August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

મોટી દમણના મચ્‍છી-શાકભાજી વિક્રેતાઓને નવનિર્મિત આલીશાન માર્કેટમાં ખસેડાતા હવે ખાલી પડેલ ગ્રાઉન્‍ડની જગ્‍યાએ પાર્કિંગની વ્‍યવસ્‍થા કરવા માંગ

  • મોટી દમણના ઢોલર ચાર રસ્‍તાથી ફૂટબોલ ગ્રાઉન્‍ડ સુધીના પહોળા થયેલા રસ્‍તા ઉપર માર્કેટની આજુબાજુ થતું આડેધડ પાર્કિંગ

  • મોટી દમણમાં પાર્કિંગની કોઈ જગ્‍યા નથી ત્‍યારે ખાલી પડેલ ગ્રાઉન્‍ડનો ઉપયોગ પાર્કિંગ તરીકે કરવા વ્‍યક્‍ત થઈ રહેલા સૂચનો

(તસવીર અહેવાલઃ રાહુલધોડી દ્વારા)
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : મોટી દમણના મચ્‍છી અને શાકભાજી વેચનારાઓને નવનિર્મિત આલીશાન માર્કેટમાં ખસેડાતા હવે દમણ ન.પા.ના ગ્રાઉન્‍ડની જગ્‍યા ખાલી થવા પામી છે. મોટી દમણમાં પ્રવાસીઓ અને સ્‍થાનિકોની વધેલી અવર-જવરના કારણે વાહનો પાર્કિંગ કરવા માટે ખુબ જ મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી શાકભાજી અને મચ્‍છી વિક્રેતાઓ નવી માર્કેટમાં શિફટ થવાથી ખાલી પડેલી જગ્‍યાનો ઉપયોગ હાલમાં પાર્કિંગ તરીકે કરવા લોકોની લાગણી વ્‍યક્‍ત થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે, ઢોલર ચાર રસ્‍તાથી મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ સુધીના વિસ્‍તૃત થયેલા રસ્‍તા ઉપર પાર્કિંગની વ્‍યવસ્‍થા નહીં હોવાથી હાલમાં આ રોડ ઉપર જ આડેધડ વાહનોનું પાર્કિંગ થઈ રહ્યું છે. હવે ખાલી પડેલ શાકભાજી અને મચ્‍છી માર્કેટની જગ્‍યાએ પાર્કિંગની સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવે તો ખુબ જ અનુラકૂળતા થવાની સંભાવના છે. આ મુદ્દે દમણ નગરપાલિકાના તંત્રવાહકો યોગ્‍ય કાર્યવાહી કરે એવી માંગણી બુલંદ બની રહી છે.

Related posts

ચીખલીઃ વંકાલ ગંજીફા ફળિયાના ખેડૂતોએ બુલેટ ટ્રેનના સર્વિસ રોડને પગલે ચોમાસામાં કાવેરી નદીનાં પૂરના પાણીથી તારાજી સર્જાવાની વ્‍યક્‍ત કરેલી દહેશતઃ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પાણીના નિકાલ માટે અલગ અલગ પાંચ જગ્‍યાએ મોટા કદના આરસીસી પાઈપ નાખવાની કરેલી માંગ

vartmanpravah

વલસાડ, વાપી, પારડીમાં સૃષ્‍ટિનો સર્જનહાર જગન્નાથ રથમાં સવાર થઈ શહેરની શેરીઓની પરિક્રમાએ

vartmanpravah

વાપી ચલાથી ગુરુકુળ પાસે પિસ્‍તોલ વેચવા નિકળેલા બે યુવાનને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

હિન્‍દી પખવાડિયું – 2023 નાં અનુસંધાને રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવનાં વિદ્યાર્થીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

મોટી દમણ શાકભાજી માર્કેટમાં ભરાયેલા ઘૂંટણસમાણા પાણીઃ વિક્રેતાઓને પડી રહેલી હાલાકી

vartmanpravah

મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનોના પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે નવસારીથી  “મહેસૂલી મેળા”નો શુભારંભ કરાવતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

vartmanpravah

Leave a Comment