Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ મામલતદાર દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોમાં કેમ્‍પનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરશ્રીની સૂચના મુજબ મહેસૂલ વિભાગ સેલવાસ દ્વારા જિલ્લાની વિવિધ પટેલાદોમાં સવારે 10:00 વાગ્‍યાથી સાંજે 5:00 વાગ્‍યા સુધી લાભાર્થીઓ માટે શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમા મહેસૂલ વિભાગની સેવા, આવક-જાતિના દાખલા, ડોમિસાઇલ પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીઓ સ્‍વીકારવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ 6 જૂનના સોમવારે ગલોન્‍ડા પટેલાદના ગલોન્‍ડા પંચાયત ઘર સામે ગ્રાઉન્‍ડ ખાતે, 9 જૂનના રોજ શુક્રવારે સાયલી પંચાયતના લોકો માટે પ્રાથમિક સરકારી શાળા, ચોકીપાડા, સાયલી ખાતે, 13જૂનના મંગળવારે ખરડપાડા પંચાયતના લોકો માટે ખરડપાડા પંચાયત ઘર ખાતે, 16 જૂનના શુક્રવારે રાંધા પંચાયતના લોકો માટે હાઈસ્‍કૂલ પરિસર મહાલપાડા મોટા રાંધા ખાતે, 20 જૂનના મંગળવારે કીલવણી પંચાયતના લોકો માટે પ્રાથમિક સરકારી શાળા સહરીયા પાડા કીલવણી ખાતે, 23 જૂન શુક્રવારે સેલવાસ માટે પ્રાથમિક સરકારી શાળા ઝંડાચોક સેલવાસ ખાતે, 27 જૂનના મંગળવારે સામરવરણી પંચાયત માટે સામરવરણી પંચાયત ઘર સામરવરણી ખાતે જ્‍યારે 01લી જુલાઈના રોજ રખોલી પંચાયત માટે રખોલી પંચાયત ઘર ખાતે, 03 જુલાઈના રોજ હાઈસ્‍કૂલ પરિસર મસાટ ખાતે, 05 જુલાઈના રોજ નરોલી પંચાયત માટે નરોલી પંચાયત ઘર ખાતે, 07 જુલાઈના રોજ દાદરા પંચાયત માટે કોમ્‍યુનિટી હોલ દાદરા ખાતે શિબિરનું આયોજન કરવામા આવશે.
દાદરા નગર હવેલીની જનતાને શિબિરનો લાભ લેવા પોતાની અરજીઓ બપોરે 1:00 વાગ્‍યા પહેલાં જમા કરાવવા અનુરોધ કરાયો છે.

Related posts

વાપી ભડકમોરામાં એટીએમમાં બેલેન્‍સ તપાસવા ગયેલી મહિલાના ખાતામાંથી અચાનક 40 હજાર ઉપડી ગયા

vartmanpravah

વલસાડમાં ટીબીના દર્દીની સારવારમાં મદદરૂપ થતા નિક્ષય મિત્રોના સન્માન સાથે વિશ્વ ક્ષય દિવસ ઉજવાયો

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવ કોલેજ દીવના સ્‍વયંસેવકો દ્વારા ‘આઝાદી કા અમળત મહોત્‍સવ’ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે હળવા આસનો તેમજ સૂર્ય નમસ્‍કાર કાર્યક્રમનું આયોજન

vartmanpravah

નરોલી ચારરસ્‍તા પર ટ્રાફિક કંટ્રોલ માટે ઝિબ્રા ક્રૉસિંગ અથવા સ્‍પીડબ્રેકર બનાવવા દાનહ જિલ્લા ભાજપ એસ.સી.મોર્ચાના ઉપ પ્રમુખ ગુલાબ રોહિતની માંગ

vartmanpravah

વલસાડમાં ડુપ્‍લીકેટ તેલનો કારોબાર ઝડપાયો : શાકભાજી માર્કેટમાં ચાર દુકાનોમાંથી ડુપ્‍લીકેટ બ્રાન્‍ડેડ તેલના ડબ્‍બા મળ્‍યા

vartmanpravah

વાપી જીઆઈડીસી ભીડભંજન દેરાસરમાં પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરાઈ

vartmanpravah

Leave a Comment