February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર માટે લોન મેળાનું કરાયેલું આયોજન

દાનહમાં યોજના લાગુ થયા બાદ અત્‍યાર સુધીમાં 1464 નાના વેપારીઓને 1.87 કરોડ રૂપિયાનું કરાયેલું ધિરાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ નગરપાલિકા દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડરો માટે ખાસ લોન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કેન્‍દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા 1 જૂન, 2020ના રોજ ‘પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજના’ શરૂ કરવામાં આવી હતી. આ સ્‍કીમ મુજબ નાના દુકાનદારો, ફેરિયાઓને રૂા.10 હજાર, 20 હજાર અને રૂા.50 હજારની લોન આપવામાં આવે છે. જેનાથી તેઓનો પડી ભાંગેલો કારોબાર ફરીથી શરૂ કરવા મદદ મળે છે.
સંઘપ્રદેશ દાનહમાં આ યોજના લાગુ થયા પછી અત્‍યાર સુધીમાં 1464 નાના વેપારીઓને 1.87 કરોડ રૂપિયાનું ધિરાણ કરવામાં આવ્‍યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સેલવાસ નગરપાલિકા દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર અને નાના દુકાનદારોને જલ્‍દીથી જલ્‍દી લાભ પહોંચાડવા માટે બેંક સાથે મળી પાલિકા પરિસરમાં શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દરેક પથ વિક્રેતાઓને ‘પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજના’શિબિરમાં મોટી સંખ્‍યામાં લાભ લીધો હતો. જેમાં પાલિકા દ્વારા કુલ 102 પથ વિક્રેતાઓને પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાનો લાભ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ દમણવાડા પંચાયતના ઉદ્યાનમાં રેડિયો ઉપર સાંભળવામાં આવ્‍યું

vartmanpravah

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી સેલવાસ રોડની કામગીરીના પ્રારંભ સાથે જ ઉદ્‌ભવેલી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

દીવના કેવડી મુકામે સરકારી કોલજમાં મોદી@20 પુસ્‍તકને લઈ સેમિનાર યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગનું ગૌરવ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીદેવુસિંહ ચૌહાણે દાનહના સેલવાસથી ‘સુકન્‍યા સમૃદ્ધિ યોજના’ અંતર્ગત ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી’ અભિયાનનો કરાવેલો શુભારંભ

vartmanpravah

Leave a Comment