(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.21: ગૃહ સ્મશાન ગૃહ એટલે અંતિમ સફર પરંતુ બે જવાબદાર તંત્રને લઈ પારડી સ્મશાન ગૃહ ખાતે જવાતો સર્વિસ રોડનો રસ્તો બિસ્માર અને ખાડાઓના ભરમાર વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી એમનો એમ અધૂરો છોડી દેવાયો છે.
પારડી સ્મશાન ગૃહના સંચાલકો દ્વારા પારડી સ્મશાન ગૃહને અતિ આધુનિક અને દરેક સગવડો સભર બનાવતા હવે ફક્ત પારડી જ નહીં પરંતુ પારડીની આજુબાજુના ગામોમાંથી પણ સ્મશાન યાત્રા પારડી સ્મશાન ગૃહ ખાતે આવી રહ્યા હોય રોજના લગભગ પાંચ થી છ જેટલી સ્મશાન યાત્રા પારડી સ્મશાન ગૃહમાં પોતાના સ્વજનને લઈ અંતિમ સફરે આવતા હોય છે.
પરંતુ અહીં આવવા માટે જે સર્વિસ રોડ તે છેલ્લા પાંચ વર્ષથી અધૂરો છોડી દેવામાં આવ્યો છે અને હાલમાં આ રોડ અત્યંત બિસ્માર અને ખાડાઓની ભરમાળ વાળો હોય સ્મશાને આવતા સ્મશાન યાત્રીઓ છેલ્લા પાંચ વર્ષથી હેરાન થઈ રહ્યાછે પરંતુ જવાબદાર તંત્ર પાસે આ અધૂરો છોડી દેવાયેલ રસ્તો બનાવવાની ફુરસદ જ નથી. જવાબદાર તંત્ર જલ્દીથી આ અધૂરો રસ્તો બનાવે જેથી અહીં આવનારની અંતિમયાત્રા સફળ રહે અને સાથે આવનારા સ્મશાન યાત્રીઓના જીવના જોખમ પણ મટે એવી માંગ લોકો દ્વારા થઈ રહી છે.