Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે.વી. પાંડવ અને ઉમરગામ પાલિકાના ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નટેવર્ક)
સરીગામ, તા.૦૫: ઉમરગામ મામલતદાર કચેરીમાં મામલતદાર અને ઉમરગામ પાલિકામાં ચીફ ઓફિસરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર રાજ્ય સરકારે નિમણૂક આપતા અટવાઈ રહેલા પ્રજાના કાર્યોમાં વેગ આવશે એવું જણાઈ રહ્યું છે. ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે વી પાંડવની નિમણૂક કરવામાં આવી છે જે હાલમાં મહેસાણા જિલ્લામાં બેચરાજી મામલતદાર કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા. ઉમરગામ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતાં અમિત ઝડફિયાને એન્ટીકરપ્શન ની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા બાદ આ જગ્યા ખાલી પડી હતી. તેવી જ રીતે ઉમરગામ પાલિકા માં ફરજ બજાવતા ચીફ ઓફિસર બારોટની બદલી થયા બાદ કાયમી ચીફ ઓફિસરની નિમણૂકની જરૂરિયાત જણાય રહી હતી. જે જગ્યા ઉપર ચીફ ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Related posts

દેશના તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં થ્રીડી પ્રશાસનની પહેલી પહેલ : સેલવાસ ન.પા.ની સિવરેજ લાઈનમાં હવે અંદર ઉતરી કોઈ કર્મચારી સફાઈ નહીં કરશેઃ રોબોટ મશીનથી ગટરની ચેમ્‍બરના હોલમાંથી કચરો કઢાશે

vartmanpravah

રસ્‍તે ચાલીને જતા લોકો પાસેથી મોબાઈલ ઝૂંટવતા આરોપીઓની દમણ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

અંતે વલસાડ-ખેરગામ રોડની કામગીરી શરૂ: સરપંચોની લડત રંગ લાવી : વન વિભાગે આડોડાઈ છોડી

vartmanpravah

ડહેલીથી મળેલા અજાણ્યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

દીવમાં ચેસ સ્‍પર્ધા-2022નું સફળતાપૂર્વક સમાપન

vartmanpravah

વાપી હરિયા પાર્કમાં મહાદેવ સેના ઈકો ફ્રેન્‍ડલી શ્રીજી પ્રતિમાની સ્‍થાપના : ગણેશ ઉત્‍સવમાં વિવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

Leave a Comment