June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે.વી. પાંડવ અને ઉમરગામ પાલિકાના ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નટેવર્ક)
સરીગામ, તા.૦૫: ઉમરગામ મામલતદાર કચેરીમાં મામલતદાર અને ઉમરગામ પાલિકામાં ચીફ ઓફિસરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર રાજ્ય સરકારે નિમણૂક આપતા અટવાઈ રહેલા પ્રજાના કાર્યોમાં વેગ આવશે એવું જણાઈ રહ્યું છે. ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે વી પાંડવની નિમણૂક કરવામાં આવી છે જે હાલમાં મહેસાણા જિલ્લામાં બેચરાજી મામલતદાર કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા. ઉમરગામ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતાં અમિત ઝડફિયાને એન્ટીકરપ્શન ની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા બાદ આ જગ્યા ખાલી પડી હતી. તેવી જ રીતે ઉમરગામ પાલિકા માં ફરજ બજાવતા ચીફ ઓફિસર બારોટની બદલી થયા બાદ કાયમી ચીફ ઓફિસરની નિમણૂકની જરૂરિયાત જણાય રહી હતી. જે જગ્યા ઉપર ચીફ ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Related posts

આજે વિશ્વ હૃદય દિવસઃ યુવા વર્ગમાં હાર્ટ એટેકનું વધતું જતું જોખમ ચિંતાજનકઃ જનજાગૃતિથી બચાવી શકાય છે જીવ

vartmanpravah

નવેમ્‍બરના અંતમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સંઘપ્રદેશ મુલાકાતનો ગોઠવાતો તખ્‍તોઃ સંઘપ્રદેશના લોકો આવકારવા આતુર

vartmanpravah

વાઘછીપા લૂંટના વોન્‍ટેડ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનનો દબદબાભેર પ્રારંભ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં 100 ફૂટ ઉંચા તિરંગાનું ધ્વજારોહણ

vartmanpravah

વાપી હરિયા સ્‍કૂલમાં કનાડા સંઘ દ્વારા પોપ્‍યુલર ક્‍વીઝ સ્‍પર્ધા યોજાઈ : 18 સ્‍કૂલોએ ભાગ લીધો

vartmanpravah

દાનહના ઉપ વન સંરક્ષક રાજકુમારની દિકરી અક્ષયા રાજકુમારે સી.બી.એસ.ઈ.ની બોર્ડ પરીક્ષામાં ત્રણ વિષયોમાં 100માંથી મેળવેલા 100 ગુણ

vartmanpravah

Leave a Comment