April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્‍લાસ્‍ટમાં ત્રણ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના ખડોલી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ સિદ્ધિ વિનાયક સ્‍ટીલ કંપનીની ભઠ્ઠીમાં અચાનક બ્‍લાસ્‍ટ થતાં નજીકમાં કામ કરતા ત્રણ વ્‍યક્‍તિઓ ઈજાગ્રસ્‍ત થયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્‍તોને કંપની સંચાલકો દ્વારા રિક્ષાદ્વારા સેલવાસની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના ખડોલી ખાતે આવેલ સ્‍ટીલ પ્રોડક્‍ટનું ઉત્‍પાદન કરતી સિદ્ધિ વિનાયક કંપનીમાં કોઈક કારણોસર અચાનક બ્‍લાસ્‍ટ થતાં કંપનીમાં કામ કરતા ત્રણ જેટલા કામદારોને ઈજા પહોંચી હતી. તેઓને તાત્‍કાલિક કંપનીના સંચાલકો દ્વારા ખાનગી રીક્ષામાં બેસાડી સેલવાસ ખાતેની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં ઈજાગ્રસ્‍ત ત્રણ વ્‍યક્‍તિમાંથી બેને સામાન્‍ય ઈજા હોવાને કારણે પ્રાથમિક સારવાર આપી હોસ્‍પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જ્‍યારે એક નવયુવાન કામદાર ભરત મોરકંડે (ઉ.વ.24) જે પચાસ ટકાથી વધુ દાઝી ગયો હતો જેઓ હાલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ કંપનીના સંચાલકો દ્વારા પોલીસ પ્રશાસનને ઘટના અંગેની કોઈપણ પ્રકારની માહિતી આપેલ નથી. જેથી સેલવાસની ખાનગી હોસ્‍પિટલના તબીબે પોલીસને જાણ કરવાની નોબત આવતા પોલીસ અને પ્રશાસનની ટીમ દોડતી થઈ ગઈ હતી. ખાનવેલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

દાનહમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ માટે શિક્ષણની આભ આંબતી તકોઃ રોજગારલક્ષી શિક્ષણ પણ ઘરઆંગણે ઉપલબ્‍ધ

vartmanpravah

દિવાળીના તહેવાર નિમિત્તે વલસાડ એસટી વિભાગ ગ્રુપ બુકિંગ દ્વારા ગામના પાદર સુધી બસની સુવિધા આપશે

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્મા અને ખાનવેલના એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારીની પોલીસે કરેલી ધરપકડઃ 6 દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

દમણ અને દાનહમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી પ્રા. શાળામાં શિક્ષક દિવસની ઉસ્‍તાહ પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી મુસ્‍કાન એન.જી.ઓ.ની માનવતાની પહેલ: 30 ફૂટપાથના બાળકોને સ્‍કૂલમાં એડમિશન અપાવ્‍યા

vartmanpravah

Leave a Comment