April 18, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

આજે કચીગામ જય ભીખી માતા અને દુધી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠાનો કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 12
દમણના કચીગામ કાછલ ફળિયા ખાતે વિક્રમ સંવંત 2078ના માગશર સુદ 10ને સોમવાર તા. 13/12/2021ના રોજ જય ભીખી માતા તથા દુધી માતાના નવનિર્મિત મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જેમાં સવારે 8.30 વાગ્‍યે પૂજા-અર્ચના કરવામાં આવશે, ત્‍યારબાદ સવારે11.45 કલાકે મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા કાર્યક્રમ યોજાશે ત્‍યારબાદ 12.30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
ઉપરાંત સાથે 8.30 કલાકે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજ મ્‍યુઝીકના સથવારે કલાકાર મનીષા વસાવા પોતાની મધુર વાણીમાં શ્રોતા સમક્ષ ભજન રજૂ કરશે. આ શુભ પ્રસંગે સર્વ ભાવિક ભક્‍તોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

vartmanpravah

વાપી વી.આઈ.એ. ઈમ્‍પેક્‍ટનું આઠમું નજરાણું : વાંસળી અને સુદર્શન વિષય ઉપર કવિ અંકિત ત્રિવેદી છવાયા

vartmanpravah

વલસાડ નગરપાલિકા દ્વારાવિવિધ વેરામાં તોતિંગ વધારાના વિરોધમાં માજી વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં આવેદન પાઠવાયું

vartmanpravah

સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતના મંત્રને સાકાર કરતી દૂધ સંજીવની યોજના

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ટોકરખાડા વિસ્‍તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું

vartmanpravah

Leave a Comment