(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.04: વાપી નેશનલ હાઈવે 48 ઉપર છરવાડા અંડરપાસ બનીને તૈયાર થઈ ચૂક્યો છે. આવતીકાલ તા.05 અને શનિવારે આ ક્રોસિંગ અંડરપાસ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.
વાપીના મુખ્ય બજાર આનંદનગર અને વાપી જીઆઈડીસી રહેણાંક વિસ્તાર સહિત બલીઠા, છરવાડા જેવા ગામોને જોડતો અતિ ઉપયોગી હાઈવે છરવાડા અંડરપાસ શનિવારથી કાર્યરત થઈ જશે. ટ્રાફિકની સમસ્યા સુલભ થશે. આનંદનગર, જલારામ મંદિર, નૂતનનગર જેવા વિસ્તારોના લોકો હવે અંડરપાસથી સહેલાઈથી અવર જવર કરી શકશે તેમજ અહીં થતા વારંવાર અકસ્માતો નો અંત આવશે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના સંનિષ્ઠ પ્રયાસો થકી આ પ્રોજેક્ટ સાકાર થયો છે અને એટલી જ ઝડપે પુરો પણ કરાયો છે.