય છે અને અમદાવાદ 203.પ માઈલ હતું જે 327 કિ.મી. થાય છે.વલસાડ સ્‍ટેશનનું નામ રેલવે વિભાગમાં બલસારથી ઓળખાય છે. અંકલેશ્વર સ્‍ટેશનનું નામ એ સમયે અંકલેશ્વર-નર્મદા ફેરી તરીકે ઓળખાતું હતું.
ભારત દેશ અંગ્રેજોથી 1947માં સ્‍વતંત્ર થયો. પરંતુ દમણ ત્‍યારે પણ પોર્ટુગીઝોના હસ્‍તક હતું. ભારતની આઝાદીના 14 વર્ષ પછી ગોવા, દમણ અને દીવ 19મી ડિસેમ્‍બર 1961ના રોજ પોર્ટુગલ શાસનથી મુક્‍ત થયું. દમણ રોડ રેલવે સ્‍ટેશનનું નામ ભારતની આઝાદી 1947 બાદ વાપી સ્‍ટેશન કરવામાં આવ્‍યું.
પહેલાં દાદરા નગર હવેલી મરાઠા સામ્રાજ્‍યનો હિસ્‍સો હતું. 1783થી 1954 (171 વર્ષ)સુધી પોર્ટુગીઝોએ શાસન કર્યું છે જ્‍યારે દમણ ઉપર પોર્ટુગીઝોએ 1પ59માં ગુજરાતના સુલ્‍તાનથી જીત મેળવી પોતાનો કબ્‍જો કર્યો હતો અને 402 વર્ષ સુધી દમણ ઉપર પોતાનું રાજ કર્યું છે. આ રીતે 426 વર્ષ સુધી દીવ અને 451 વર્ષ સુધી ગોવા ઉપર પોર્ટુગીઝોનું શાસન રહ્યું છે.
પોર્ટુગીઝોએ દાદરા નગર હવેલીની જગ્‍યાએ દમણ રોડ સ્‍ટેશનને અંગ્રેજોથી મંજુરી અપાવવાનું ઉચિત સમજ્‍યું હતું કારણ કે દમણ ઉપર વિજય મેળવીને કબ્‍જો કર્યો હતો જ્‍યારે દાદરા નગર હવેલી તેમણે ભેટમાં મળ્‍યું હતું. હાલમાં દમણની જેમ દાદરા નગર હવેલીને પણ મોટાભાગની એક્‍સપ્રેસ ટ્રેન માટે વાપી રેલવે સ્‍ટેશન ઉપર આવવું પડે છે.
હવે, વાપી એ શ્રેણીનુંરેલવે સ્‍ટેશન છે અને અહીં રોજ 202 ટ્રેનોની અવર-જવર થાય છે. ઘણા પ્રયાસો બાદ 4 નવેમ્‍બર, 1864નું રેલવે ટાઈમ ટેબલ અને ગેઝેટ નોટિફિકેશનના રૂપમાં એક ઐતિહાસિક પુરાવો મળ્‍યો છે જેને ચિત્રમાં દર્શાવવામાં આવ્‍યું છે.
લેખકે પહેલી વખત 1981માં દમણની યાત્રા કરી હતી. જ્‍યારે આ પ્રવેશદ્વાર અહીં બન્‍યો હતો જે વાસ્‍તવમાં 1980માં કેન્‍દ્રશાસિત પ્રદેશ ગોવા, દમણ અને દીવ દ્વારા બનાવાયો હતો.

Related posts

વલસાડના સેવાભાવી અગ્રણી બિલ્‍ડર પિન્‍ટુભાઈ વશીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

vartmanpravah

કચીગામ ક્રિકેટ ગ્રાઉન્‍ડ પર સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાનો વાર્ષિક રમતોત્‍સવ યોજાયો

vartmanpravah

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

આજે સંઘપ્રદેશના ભાવિનું પરિણામઃ બહુમતિ લોકોના જન માનસનો પડનારો પડઘો: પ્રદેશમાં ભારે ઉત્તેજના અને રોમાંચનો માહોલ

vartmanpravah

ગુજરાતના ગાંધીનગર ખાતે મળેલી વેસ્‍ટર્ન ઝોન કાઉન્‍સિલની 26મી બેઠક પંશ્ચિમી ઝોનમાં આવેલા ગુજરાત મહારાષ્‍ટ્ર ગોવા તથા દાનહ અને દમણ-દીવ દેશની જીડીપીમાં 25 ટકા યોગદાન ધરાવતો વિસ્‍તારઃ કેન્‍દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

Leave a Comment