July 17, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખ

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના લોકોની કલ્‍પનામાં પણ નહીં હતા તેવા થયેલા વિકાસ અને સમાજ ઘડતરના કામો

(ભાગ-3)

2014 પહેલાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઠેર ઠેર ગંદકીઓના ઢગલા દેખાતા હતા. જાહેર રસ્‍તાઓ ઉપરની ડસ્‍ટબીનો મોટાભાગે ઉભરાતી હોવાનું નજરે પડતું હતું. દમણ અને દીવનો દરિયા કિનારો ગંદકીથી ભરચક હતો. આજે 9 વર્ષમાં સ્‍વચ્‍છતાના ક્ષેત્રે દાદરા નગર હવેલી અને દમણ-દીવે ખુબ જ સારી નામના મેળવી છે. દરિયા કિનારો પણ સ્‍વચ્‍છ અને સુઘડ બન્‍યો છે.
મોદી સરકારના આગમન બાદ અધિકારીઓના બદલાયેલા વર્ક કલ્‍ચર અને લોકોની વિચારશક્‍તિમાં સ્‍વચ્‍છતા અભિયાનથી લાવવામાં આવેલા પરિવર્તનના કારણે આ બદલાવ આવી શક્‍યો છે. મોદી સરકારે દેશમાં ખુલ્લામાં શૌચ નહીં કરવાના ચલાવેલા જન આંદોલનના કારણે સરકાર અને પ્રશાસન જરૂરિયાતમંદોને ટોયલેટ નિર્માણમાં સહાયરૂપ પણ બન્‍યું છે. જેના પરિણામે ખુલ્લામાં શૌચ કરવાની બદી ઉપર પ્રદેશમાં નિયંત્રણ આવી શક્‍યું છે.
દમણ અને દીવનો દરિયા કિનારો સ્‍વચ્‍છ અને સુંદર બનવાથી પ્રવાસન ઉદ્યોગને પણ વેગ મળી રહ્યો છે. મોદી સરકારેપ્રદેશમાં બીચ રોડ અને રિવર ફ્રન્‍ટના કરેલા નિર્માણથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની સિકલ અને સૂરત જ બદલાઈ ગઈ છે. વર્ષોથી ખોરંભે પડેલા સેલવાસના રીંગરોડનું નિર્માણ કરાવી મોદી સરકારે ફક્‍ત ટ્રાફિકનો પ્રશ્ન જ હળવો નથી કર્યો, પરંતુ દર વર્ષે થતાં અકસ્‍માતમાં પણ અંકુશ આણ્‍યો છે.
રીંગરોડના નિર્માણની સાથે ટ્રાફિક જામના ઉભા થયેલા પ્રશ્નના નિવારણ માટે જ્‍યાં જરૂરી જણાયું ત્‍યાં ઓવરબ્રિજનું નિર્માણ કરાવી મોદી સરકારે સેલવાસની સુંદરતામાં પણ ચાર ચાંદ લગાવ્‍યા છે.
છેલ્લા 9 વર્ષમાં મોદી સરકારે દાદરા નગર હવેલી અને દમણ-દીવને આપવામાં કોઈ કચાશ બાકી રાખી નથી. પ્રદેશના લોકોની કલ્‍પનામાં પણ નહીં હોય તેવા પ્રોજેક્‍ટોનો શુભારંભ પણ મોદી સરકારના શાસનમાં થઈ રહ્યો છે. જેના કારણે સામાજિક પરિવર્તન સાથે સમાજ ઘડતરનો પાયો પણ નંખાઈ ચુક્‍યો છે.
મોદી સરકારના શાસનમાં થયેલા પરિવર્તનનો અભ્‍યાસ કરવો હોય તો મે – 2014 પહેલાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની કેવી સ્‍થિતિ હતી તેના ઉપર નજર માંડવી જરૂરી છે. કારણ કે, મે-2014 બાદ ક્રમશઃ થયેલા પરિવર્તનના કારણે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવનો ફક્‍ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં ડંકો વાગી રહ્યો છે.

Related posts

ચીખલી તાલુકાના કણભઈ સતાડીયા ગામે લગ્નની શરણાઈમાં વરસાદ બન્‍યો વિલન 

vartmanpravah

વાપી લવાછાના પરિવારે ઉજ્જેન મહાકાલ દરબારમાં 2.6 કિલો રૂા.2.50 લાખનો ચાંદીનો મુગટ અર્પણ કર્યો

vartmanpravah

આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોના જીવન-ધોરણને સુધારવાનો પ્રશાસનિક પ્રયાસ

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રની ઈનોવેશન હબની બે ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની રોબોટિક્‍સ કેટેગરીમાં વિજેતા

vartmanpravah

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે ભવ્‍ય ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરાશે: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

vartmanpravah

Leave a Comment