October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર માટે લોન મેળાનું કરાયેલું આયોજન

દાનહમાં યોજના લાગુ થયા બાદ અત્‍યાર સુધીમાં 1464 નાના વેપારીઓને 1.87 કરોડ રૂપિયાનું કરાયેલું ધિરાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ નગરપાલિકા દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડરો માટે ખાસ લોન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કેન્‍દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા 1 જૂન, 2020ના રોજ ‘પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજના’ શરૂ કરવામાં આવી હતી. આ સ્‍કીમ મુજબ નાના દુકાનદારો, ફેરિયાઓને રૂા.10 હજાર, 20 હજાર અને રૂા.50 હજારની લોન આપવામાં આવે છે. જેનાથી તેઓનો પડી ભાંગેલો કારોબાર ફરીથી શરૂ કરવા મદદ મળે છે.
સંઘપ્રદેશ દાનહમાં આ યોજના લાગુ થયા પછી અત્‍યાર સુધીમાં 1464 નાના વેપારીઓને 1.87 કરોડ રૂપિયાનું ધિરાણ કરવામાં આવ્‍યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સેલવાસ નગરપાલિકા દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર અને નાના દુકાનદારોને જલ્‍દીથી જલ્‍દી લાભ પહોંચાડવા માટે બેંક સાથે મળી પાલિકા પરિસરમાં શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દરેક પથ વિક્રેતાઓને ‘પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજના’શિબિરમાં મોટી સંખ્‍યામાં લાભ લીધો હતો. જેમાં પાલિકા દ્વારા કુલ 102 પથ વિક્રેતાઓને પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાનો લાભ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

લોકસભાની દાનહ બેઠક ઉપર ‘બાપ’ના દિપકભાઈ કુરાડાએ ભરેલું ઉમેદવારી પત્રક: મોટી સંખ્‍યામાં રહેલી સમર્થકો અને ટેકેદારોની ઉપસ્‍થિતિ

vartmanpravah

ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ ઈલેક્‍ટ્રીકલ અને ઈલેક્‍ટ્રોનિક્‍સ એન્‍જિનિયર્સ(IEEE) દ્વારા સેલવાસ સ્‍માર્ટ સીટીની ઈ-બસ સેવાના સંચાલન અને પ્રબંધન માટે સંઘપ્રદેશ પ્રશાસનને મળેલો પ્રથમ પ્રતિષ્‍ઠિત આંતરરાષ્‍ટ્રીય પુરસ્‍કાર

vartmanpravah

દાનહના ડોકમરડી બ્રિજ નજીક યુવાનને અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

આર.ટી.ઇ. એક્‍ટ અંતર્ગત ધોરણ 1માં બાળકોને વિનામૂલ્‍યે પ્રવેશ માટે તા.30મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે

vartmanpravah

દાનહના નરોલીની માઉન્‍ટલિટરા ઝી ખાનગી શાળાનો વાર્ષિકોત્‍સવ સંપન્નની માઉન્‍ટલિટરા ઝી ખાનગી શાળાનો વાર્ષિકોત્‍સવ સંપન્ન

vartmanpravah

વલસાડ ગુંદલાવમાં માથાભારે સસ્‍પેન્‍ડ જી.આર.ડી. જવાન-મિત્રોએ ટ્રક ડ્રાઈવરને જાહેરમાં ફટકાર્યો

vartmanpravah

Leave a Comment