October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લવાછા રામેશ્વર મહાદેવ મંદિરના રખ રખાવ-સાર સંભાળમાં ટ્રસ્‍ટીઓની નિષ્‍ફળતા સામે ગ્રામજનોએ બાંયો ચઢાવી

એકાદ ટ્રસ્‍ટીને બાદ કરતા લોકો એ પણ જાણતા નથી કે ટ્રસ્‍ટીઓ કોણ કોણ છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી નજીક લવાછા ગામમાં આવેલ પૌરાણિક રામેશ્વર મહાદેવ મંદિરના રાખ રખાવ, સાર સંભાળ રાખવા તેમજ વિકાસ નહી કરવા બદલ લવાછાના ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો. મંદિર પરિસરમાં સેંકડો ગ્રામજનો એકત્ર થઈને હલ્લાબોલ કરી ટ્રસ્‍ટીઓ સામે મોરચો ખોલી નાખ્‍યો હતો.
લવાછા રામેશ્વર મંદિર સમગ્ર પંથકમાં આસ્‍થાનું કેન્‍દ્ર રહ્યું છે. હોળી ઉપર અહીં મોટો મેળો ભરાય છે. દુર દુરથી દરરોજ શ્રધ્‍ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંદિરનો પર્યાપ્ત વિકાસ અને રખ રખાવ ટ્રસ્‍ટીઓ દ્વારા નહી કરવામાંઆવતા રવિવારે મંદિર પરિસરમાં સેંકડો ગ્રામજનો એકઠા થઈને મંદિર મામલે હોબાળો મચાવી દીધો હતો. એકત્ર થયેલા લોકોએ ટ્રસ્‍ટીઓની રાહ જોઈ પણ એક પણ ટ્રસ્‍ટી મંદિરે ફરક્‍યો નહોતો. ગ્રામજનોએ ટ્રસ્‍ટીને ફોન કર્યો તો ઉડાઉ જવાબ આપેલો જેથી ગ્રામજનો રોષે ભરાયા હતા. લોકોમાં મંદિર માટે જન આક્રોશ એટલે ફેલાયેલો છે કે ટ્રસ્‍ટીઓ તરફથી બરાબર સાર સંભાળ લેવાતી નથી. ગંદકીમાં પરિસર સબડી રહ્યું છે. અહીં આવેલી ધર્મશાળા અગમ્‍ય કારણોસર ટ્રસ્‍ટીએ તોડી નાખી છે તેથી લગ્ન કે મરણ પ્રસંગે અહીં આવતા શ્રધ્‍ધાળુઓ આવતા બંધ થઈ ગયા છે. લોકોએ ત્‍યાં સુધી જણાવ્‍યું હતું કે, મંદિરમાં કોણ કોણ ટ્રસ્‍ટી છે તે પણ અમે જાણતા નથી. મંદિરની લાખોની આવક હતી પણ દર્શનાર્થીઓ સગવડના અભાવે આવતા બંધ થઈ ગયા છે તેથી ટ્રસ્‍ટીઓ મંદિરનો વિકાસ નહી પણ રકાસ કરી રહ્યા હોવાનો ગુસ્‍સો ગ્રામજનોમાં મિટિંગમાં જોવા મળ્‍યો હતો.

Related posts

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટ પર થાર (જીપ) ચાલકે ઉભેલા યુવક અને કારને ટક્કર મારી થયો ફરાર

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દશેરા ઉપર દમણ જિલ્લાના લોકોને અણમોલ ભેટઃ દમણના માસ્‍ટર પ્‍લાનને આપેલી મંજૂરીઃ આજથી અમલ

vartmanpravah

વલસાડમાં ગૌણ સેવા પસંદગી પરીક્ષાના પેપર લીક મામલે ‘આમ આદમી પાર્ટી’એ કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

આજે વલસાડમાં જિલ્લા કક્ષાના જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્‍યક્ષતામાં ધરમપુર ખાતે થશે

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડર ઘટનાની મુલાકાત લેતા રેન્‍જ આઈ.જી. પ્રેમવીરસિંહ

vartmanpravah

Leave a Comment