Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વન વિભાગની તાનાશાહી : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના લીખવડ ગામમાં આદિવાસીના 60 આંબાના ઝાડ કાપી નાખતા ભારે રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીજીનાનેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના સુશાસનના 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે જનસંપર્કથી જન સમર્થન કાર્યક્રમ અંતર્ગત કપરાડા સ્‍થાનિક કાર્યકર્તાઓ સાથે ઘર ઘર સંપર્ક અભિયાન દરમિયાન ઘરે ઘરે સ્‍ટીકર લગાવી રહ્યા છે. ત્‍યારે કપરાડા તાલુકાના લીખવડ ગામમાં ડુગી ફળીયામાં વર્ષોથી જમીન ખેડતા આવેલા એવા પરિવારની જમીનમાં આવેલા ઝાડો જિલ્લાના વનવિભાગના અધિકારીઓ માર્ગદર્શન હેઠળ કાપી નાખવામાં આવ્‍યા હોવાનું જાણવા મળ્‍યુ છે. કપરાડા તાલુકાના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

કપરાડા તાલુકાના લીખવડ ગામમાં ડુગી ફળીયા પેઢી દર પેઢીથી જમીન ખેડતા આવેલા છે. 27/06/2023 ના વલસાડ જિલ્લાના વન વિભાગના અધિકારીઓના દ્વારા ગરીબ આદિવાસીના 60 આંબાના ઝાડ 10 વર્ષના કાપી નાખવામાં આવ્‍યા છે.સ્‍થાનિક ગ્રામજનોમાં ભારે રોષ : કપરાડામાં વાયરલ મેસેજ તા.27/06/2023 એ કપરાડા તાલુકાના લીખવડ ગામે ઉત્તમભાઈ કાળુભાઈ દાહવાડ તેમજ અબૃતભાઈ કાળુભાઈ દાહવાડના આંબાના ઝાડ 10 વર્ષના પંચાયતના પરમીશન વગર ફોરેસ્‍ટર ખાતાના અધિકારીઓ દ્વારા કાપી નાખવામાં આવ્‍યા. શું આ જંગલ જમીન તમારા બાપ દાદાઓએ સાચવેલા છે કે અમારા બાપ દાદાઓએ, આદિવસી છે તો આ જંગલ જમીન છે અને જે જમીન સરકારી છે એ જમીન અમારી છે એ વાત ધ્‍યાન રાખવીપડશે. આવું કરનાર આધિકારીએ કહેવું છે કે, આ જોહુકમીથી અમે ડરી નથી જવાના, આવનાર સમય એ દૂર નથી કે આવા જોહુકમી કરતા અધિકારીઓને અમારી ગ્રામસભાની પરમિશન વગર ગામની હદમાં ઘુસવા પણ ના દઈશું. આવનાર સમયમાં આ બાબતે મોટું આંદોલન થશે એ ધ્‍યાન રાખજો.

વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં કેટલાક વર્ષોથી આદિવાસી સમાજમાં વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના ભોગ બન્‍યા છે. ગરીબ આદિવાસીના 60 આંબાના ઝાડ 10 વર્ષનામાંથી કાપી નાખવામાં આવ્‍યા છે. આધારભૂત માહિતી મુજબ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારમાં ભારે વિરોધ સાથે રેલીઓ આવેદનપત્ર આપવામાં આવશે એવું જાણવા મળ્‍યુ છે.કપરાડા ગરીબ આદિવાસીને દાદા-પરદાદાથી જમીન ખેડતા આવેલા ખેડે તેની જમીન ગુજરાત સરકારનો હુકુમ થયેલ, જેના પર ફોરેસ્‍ટ ઓફિસરએ 10 વર્ષના આંબાના ફળાવ ઝાડ થડમાંથી 60 થી વધુ કાપી નાખવામાં આવેલ ખેડૂત અમ્રતભાઈ કાળુંભાઈ દહાવડને ન્‍યાય મળે એવી તારીખ-30/06/2023 ના લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. ફોરેસ્‍ટ ઓફિસ કપરાડા, સમય સવારે 11.00 વાગ્‍યે. તામામ આદીવાસી યુવાનો, વડીલો તથા સરપંચશ્રી, તાલુકા સભ્‍ય, જિલ્લા સભ્‍ય મોટી સંખ્‍યામાં આવવા આમંત્રણ આપવામાં આવ્‍યુંહતું.

Related posts

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (કન્‍યા) વિદ્યાલય વણાંકબારામાં સ્‍વતંત્ર ભારતના પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ તેમજ પ્રજાસત્તાક ભારતનાં દ્વિત્તીય રાષ્‍ટ્રપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં શિક્ષકો માટે સેમીનાર યોજાયો

vartmanpravah

ઈન્‍દોર ખાતે ચાલી રહેલ રોટરી ડિસ્‍ટ્રીક્‍ટ-3060ના ત્રિ-દિવસીય કોન્‍ફરન્‍સનું ભવ્‍ય સમાપન

vartmanpravah

‘વિશ્વ મત્‍સ્‍યોદ્યોગ દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે યોજાયેલ ‘ગ્‍લોબલ ફિશરીઝ કોન્‍ફરન્‍સ ઈન્‍ડિયા-2023’નું દીવ વણાંકબારાના માછીમારોએ નિહાળેલું જીવંત પ્રસારણ

vartmanpravah

19મી નવેમ્‍બરની દમણ ખાતે સૂચિત વીવીઆઈપી વિઝિટને અનુલક્ષી દમણમાં ભારે વાહનો અનેટ્રકોની અવર-જવર ઉપર આજે સાંજે 6:00 થી રવિવારના સવારના 6:00 સુધી પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment