Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર માટે લોન મેળાનું કરાયેલું આયોજન

દાનહમાં યોજના લાગુ થયા બાદ અત્‍યાર સુધીમાં 1464 નાના વેપારીઓને 1.87 કરોડ રૂપિયાનું કરાયેલું ધિરાણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સેલવાસ નગરપાલિકા દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડરો માટે ખાસ લોન મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કેન્‍દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા 1 જૂન, 2020ના રોજ ‘પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજના’ શરૂ કરવામાં આવી હતી. આ સ્‍કીમ મુજબ નાના દુકાનદારો, ફેરિયાઓને રૂા.10 હજાર, 20 હજાર અને રૂા.50 હજારની લોન આપવામાં આવે છે. જેનાથી તેઓનો પડી ભાંગેલો કારોબાર ફરીથી શરૂ કરવા મદદ મળે છે.
સંઘપ્રદેશ દાનહમાં આ યોજના લાગુ થયા પછી અત્‍યાર સુધીમાં 1464 નાના વેપારીઓને 1.87 કરોડ રૂપિયાનું ધિરાણ કરવામાં આવ્‍યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સેલવાસ નગરપાલિકા દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર અને નાના દુકાનદારોને જલ્‍દીથી જલ્‍દી લાભ પહોંચાડવા માટે બેંક સાથે મળી પાલિકા પરિસરમાં શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દરેક પથ વિક્રેતાઓને ‘પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજના’શિબિરમાં મોટી સંખ્‍યામાં લાભ લીધો હતો. જેમાં પાલિકા દ્વારા કુલ 102 પથ વિક્રેતાઓને પ્રધાનમંત્રી સ્‍વનિધિ યોજનાનો લાભ આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

vartmanpravah

વાપીથી એરગન રાખનાર ઈસમને એલસીબીની ટીમે ઝડપી પાડયો

vartmanpravah

રૂ. ૨૯.૩૮ કરોડના ખર્ચે બનનાર જિલ્લા પંચાયતનના નવા ભવનનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણ મુલાકાત માટે હવે માત્ર એક સપ્તાહનો સમય બાકી હોવાથી કાઉન્‍ટ ડાઉન શરૂ

vartmanpravah

વાપીના તબીબ પરિવારને ટુકવાડા હાઈવે પર અકસ્‍માત નડયો : મર્સિડીઝ કારને અજાણ્‍યા ટ્રકે ટક્કર મારી

vartmanpravah

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિના અવસરે ગાંધીમય બનેલું સમસ્‍ત લક્ષદ્વીપઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રભાત ફેરીમાં લોકોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment