April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કોલક નદી બે કાંઠે 3 દિવસથી વહી રહી છે. કોલક નદી બે કાંઠે વહેતા અને અરનાલા અને પાટી ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પારડી તાલુકામાં અરનાલા અને પાટી ગામની વચ્‍ચેથી વહેતી કોલક નદીના કોઝવે ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ હોય છે.
ઉલ્લેખનિય છે કે, દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીને કારણે ગ્રામજનોએ હાલાકી ભોગવવી પડે છે. અરનાલા અને પાટી ગામ સંપર્ક વિહોણા થઈ જતા હોવાની ઘટના પણ ઘટી છે. પરંતુ તંત્રને ગ્રામજનોની હાલાકી દેખાતી નથી.
વલસાડ જિલ્લાના વાંકલથી ફલાધર, ચિંચાઈ, નેવરી, ધગડમાળ, ધોધડકુવા, સુખાલા થઈ વાપીને જોડતો મુખ્‍ય માર્ગ હોય પ્રતિરોજ હજારો લોકોની અવરજવર થતી હોય છે.
આ માર્ગ વલસાડ જિલ્લાના ચાર તાલુકાના લોકોને ઉપયોગી વલસાડ, ધરમપુર, પારડી, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસ વાપી જવામાટે શોર્ટકટ હોવાથી કામદારોના વાહન ચાલકો પણ અહીંથી પસાર થાય છે.
કોલક નદી પર પારડી અને કપરાડા તાલુકાના અનેક કોઝવે ગરક પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બપોરે 3 કલાકથી કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહનવ્‍યવહાર અટકી ગયો છે. પાણી વધતા અને કોઝવે બંધ થતાં અનેક ગામને અસર થઈ છે. રસ્‍તા બંધ થયા છે.
સ્‍થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોમાં વર્ષો પહેલાથી પુલની માંગ ઉઠી છે. આર એન્‍ડ બી અધિકારીઓને પોતાની જવાબદારી સુપેરે નિભાવવા ગંભીરતાપૂર્વક તાકીદે રસ્‍તા, કોઝવે અને ગરનાળા પાસે પાણીની સપાટી દર્શાવતા ચેતવણી દર્શક બોર્ડ અને પોલીસ દ્વારા પણ ધ્‍યાન રાખવામાં આવી રહ્યા છે.

Related posts

યોજાઈ : 99.34 ટકા મતદાન:  ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી

vartmanpravah

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગની નોંધપાત્ર કામગીરી : ટૂંકાગાળામાં જ 86 ટકા કામગીરી પૂર્ણ કરી 2.10 લાખ જેટલા આભા કાર્ડ બનાવ્‍યા

vartmanpravah

કપરાડા જીરવલ ગામેથી પોતાની ઈકો કાર લઈ નિકળેલ યુવાન ગુમ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.12 થી 13 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

ગૃહમંત્રી અમિત શાહના અધ્‍યક્ષસ્‍થાને ગાંધીનગરમાં 28મી ઓગસ્‍ટે વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્‍યુ પામેલા વ્‍યક્‍તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું

vartmanpravah

Leave a Comment