March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બે દિવસીય ઉનાઈ મહોત્‍સવનો પ્રારંભ: લોકડાયરો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

ઉનાઈ મહોત્‍સવએ ઐતિહાસિક ધરોહર અને સાંસ્‍કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્‍તુત્‍ય પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.14: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્‍ધ યાત્રાધામ ઉનાઈ ખાતે ઉનાઈ ઉત્‍સવની ઉજવણી નિમિત્તે રાજ્‍ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરના પરિસરમાં ઉનાઇ મહોત્‍સવ-2024નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્‍યશ્રી નરેશ પટેલ તથા મહાનુભાવોએ દીપ પ્રગટાવી મહોત્‍સવનો શુભારંભ કર્યો હતો.
ગુજરાતના લોકો તથા દક્ષિણ વિસ્‍તારના આદિજાતિ ભાઈ-બહેનોને ઉનાઈ માતામાં અનેરી શ્રધ્‍ધા છે. આ ઐતિહાસિક મંદિર ખાતે સાંસ્‍કળતિક વારસાના જતન અર્થે તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ઉનાઇ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. બે-દિવસીય ઉનાઈ મહોત્‍સવ એ ઐતિહાસિકધરોહરના સાંસ્‍કળતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્‍તુત્‍ય પ્રયાસ છે.
ઉનાઇ મહોત્‍સવમાં ઉનાઇ માતાજીની આરતી, મહિષાસુર મર્દની નૃત્‍ય, ગરબો તથા ગુજરાતના લોકપ્રિય કલાકારશ્રી રાજભા ગઢવી દ્વારા લોક ડાયરાનો ભક્‍તજનોએ દિવ્‍ય નજારો માણ્‍યો હતો.
આ પ્રસંગે ઉનાઈ મહોત્‍સવમાં તાલુકા પંચાયતના સભ્‍યો, વાંસદા પ્રાંત અધિકારીશ્રી ડી.આઈ.પટેલ, વાંસદા તાલુકા વિકાસ અધિકારીશ્રી રાજેન્‍દ્ર પરમાર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરેન પટોળીયા સહિતના અધિકારીશ્રીઓ, તેમજ ઉનાઈ ગામ અને આસપાસના ગ્રાજજનોએ ઉનાઇ મહોત્‍સવને માણ્‍યો હતો.

Related posts

દાનહના બાલદેવીમાં માટી માફિયાઓ દ્વારા માટી ખનન કરાતા ગ્રામજનોએ કરેલો વિરોધ

vartmanpravah

નરોલીની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ભાજપ-શિવસેનાના પ્રતિનિધિઓએ કરેલો ઉષ્‍માભર્યો આદર-સત્‍કાર

vartmanpravah

ઉમરગામ તાલુકામાં બે અલગ અલગ સ્‍થળે ઝાડ પડવાની બનેલી ઘટનામાં થયેલો આબાદ બચાવ

vartmanpravah

ચીખલીના બામણવેલ ગામે વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની ના પાડતા ભાજપના તા.પં. સભ્‍ય વિરૂધ્‍ધ ગુનો નોંધાયો

vartmanpravah

દાનહ બાલાજી મંદિર પરિસરમાં ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ

vartmanpravah

દમણમાં મચ્‍છરજન્‍ય રોગોના ઉપદ્રવને નાથવા જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ સંભાળેલો મોરચોઃ વિડીયો મેસેજ દ્વારા લોકોને સાવધાન કર્યા

vartmanpravah

Leave a Comment