(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાનહમાં જયાપાર્વતી અને અલુણા વ્રતનો પ્રારંભ થયો છે, જેમાં કુંવારીકાઓ સારૂં સ્વાસ્થ્ય અને સારો પતિ મળે તે માટે જ્વારાની પૂજા કરે છે. જયા પાર્વતી વ્રતમાં યુવતીઓ, મહિલાઓ ભગવાન શિવની પૂજા-અર્ચના કરી સૌભાગ્ય અનેસુખ-શાંતિની પ્રાર્થના કરે છે. બન્ને વ્રતમાં શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં 5 દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે, આ વ્રતમાં કુંવારીકાઓ મીઠા વગરની રસોઈ ખાય ઉપવાસ કરે છે. કુંવારીકા ઘરે જ્વારાની સ્થાપના કરી વ્રતની શરૂઆત કરી હતી અને આમલી સ્થિત રામજી મહાદેવ મંદિર અને લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમાં બ્રાહ્મણ પંડિતોની હાજરીમાં પૂજા-અર્ચના કરી સારો પતિ મળે એવી પ્રાર્થના કરી હતી.