(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: દાદરા નગર હવેલી સ્થિત એસએસઆર આર્ટસ, કોમર્સ એન્ડ સાયન્સ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા વિશ્વાસ શ્રીકળષ્ણ ખરેએ ગણિતશાષા વિષયમા સિમેટ્રી અનાલિસિસ મેથડ એન્ડ ઈટ્સ એપ્લિકેશન ટુ ડિફરેન્શિયલ ઈકવેશન શીર્ષક હેઠળ રજૂ કરેલમહાશોધ નિબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરી છે. આ સંશોધન કાર્ય તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના નિવૃત્ત પ્રોફેસર ડો.એમ.જી. તિમોલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું છે. આ સિદ્ધિ બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી મંડળના સભ્યો અને સમગ્ર કોલેજ પરિવાર અને સ્નેહીજનોએ વિશ્વાસ શ્રીકળષ્ણ ખરેને શુભકામના પાઠવી હતી.