June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્‍યા મોહને પૂરઅસરગ્રસ્‍ત કાશ્‍મીરનગર-બરૂડીયાવાડની મુલાકાત લીધી

રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા આરોગ્‍ય તંત્ર અને પાલિકા દ્વારા થઈ રહેલી કામગીરી અંગે સંતોષ વ્‍યક્‍ત કર્યો

બરૂડીયાવાડમાં હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર મોડી સાંજે 7 વાગ્‍યા સુધી ખુલ્લું રખાશે

કલોરીનેશન, ડસ્‍ટીંગ અને સર્વેલન્‍સ ઉપર પ્રભારી સચિવશ્રીએ વિશેષ ભાર મુકી જરૂરી સૂચનો કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: વલસાડ શહેરના પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તાર એવા વલસાડપારડીના કાશ્‍મીરનગર અને બરૂડિયાવાડની વલસાડ જિલ્લાના પ્રભારી સચિવશ્રી અને નેશનલ હેલ્‍થ મિશનના ડાયરેકટરશ્રી રેમ્‍યા મોહને મુલાકાત લઈ પૂરના પાણી ઓસર્યા બાદ રહીશોને મળતી પ્રાથમિક સુવિધા અંગે ચકાસણી કરી રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્‍ય શાખા અને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે સંતોષ વ્‍યક્‍ત કરી સર્વેલન્‍સ ચાલું રાખવા સૂચન કર્યું હતું.
ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીમાં પૂર આવતા શહેરના નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાયા હતા. જેને પગલે કાશ્‍મીર નગર અને બરૂડિયાવાડના વિસ્‍તારના લોકોનું વલસાડ પારડીના રામલાલા મંદિરના હોલમાં સ્‍થળાંતર કરવામાં આવ્‍યું હતું. જો કે પૂરના પાણી ઓસરી ગયા બાદ જનજીવન થાળે પડી રહ્યું છે. આ દરમિયાન પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જે સંદર્ભે આજે જિલ્લાના પ્રભારી સચિવશ્રી રેમ્‍યા મોહને પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારનું નિરિક્ષણ કર્યુ હતું. આ દરમિયાન તેમણે મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.વિપુલ ગામીત, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.મનોજ પટેલ, જિલ્લા મલેરિયા અધિકારી ડો.વિરેન પટેલ અને તાલુકાહેલ્‍થ ઓફિસર ડો.કમલ ચૌધરીને વિશેષ રૂપે જણાવ્‍યું કે, ડસ્‍ટીંગ રેગ્‍યુલર કરાવવું, પીવાના પાણીનાસ્ત્રોતનું ક્‍લોરીનેશન કરવું અને રોગચાળો ફાટી ન નીકળે તે માટે તકેદારી રાખી સર્વેલન્‍સ ચાલું રાખવું. જે સૂચનો સંદર્ભે અધિક જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.વિપુલ ગામિતે હાલમાં આરોગ્‍ય કર્મીઓ રોજ ઘરે ઘરે જઈને ઝાડા-ઉલટી તેમજ તાવને લગતી વિવિધ બિમારીઓની તપાસ કરી દર્દીઓને દવા આપી રહ્યા છે, જરૂર જણાય તો મેડિકલ ઓફિસર પાસે પણ લઈ જવામાં આવે છે. આ સિવાય નજીકમાં જ સારવાર મળી રહે તે માટે બરૂડિયાવાડમાં આવેલું હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટર પણ સવારે 9 થી બપોરે 1 અને સાંજે 5 થી 7 વાગ્‍યા સુધી ચાલું રાખવામાં આવે છે એ અંગે માહિતગાર કર્યા હતા. જિલ્લા આરોગ્‍ય તંત્ર અને પાલિકા દ્વારા થઈ રહેલી કામગીરી અંગે પ્રભારી સચિવશ્રીએ સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો. વધુમાં તેમણે સગર્ભા, બાળકો અને કોમોર્બિડ દર્દીઓ પર વિશેષ ધ્‍યાન આપી તેઓની સંભાળ લેવા સૂચન કર્યું હતું. વલસાડ પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલે પ્રભારી સચિવશ્રીને પાલિકા દ્વારા થઈ રહેલી કામગીરી અંગે માહિતી આપી હતી.
પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારના નિરિક્ષણ વેળા જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત,વલસાડ પ્રાંત અધિકારી આસ્‍થા ગોહિલ, દમણગંગા નહેર સંશોધન વિભાગના કાર્યપાલક ઈજનેર એચ.કે.પટેલ, વલસાડ મામલતદાર (શહેરી) કલ્‍પના ચૌધરી અને ડિઝાસ્‍ટર મામલતદાર નફીસા શેખ સહિત સંબંધિત વિભાગોના અધિકારી-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં ઓટો સેક્‍ટરમાં ફૂલ તેજી : જિલ્લામાં 2023-24માં જુદા જુદા પ્રકારના 52,682 વાહનો નોંધાયા

vartmanpravah

પાવરગ્રીડે 100 બેડવાળી ગર્લ્‍સ હોસ્‍ટેલ અને ટીચિંગ બ્‍લોકના બાંધકામ માટે એમઓયુ પર હસ્‍તાક્ષર કર્યા

vartmanpravah

દાનહ જિ.પં.ના જેડી(યુ)ના બેનર હેઠળ ચૂંટાયેલા મોટાભાગના સભ્‍યોની નીતિ અને નિયત સ્‍પષ્‍ટ નહીં હોવાથી આવતા દિવસોમાં મોટા રાજકીય નુકસાન વેઠવાની સંભાવના

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

vartmanpravah

આજથી શરૂ થઈ રહેલ ધોરણ 10ની પરીક્ષામાં સંઘપ્રદેશના 8207 અને ધોરણ 12ના 5705 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

vartmanpravah

બગવાડા ટોલનાકા પર પોરબંદરથી ઉમરગામ વિસ્‍તારના માછીમારો ભરેલીલક્‍ઝરી બસનો પાટો તૂટયો : આબાદ બચાવ

vartmanpravah

Leave a Comment