April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લાનું નૈસર્ગિક નજરાણું એટલે ‘આંકડા ધોધ’

વાંસદાથી લગભગ 17 કિલોમીટર દૂર વાંગણ ગામમાં કુદરતનાં ખોળે સૌંદર્યનું અદ્‌ભુત નજરાણું: કુદરતી વાતાવરણ અને વર્ષાઋતુમાં માણવા લાયક, મનને આનંદ અપાવનાર આંકડા ધોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.26: નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલો છે. વનોનું સૌંદર્ય, પહાડો, ખીણો, જૈવિક વૈવિધ્‍ય થકી અહીં નયનરમ્‍ય આહલાદક વાતાવરણ ઉભુ કરે છે. વર્ષાઋતુમાં નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અનેક સ્‍થળોની નૈસર્ગિક સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. અહીનો વિસ્‍તાર વરસાદનાં અમી છાંટણાથી જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવું લાગે છે ત્‍યારે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંગણ ગામના ‘આંકડા ધોધ’નો રમણીય નજારો કંઈક અલગ જ હોય છે.
વરસાદી વાતવરણમાં ચોતરફ લીલાછમ ખેતરોની હરિયાળી વચ્‍ચે નવસારી જિલ્લાનાવાંસદા તાલુકાથી 17 કી.મી દુર વાંગણ ગામમાં કુદરતી સૌંદર્યનું અદભુત નજરાણું આંકડા ધોધ આવેલ છે. આંકડા ધોધ સુધી પહોંચવા માટે વાંગણ ગામમાં પ્રવેશ કર્યા બાદ લગભગ એક થી બે કી.મીનો માર્ગ ચાલીને કાપવો પડે છે. પગદંડી અને ઝરણાંના માર્ગમાં ચાલવાની મજા સાથે ધોધના કર્ણપ્રિય અવાજ અને ધોધના દર્શન પ્રવાસીઓને મનને પ્રફુલિત કરી દેનાર છે. ધોધ સુધીની પગપાળા સફર દરમિયાન સ્‍થાનિકો દ્વારા ચાલતી શેકેલી મકાઈ (બુટા), ચા તથા ગામના ફળોની લારી પ્રવાસીઓને ખાસ આકર્ષિત તથા આનંદિત કરનારી છે.
અહીના ઉંચા લીલાછમ ડુંગરો પરથી સ્‍તબ્‍ધ કરી દેતો વિશાળ ધોધ આંખોને પ્રફુલ્લિત કરનાર છે. જે વિશાલ ધોધ નીચે આવીને પાંચ થી છ ભાગમાં ભળી સૌમ્‍ય ધોધ સ્‍વરૂપમાં જોવા મળે છે. જ્‍યાં ધોધના પાણીના પ્રવાહમાં પ્રકળતિપ્રેમી અને પ્રવાસીઓ આનંદ માણે છે.
ગામના લોકોના જણાવ્‍યાં અનુસાર ધોધ પાસે હનુમાનજીને મૂર્તિને આંકડાના ફૂલો અર્પણ થતા હોય જેથી ગામના પૂર્વજોએ આ ધોધને આંકડા ધોધ નામ પાડવામાં આવ્‍યું હતું. ઉપરાંત આ ધોધને આદિવાસી ધોધ તરીકે પણ સ્‍થાનિકોમાં પ્રચલિત છે.
વાંગણ ગામના ચારે તરફ હરિયાળી અને ખુશનુમા વાતાવરણ વચ્‍ચે આવેલ આ આંકડા ધોધ પ્રવાસીઓનું આકર્ષણ કેન્‍દ્ર બનતું જાય છે. હજારોપ્રકળતિપ્રેમી તથા પ્રવાસીઓ ચોમાસના ઋતુમાં અહીં કુદરતી સૌંદર્ય માણવા આવે છે. આવા ધોધનાં લીધે ગામને પણ ઘણીબધી પ્રસિદ્ધિ મળેલી છે અને લોકોને રોજગારી પણ મળી છે. ગામના લોકો માટે ખેતી અને પશુપાલનની આવક સાથે ધોધ પાસે નાની-નાની દુકાનો ચલાવીને ગામના લોકો આવક મેળવી રહ્યા છે.
વાંગણ ગામના લોકો નયનરમ્‍ય આંકડા ધોધની જાળવણી માટે સજાગ અને કટિબદ્ધ છે. ત્‍યારે આ સુંદર ધોધની પાસે કચરો કે ગંદકી ન કરી ધોધને સ્‍વચ્‍છ રાખવાની નૈતિક જવાબદારી અહી આવતા પર્યટકો અને પ્રકળતિપ્રેમીઓ સાથે આપણા સૌની છે.

Related posts

vartmanpravah

આજથી દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ

vartmanpravah

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

દાનહ ભાજપની બેઠકમાં પ્રધાનમંત્રીશ્રીની મુલાકાતના એકાદ-બે દિવસ પહેલાં સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ઉપર વેલકમ મોદીજી ટ્રેન્‍ડ કરવા થયેલી ચર્ચા- વિચારણાં

vartmanpravah

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

vartmanpravah

વાપીના વીઆઈએમાં રાષ્‍ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની જુદા જુદા કાર્યક્રમો થકી કરાઈ કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment