July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્‍લાસ્‍ટમાં ત્રણ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના ખડોલી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ સિદ્ધિ વિનાયક સ્‍ટીલ કંપનીની ભઠ્ઠીમાં અચાનક બ્‍લાસ્‍ટ થતાં નજીકમાં કામ કરતા ત્રણ વ્‍યક્‍તિઓ ઈજાગ્રસ્‍ત થયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્‍તોને કંપની સંચાલકો દ્વારા રિક્ષાદ્વારા સેલવાસની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના ખડોલી ખાતે આવેલ સ્‍ટીલ પ્રોડક્‍ટનું ઉત્‍પાદન કરતી સિદ્ધિ વિનાયક કંપનીમાં કોઈક કારણોસર અચાનક બ્‍લાસ્‍ટ થતાં કંપનીમાં કામ કરતા ત્રણ જેટલા કામદારોને ઈજા પહોંચી હતી. તેઓને તાત્‍કાલિક કંપનીના સંચાલકો દ્વારા ખાનગી રીક્ષામાં બેસાડી સેલવાસ ખાતેની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં ઈજાગ્રસ્‍ત ત્રણ વ્‍યક્‍તિમાંથી બેને સામાન્‍ય ઈજા હોવાને કારણે પ્રાથમિક સારવાર આપી હોસ્‍પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જ્‍યારે એક નવયુવાન કામદાર ભરત મોરકંડે (ઉ.વ.24) જે પચાસ ટકાથી વધુ દાઝી ગયો હતો જેઓ હાલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ કંપનીના સંચાલકો દ્વારા પોલીસ પ્રશાસનને ઘટના અંગેની કોઈપણ પ્રકારની માહિતી આપેલ નથી. જેથી સેલવાસની ખાનગી હોસ્‍પિટલના તબીબે પોલીસને જાણ કરવાની નોબત આવતા પોલીસ અને પ્રશાસનની ટીમ દોડતી થઈ ગઈ હતી. ખાનવેલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

વાપીના ટેલી મીડિયાના આશાસ્‍પદ પત્રકાર આનંદ પટણીનું સુરતમાં હૃદય હુમલાથી અકાળે મોત

vartmanpravah

ઈન્‍ચાર્જ જિલ્લા કલેકટર અનુસૂયા ઝા ના અધ્‍યક્ષસ્‍થાને મોકડ્રીલના આયોજન અંગેની બેઠક યોજાઈ

vartmanpravah

ટોરેન્‍ટ પાવરના કોન્‍ટ્રાકટ હેઠળ ઈલેક્‍ટ્રીકનું કામ કરતી વેળા કરંટ લાગતા સ્‍થળ ઉપર મોતને ભેટલા મુકેશ વાઘના પરિવારને યોગ્‍ય વળતર આપવા દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં બાળ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી હાર્દિક જોશી એકેડમી દ્વારા સ્‍ટેટ કરાટે ચેમ્‍પિયનશીપ યોજાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકાના કર્મચારીઓને હડતાલના પગલે પ્રજાને વેઠવા પડી રહેલી ભારે મુશ્‍કેલી

vartmanpravah

Leave a Comment