January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સીઈઓની કારણદર્શક નોટિસ : દાનહઃ ખરડપાડા ગ્રા.પં.ના ૬ જેટલા સભ્યોનું સભ્યપદ શા માટે રદ્ નહીં કરવું?

  • માસિક મીટિંગમાં લગાતાર ગેરહાજરીઃ પંચાયતના વિકાસ કાર્યોમાં પણ નહીં આપેલો સહયોગ

  • સરપંચ પાસે દર મહિને રૂ.૧૦ હજારની માંગણી કરાતી હોવાનો પણ આરોપ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૧૫ : દાદરા નગર હવેલીની ખરડપાડા ગ્રામ પંચાયતની માસિક મીટિંગમાં ગેરહાજર રહેતાં લગભગ ૬ જેટલા સભ્યોને તેમનું સભ્યપદ રદ્ કરવાની નોટિસ દાનહ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માઍ જારી કરતાં પંચાયતના રાજકારણમાં ગરમી આવવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખરડપાડા ગ્રામ પંચાયતના વોર્ડ નં.૪ના સભ્ય શ્રી ગરાસિયા શૈલેષકુમાર બાલુભાઈ સહિત લગભગ ૬ જેટલા સભ્યો લગાતાર માસિક મીટિંગમાં ગેરહાજર રહેવા સાથે ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોમાં પણ સહયોગ નહીં આપવા બદલ તેમનું સભ્યપદ શા માટે ૩ દિવસની અંદર દાદરા નગર હવેલી અને દમણ-દીવ પંચાયત રેગ્યુલેશન ૨૦૧૨ની કલમ ૧૫ઍ મુજબ રદ્ નહીં કરવું? નો જવાબ માંગતી નોટિસ જારી કરી છે.
આ નોટિસમાં જણાવાયું છે કે, સભ્યો દ્વારા સરપંચ પાસે દર મહિને રૂ.૧૦ હજારની માંગણી પણ કરાતી હતી. હવે આ સંબંધમાં નોટિસ પ્રાપ્ત કરનારા ગ્રામ પંચાયતના સભ્યો શું જવાબ આપે અને પ્રશાસન દ્વારા કેવો નિર્ણય લેવામાં આવે તેના ઉપર તમામની નજર મંડાયેલી છે.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર માટે લોન મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લોરામ નવમીએ રામ મય બન્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં સ્‍વીપ એક્‍ટિવીટી હેઠળ 9 જેટલી દિવ્‍યાંગ સંસ્‍થાઓમાં મતદાર જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

નહીં થાક, નહીં કંટાળો : એક માત્ર લક્ષ્ય પ્રદેશનો સર્વાંગી વિકાસ

vartmanpravah

Leave a Comment