April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મુંબઈથી રાજસ્‍થાન ખાટુશ્‍યામની 1350 કિ.મી.ની 42મી પદયાત્રાએ નિકળેલ એન્‍જિનિયર યુવાન વાપી આવી પહોંચ્‍યો

ચન્‍દ્રકાન્‍ત ઢાંઢણ નામનો આ યુવાન શ્‍યામબાબામાં અતૂટ શ્રધ્‍ધા ધરાવે છે. અનેક વિઘ્‍નો વચ્‍ચે અત્‍યાર સુધી 55 હજાર કિ.મી.ની પદયાત્રા કરી ચૂક્‍યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા. 09: મૂળ રાજસ્‍થાન પરંતુ મુંબઈને કર્મભૂમિ બનાવનાર એન્‍જિનિયર યુવાન ચન્‍દ્રકાન્‍ત ઢાંઢણ છેલ્લા ચાર વર્ષથી પ્રસિધ્‍ધ યાત્રાધઝામ ખાટુશ્‍યામ બાબા રાજસ્‍થાનના પુષ્‍કળ જિલ્લામાં આવેલ છે. 4 વર્ષથી સતત પદયાત્રા કરી રહેલ છે. 42મી પદયાત્રા દરમિયાન સોમવારે ચન્‍દ્રકાન્‍ત વાપી આવી પહોંચ્‍યો હતો. મુંબઈથીખાટુશ્‍યામ બાબા યાત્રાધામનું અંતર 1350 કિ.મી.નું છે. જે 41 વાર તે પદયાત્રા કરીને 55000 કિ.મી.ની પદયાત્રા અનેક વિઘ્‍નો અને મુશ્‍કેલીઓ વડે પાર પાડી રહ્યો છે. આસ્‍થાનું જીવંત ઉદાહરણ ચન્‍દ્રકાન્‍તએ પુરુ પાડયુ છે. મૂળ રામગઢ શેખાવટી ઢાંઢણ ગામ રાજસ્‍થાનના તેઓ વતની છે.
યાત્રાના સ્‍વ અનુભવો વર્ણવતા પદયાત્રી ચન્‍દ્રકાન્‍ત ઢાંઢરે જણાવ્‍યું હતું કે, બાબા તેની પાસે કઠીન કામ કરાવવા માગે છે તે પોતે સાયન્‍સનો વિદ્યાર્થી હોવા છતાં સંકટો વચ્‍ચે યાત્રા ચાલું રાખી છે. અનેકવાર બાબાનો સાક્ષાત્‍કાર પણ થયો છે. જંગલ જેવા માર્ગો, નિર્જન રસ્‍તાઓ પર લુંટારુ સામાન પણ લૂંટી જતા, કુતરાઓ બચકા પણ ભરતા હાઈવે ઉપર પુરપાટ દોડતા વાહનો થકી એકવાર અકસ્‍માતમાં પગનું હાડકું પણ તૂટી ગયેલું છે પરંતુ બાબાની મહેર કૃપાથી દિપડા જેવા જંગલી પ્રાણીઓના સામના વચ્‍ચે હાલમાં 42મી પદયાત્રાએ નિકળ્‍યો છું તેવું અડગ મનના પદયાત્રા ચન્‍દ્રકાંત ઢાંઢણે જણાવ્‍યું હતું. મોટી નવાઈની વાત ચન્‍દ્રકાંતએ એ જણાવી હતી કે તેનું ગુજરાન ભજનો થકી ચાલી રહ્યું છે. બસ ખાટુશ્‍યામ બાબાની કૃપા મહેરબાની છે.

Related posts

સંઘપ્રદેશમાં પૂર અને તોફાનની આફત સામે લડવા યોજાઈ મૉક ડ્રિલ

vartmanpravah

ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ ઉપર કરાયેલા હુમલા બાદ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં ટોળાએ કરેલી તોડફોડ

vartmanpravah

મોટી દમણના દમણવાડા ગ્રામ પંચાયત ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો: ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ કેમ્‍પનો 66 જેટલા દર્દીઓએ લીધેલો લાભ

vartmanpravah

આજથી ચીખલી-ગણદેવી વિભાગ ટ્રક ઓનર્સ વેલ્‍ફેર એસોસિએશન હડતાલ પર : પ00થી વધુ ટ્રકોના પૈંડા થંભી જશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૨’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી આયોજીત ‘વિશ્વ આદિવાસી દિવસ’ના સમારંભમાં દમણ જિલ્લાના આદિવાસી સમાજે એકતા શિસ્‍ત અને ખેલદિલીનો આપેલો પરિચય

vartmanpravah

Leave a Comment