April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી સૌ-પ્રથમ વખત આર્યા ગ્રુપ દ્વારા સ્‍પીડ અને નોન-સ્‍ટોપ સ્‍કેટિંગ સ્‍પર્ધા યોજાઈ

વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલીમાં સૌ-પ્રથમ વખત આર્યા ગ્રુપ દ્વારા આયોજિત સ્‍પીડ અને નોન-સ્‍ટોપ સ્‍કેટીંગ સ્‍પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા.
ચીખલી તાલુકા સેવા સદન કેમ્‍પસમાં આર્યગ્રુપ દ્વારા આયોજિત સ્‍પીડ અને નોન-સ્‍ટોપ સ્‍કેટીંગ સ્‍પર્ધામાં શરૂઆત ધારાસભ્‍ય નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન પટેલ, ભાજપના જિલ્લાના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય નિકુંજભાઈ પટેલ, કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ, આર્યા ગ્રુપના કલ્‍પેશભાઈ સહિતનાની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી હતી. શરૂઆતમાં ધારાસભ્‍ય નરેશભાઈ પટેલે સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ 128 જેટલા બાળકોને શુભેચ્‍છા પાઠવી હતી. અને તાલુકામાં આ પ્રકારની સ્‍પર્ધાનું પ્રથમ વખત આયોજન માટે આર્ય ગ્રુપને અભિનંદન પાઠવ્‍યા હતા. સંગીત સાથે યોજાયેલ આ સ્‍કેટીંગની સ્‍પર્ધામાં મોટી સંખ્‍યામાં બાળકો સાથે વાલીઓ અને સ્‍થાનિકો ઉપસ્‍થિત રહી સ્‍પર્ધાને મનભરીને માણી હતી. સ્‍પર્ધા દરમ્‍યાન કોચ તરીકે બાદલભાઈ ટંડેલે સેવા બજાવી હતી.
આ સ્‍કેટીંગસ્‍પર્ધા 4 થી 5, 5 થી 7, 7 થી 10 અને 10 થી 14 વર્ષના બાળકોની યોજાઈ હતી. અને તમામ વય જૂથમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર તમામ બાળકોને ધારાસભ્‍ય નરેશભાઈ પટેલ અને આર્ય ગ્રુપ દ્વારા સંયુક્‍ત રીતે ટ્રોફી તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યા હતા. સ્‍પર્ધાના અંતમાં સતત બે કલાક તમામ બાળકો દ્વારા સ્‍કેટીંગ કરવામાં આવ્‍યું હતું. સ્‍કેટીંગ સ્‍પર્ધાએ ઉપસ્‍થિતોમાં અનેરું આકર્ષણ જમાવ્‍યું હતું. અને પ્રથમ વખત આ પ્રકારની સ્‍પર્ધાના સફળ આયોજન માટે આર્ય ગ્રુપને બિરદાવ્‍યું હતું.

Related posts

કપરાડા વાવરના ગ્રામજનોની અસહ્ય લાચારી : ધસમસતા કોઝવે ઉપરથી ચાલી અંતિમ યાત્રા કાઢવી પડી

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાનના સહયોગથી સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે અંગ્રેજી ભાષા ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા મોડયુલની તાલીમ સંપન્ન

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ખાતે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુએ દરિયાઈ પાણીના રિવર્સ ઓસ્‍મોસિસ પ્‍લાન્‍ટનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

હવેથી દમણ મામલતદાર કાર્યાલયમાં જમીન મહેસૂલ ભરવાની પ્રક્રિયાઓનલાઈન: જમીન મહેસૂલની ચુકવણીની ઓફલાઈન પ્રક્રિયા તાત્‍કાલિક અસરથી બંધ

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર ઓલ ઈન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ એસો.એ ટોલ ઘટાડવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્‍યું

vartmanpravah

વાપીમાં અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટિફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનિમિયાના દર્દીઓ પર અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment