Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્‍તિ માટે જિલ્લા કલેક્‍ટરને પાઠવેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: રાષ્‍ટ્રીય શૈક્ષણિક મહાસંઘના શ્રી અજીતસિંહ ઠાકોર, શ્રી હરેશ પટેલ, નલિની પટેલ દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી શિક્ષકોને મુક્‍તિ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે અને ગુણવતા યુક્‍ત શિક્ષણ મેળવે તે જરૂરી છે. શિક્ષણ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને શિક્ષણ સિવાયની અન્‍ય કોઈપણ કામગીરી આપવી જોઈએ જ નહીં. શિક્ષકોને શિક્ષણ સિવાયની વધારાની કામગીરીનો બોજો આપવાના કારણે ઘણા શિક્ષકો ટેન્‍શન, હતાશા અને નિરાશા અનુભવે છે, જેના લીધે વર્ગમાં શિક્ષણકાર્ય કરાવવામાં તેમને મુશ્‍કેલીઓ પડે છે. જેના કારણે વિદ્યાર્થીઓ ઉપર પૂરતું ધ્‍યાન આપી શકાતું નથી. આમ શિક્ષક, વિદ્યાર્થી અને શિક્ષણના ભોગે શિક્ષકો પાસેથી જે બહારની કામગીરી કરાવવામાં આવે છે. શિક્ષક પોતાના મુખ્‍ય શિક્ષણ કાર્યની ફરજની જવાબદારી નિષ્ઠાપૂર્વક અદા કરે છે જ. તેના પછી તેને વધારાની અલગથી કામગીરી આપવામાં આવે છે. લગભગ 80 થી 90 ટકા શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરીમાં રોકવામાં આવ્‍યા છે, અને તેમની પાસેદબાણપૂર્વક કામ કરાવવામાં આવી રહ્યું છે. વધુ પડતી જવાબદારીઓથી શિક્ષકો માનસિક રીતે હતાશ અને નિરાશ થયા છે. તાજેતરમાં અધિકારીઓ દ્વારા શાળાની મુલાકાતો કરતાં શિક્ષણ બાબતે ઘણી ટીકાઓ થઈ છે અને શિક્ષકોને ઠપકો મળ્‍યો છે. જેથી શિક્ષકોને શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે રહેવા દો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં બીએલઓની કામગીરીમાંથી તમામ શિક્ષકોને મુક્‍તિ આપવામાં આવે. શિક્ષકોને રાઈટ ટુ એજ્‍યુકેશન મુજબ શિક્ષણ સિવાયની અન્‍ય બીએલઓ કામગીરીમાંથી મુક્‍તિ અપાવા વલસાડ જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા ચૂંટણી કચેરી વલસાડને આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.

Related posts

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

vartmanpravah

સેલવાસ જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીને ઈસરો દ્વારા આમંત્રિત કરાઈ

vartmanpravah

દાનહકલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

વાપી બલિઠા હાઈવે પર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

vartmanpravah

જિલ્લા આગેવાન-વાલીમંડલ કોંગ્રેસ સાથે મળી વલસાડ જિલ્લાની ખાનગી શાળામાં એફઆરસી કરતા વધુ ફી ઉઘરાવાતી હોવાની શિક્ષણાધિકારીને કરાયેલી રાવ

vartmanpravah

Leave a Comment