June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બે દિવસીય ઉનાઈ મહોત્‍સવનો પ્રારંભ: લોકડાયરો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

ઉનાઈ મહોત્‍સવએ ઐતિહાસિક ધરોહર અને સાંસ્‍કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્‍તુત્‍ય પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.14: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્‍ધ યાત્રાધામ ઉનાઈ ખાતે ઉનાઈ ઉત્‍સવની ઉજવણી નિમિત્તે રાજ્‍ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરના પરિસરમાં ઉનાઇ મહોત્‍સવ-2024નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્‍યશ્રી નરેશ પટેલ તથા મહાનુભાવોએ દીપ પ્રગટાવી મહોત્‍સવનો શુભારંભ કર્યો હતો.
ગુજરાતના લોકો તથા દક્ષિણ વિસ્‍તારના આદિજાતિ ભાઈ-બહેનોને ઉનાઈ માતામાં અનેરી શ્રધ્‍ધા છે. આ ઐતિહાસિક મંદિર ખાતે સાંસ્‍કળતિક વારસાના જતન અર્થે તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ઉનાઇ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. બે-દિવસીય ઉનાઈ મહોત્‍સવ એ ઐતિહાસિકધરોહરના સાંસ્‍કળતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્‍તુત્‍ય પ્રયાસ છે.
ઉનાઇ મહોત્‍સવમાં ઉનાઇ માતાજીની આરતી, મહિષાસુર મર્દની નૃત્‍ય, ગરબો તથા ગુજરાતના લોકપ્રિય કલાકારશ્રી રાજભા ગઢવી દ્વારા લોક ડાયરાનો ભક્‍તજનોએ દિવ્‍ય નજારો માણ્‍યો હતો.
આ પ્રસંગે ઉનાઈ મહોત્‍સવમાં તાલુકા પંચાયતના સભ્‍યો, વાંસદા પ્રાંત અધિકારીશ્રી ડી.આઈ.પટેલ, વાંસદા તાલુકા વિકાસ અધિકારીશ્રી રાજેન્‍દ્ર પરમાર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરેન પટોળીયા સહિતના અધિકારીશ્રીઓ, તેમજ ઉનાઈ ગામ અને આસપાસના ગ્રાજજનોએ ઉનાઇ મહોત્‍સવને માણ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નિર્મિત કેલેન્‍ડર ફક્‍ત સામાજિક-સાંસ્‍કૃતિક ભાગીદારીનું જ પ્રતિક નથી, પરંતુ સ્‍થાનિક જનતાના સરકારની પહેલના સમર્થનનું પણ માધ્‍યમઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા સપ્તશૃંગી માતાના ગઢમાં પાંચમા નોરતે નવકુંડી નવચંડી યજ્ઞ કરાયો

vartmanpravah

પારડી એકતા હોટલ સામે વેન્‍યુ કારમાંથી દારૂ ઝડપાયો

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન પરિસરમાં ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીની મત ગણતરી કરાડ પોલિટેક્‍નિક કોલેજ ખાતે નિર્ધારિત 04 જૂને થશે

vartmanpravah

દાનહમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય દિવસ નિમિત્તે યોજાયેલી બાઈક રેલી

vartmanpravah

Leave a Comment