(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.16 : દેશના ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ થોડા દિવસો પહેલાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવ્યા હતા. તે સમયે ઉપ રાષ્ટ્રપતિશ્રીએ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યો તથા તમામ ગ્રામ પંચાયતોના સરપંચોને દિલ્હી મુલાકાતનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ક્રમમાં, આજે 16, ઓક્ટોબર 2024ના રોજ ઉપ રાષ્ટ્રપતિ શ્રી જગદીપ ખનખડે દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને તેમના નિવાસસ્થાને આમંત્રણ આપ્યું. આ પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ વચ્ચે વચ્ચે ખૂબ જ આધ્યાત્મિક મુલાકાત થઈ હતી. આ પછી, ઉપ રાષ્ટ્રપતિ મહોદયશ્રીએ સાંસદ સહિત દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યો અને તમામ ગ્રામ પંચાયતોના સરપંચો સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે તેમનાદિલ્હી નિવાસસ્થાને સૌહાર્દપૂર્વક મળ્યા હતા. આ અવસરે સૌએ ઉપ રાષ્ટ્રપતિશ્રીનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ બદલ દમણ-દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ઉપ રાષ્ટ્રપતિ મહોદયશ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને કળતજ્ઞતા વ્યક્ત કરતા સંઘપ્રદેશના તમામ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા.