Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહમાં અલુણા વ્રત અને જયાપાર્વતી વ્રતનો પ્રારંભ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : દાનહમાં જયાપાર્વતી અને અલુણા વ્રતનો પ્રારંભ થયો છે, જેમાં કુંવારીકાઓ સારૂં સ્‍વાસ્‍થ્‍ય અને સારો પતિ મળે તે માટે જ્‍વારાની પૂજા કરે છે. જયા પાર્વતી વ્રતમાં યુવતીઓ, મહિલાઓ ભગવાન શિવની પૂજા-અર્ચના કરી સૌભાગ્‍ય અનેસુખ-શાંતિની પ્રાર્થના કરે છે. બન્ને વ્રતમાં શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં 5 દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે, આ વ્રતમાં કુંવારીકાઓ મીઠા વગરની રસોઈ ખાય ઉપવાસ કરે છે. કુંવારીકા ઘરે જ્‍વારાની સ્‍થાપના કરી વ્રતની શરૂઆત કરી હતી અને આમલી સ્‍થિત રામજી મહાદેવ મંદિર અને લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમાં બ્રાહ્મણ પંડિતોની હાજરીમાં પૂજા-અર્ચના કરી સારો પતિ મળે એવી પ્રાર્થના કરી હતી.

Related posts

‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને આત્‍મનિર્ભર બનવા દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્‍વમાં નાયલાપારડી ખાતે પ્રશાસનની ‘ગીર ગાય યોજના’ની આપવામાં આવેલી સમજ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ હોટલ અને બારના લાયસન્‍સ રદ્‌ કરાયા

vartmanpravah

એસટી બસમાં મુસાફરના સ્‍વાંગમાં દારૂ લઈ જતી આઠ મહિલા અને એક પુરુષની પારડી પોલીસે કરી ધરપકડ

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ્‍સ ગાઈડ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટીમ ટ્રેનિંગ કેમ્‍પ માટે દાહોદ જવા રવાના: દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે પાઠવેલી શુભેચ્‍છાઓ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

vartmanpravah

સેલવાસમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના અધુરા કામને કારણે પડતી ભારે હાલાકી

vartmanpravah

Leave a Comment