October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બે દિવસીય ઉનાઈ મહોત્‍સવનો પ્રારંભ: લોકડાયરો અને લોકનૃત્‍યોને લોકોએ મનભરીને માણ્‍યા

ઉનાઈ મહોત્‍સવએ ઐતિહાસિક ધરોહર અને સાંસ્‍કૃતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્‍તુત્‍ય પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.14: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સુપ્રસિધ્‍ધ યાત્રાધામ ઉનાઈ ખાતે ઉનાઈ ઉત્‍સવની ઉજવણી નિમિત્તે રાજ્‍ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉનાઇ માતાજીના મંદિરના પરિસરમાં ઉનાઇ મહોત્‍સવ-2024નો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્‍યશ્રી નરેશ પટેલ તથા મહાનુભાવોએ દીપ પ્રગટાવી મહોત્‍સવનો શુભારંભ કર્યો હતો.
ગુજરાતના લોકો તથા દક્ષિણ વિસ્‍તારના આદિજાતિ ભાઈ-બહેનોને ઉનાઈ માતામાં અનેરી શ્રધ્‍ધા છે. આ ઐતિહાસિક મંદિર ખાતે સાંસ્‍કળતિક વારસાના જતન અર્થે તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ઉનાઇ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. બે-દિવસીય ઉનાઈ મહોત્‍સવ એ ઐતિહાસિકધરોહરના સાંસ્‍કળતિક વારસાના જતન માટેનો ગુજરાત સરકારનો સ્‍તુત્‍ય પ્રયાસ છે.
ઉનાઇ મહોત્‍સવમાં ઉનાઇ માતાજીની આરતી, મહિષાસુર મર્દની નૃત્‍ય, ગરબો તથા ગુજરાતના લોકપ્રિય કલાકારશ્રી રાજભા ગઢવી દ્વારા લોક ડાયરાનો ભક્‍તજનોએ દિવ્‍ય નજારો માણ્‍યો હતો.
આ પ્રસંગે ઉનાઈ મહોત્‍સવમાં તાલુકા પંચાયતના સભ્‍યો, વાંસદા પ્રાંત અધિકારીશ્રી ડી.આઈ.પટેલ, વાંસદા તાલુકા વિકાસ અધિકારીશ્રી રાજેન્‍દ્ર પરમાર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરેન પટોળીયા સહિતના અધિકારીશ્રીઓ, તેમજ ઉનાઈ ગામ અને આસપાસના ગ્રાજજનોએ ઉનાઇ મહોત્‍સવને માણ્‍યો હતો.

Related posts

નેશનલ હાઈવે નંબર 48 પર ખાડાઓની ભરમાર, લોકો કરી રહ્યા છે ચંદ્રની સપાટીનો અહેસાસ

vartmanpravah

ચીખલી તાલુકામાં દિવાળીના તહેવાર દરમ્‍યાન અકસ્‍માતના જુદાજુદા બે બનાવોમાં બે યુવાનોના મોત

vartmanpravah

મોટાપોંઢાની આદર્શ પ્રા.શાળામાં નૉટબુક વિતરણની સાથે જન્માષ્ટમી કાર્યક્રમ ઉજવાયો

vartmanpravah

શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન શાહના નામની જાહેરાત થતા સન્‍માન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના 70 કિમી દરિયા કિનારે હાથ ધરાયેલ સઘન ચેકિંગને મળી સફળતા: ડુંગરીના દરિયા કિનારેથી 21 પેકેટ ચરસનો જથ્‍થો મળ્‍યો

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ફિઝિક સ્‍પર્ધામાં ડંકો વગાડ્‍યો

vartmanpravah

Leave a Comment