December 1, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

આજે કચીગામ જય ભીખી માતા અને દુધી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠાનો કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 12
દમણના કચીગામ કાછલ ફળિયા ખાતે વિક્રમ સંવંત 2078ના માગશર સુદ 10ને સોમવાર તા. 13/12/2021ના રોજ જય ભીખી માતા તથા દુધી માતાના નવનિર્મિત મંદિરનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્‍ઠાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જેમાં સવારે 8.30 વાગ્‍યે પૂજા-અર્ચના કરવામાં આવશે, ત્‍યારબાદ સવારે11.45 કલાકે મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા કાર્યક્રમ યોજાશે ત્‍યારબાદ 12.30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
ઉપરાંત સાથે 8.30 કલાકે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજ મ્‍યુઝીકના સથવારે કલાકાર મનીષા વસાવા પોતાની મધુર વાણીમાં શ્રોતા સમક્ષ ભજન રજૂ કરશે. આ શુભ પ્રસંગે સર્વ ભાવિક ભક્‍તોને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

દમણના મહિલા સશક્‍તિકરણના પ્રહરી પદ્મશ્રી પ્રભાબેન શાહનું અવસાન

vartmanpravah

કેરી ચોર બાબતે ચીખલીના મીણકચ્‍છમાં બે પરિવાર વચ્‍ચે થયેલ ઝઘડામાં વૃધ્‍ધનું મોતઃ બે મહિલા સહિત 3 સામે હત્‍યાનો ગુનો નોંધાયો

vartmanpravah

વાપી-ડુંગરાના ચિરંજીવ ઝાએ દાનહ-દમણ-દીવ કબડ્ડી એસો.ના બોગસ પ્રતિનિધિ બની દિલ્‍હી ખાતે એમેચ્‍યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્‍ડિયાની સામાન્‍ય સભામાં લીધેલો ભાગ

vartmanpravah

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

vartmanpravah

વલસાડ આરટીઓ કચેરી દ્વારા શાળા-કોલેજ રોડ પર વાહન ચેકિંગ, 18 ને મેમો અપાયા

vartmanpravah

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

Leave a Comment