April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

જે તે તાલુકાની મામલતદાર કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે: 7 દિવસમાં મોબાઈલ નંબર અને આધાર અપડેટ ન કરાવશો તો સહાય સ્‍થગિત થઈ જશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય યોજના) હેઠળ દર મહિને રૂા.1250 ની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા યોજનાની પારદર્શિતા માટે હાલમાં આધાર બેઈઝડ પેમેન્‍ટ શરૂ કરવામાં આવ્‍યું છે.
વલસાડ જિલ્લામાં 44,401 બહેનો ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત નોંધાયેલી છે. જેમાંથી 2446 વિધવા બહેનોનાં આધારકાર્ડ અને 10510 બહેનોના મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવ્‍યા નથી. જેથી આ યોજનાનો લાભમેળવનાર ગંગા સ્‍વરૂપા બેહેનોને અનુરોધ કરવામાં આવે છે કે, જેમણે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર અપડેટ/લીંક ન કરાવ્‍યા હોય અથવા જેઓનાં મોબાઈલ નંબર બદલાયા છે અને અપડેટ નથી કરાવ્‍યા તેઓએ 7 દિવસમાં નજીકની મામલતદાર કચેરી અથવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે પોતાનો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ અપડેટ કરાવવાનો રહેશે, અન્‍યથા તે લાભાર્થીઓની સહાય સ્‍થગિત થઈ શકે છે. જેની નોંધ લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-2 પ્રથમ માળ, વલસાડ, દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે ફોન નંબર 02632- 222224 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Related posts

વાપી યુનિયન બેંકમાંથી બોગસ ચેકથી રૂા.20.59 લાખ ઉપાડી જનાર : બે આરોપીના જામીન મંજુર

vartmanpravah

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં રાજ્‍યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રાજ્‍યના વીજ ગ્રાહકોને વધુ સારી વીજ સેવાઓ મળે તે માટે રાજ્‍ય સરકારનો મહત્‍વપૂર્ણ નિર્ણય

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા સગીરા સાથે યૌન ઉત્‍પીડનના આરોપીને 3 વર્ષની જેલની સજાનો આદેશ

vartmanpravah

દમણ અને દીવમાં 7 તથા દાનહમાં 6 ઉમેદવારોના નામાંકન માન્‍યઃ આજે ચિત્ર સ્‍પષ્‍ટ બનશે

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

આયુષ્‍માન કાર્ડ સોનાની લગડી સમાન છે, અડધી રાત્રે દેશના કોઈપણ ખૂણે ફ્રી સારવાર મળી રહેશેઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી

vartmanpravah

Leave a Comment