Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્‍લાસ્‍ટમાં ત્રણ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીના ખડોલી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ સિદ્ધિ વિનાયક સ્‍ટીલ કંપનીની ભઠ્ઠીમાં અચાનક બ્‍લાસ્‍ટ થતાં નજીકમાં કામ કરતા ત્રણ વ્‍યક્‍તિઓ ઈજાગ્રસ્‍ત થયા હતા. ઘટનામાં ઈજાગ્રસ્‍તોને કંપની સંચાલકો દ્વારા રિક્ષાદ્વારા સેલવાસની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલીના ખડોલી ખાતે આવેલ સ્‍ટીલ પ્રોડક્‍ટનું ઉત્‍પાદન કરતી સિદ્ધિ વિનાયક કંપનીમાં કોઈક કારણોસર અચાનક બ્‍લાસ્‍ટ થતાં કંપનીમાં કામ કરતા ત્રણ જેટલા કામદારોને ઈજા પહોંચી હતી. તેઓને તાત્‍કાલિક કંપનીના સંચાલકો દ્વારા ખાનગી રીક્ષામાં બેસાડી સેલવાસ ખાતેની ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં ઈજાગ્રસ્‍ત ત્રણ વ્‍યક્‍તિમાંથી બેને સામાન્‍ય ઈજા હોવાને કારણે પ્રાથમિક સારવાર આપી હોસ્‍પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જ્‍યારે એક નવયુવાન કામદાર ભરત મોરકંડે (ઉ.વ.24) જે પચાસ ટકાથી વધુ દાઝી ગયો હતો જેઓ હાલમાં સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ કંપનીના સંચાલકો દ્વારા પોલીસ પ્રશાસનને ઘટના અંગેની કોઈપણ પ્રકારની માહિતી આપેલ નથી. જેથી સેલવાસની ખાનગી હોસ્‍પિટલના તબીબે પોલીસને જાણ કરવાની નોબત આવતા પોલીસ અને પ્રશાસનની ટીમ દોડતી થઈ ગઈ હતી. ખાનવેલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

vartmanpravah

ચીખલીના ઘેજ ગામે રસ્‍તાના નવીનીકરણ કામગીરીની મુલાકાત લેતા બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન પટેલ

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠન દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

દાનહ પોલીસે નરોલી ભવાની માતા મંદિર પાસેથી ગેરકાયદેસર દારૂ અને તંબાકુનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં દર્દી પાસે ઓપરેશન પેટે 12 હજાર વસુલવામાં આતા મામલો ગરમાયો

vartmanpravah

Leave a Comment