સંજાણ બ્રીજના ગાબડા પડવાની ચકચારી ઘટના બાદ
બીજી ઘટના સામે આવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: અત્યારે વાપી નજીક બલીઠા અને મોરાઈ ખાતે આર.ઓ.બી.ની કામગીરી ચાલી રહી છે. જેમાં મોરાઈના કાર્યરત રેલવે ઓવર બ્રિજ (આર.ઓ.બી.)નો એક ગડર ધરાશાયી થઈ છે તેથી બ્રિજની કામગીરી સામે અને ઠેકેદાર સામેપ્રશ્ન ઉભો થવા પામેલ છે.
ઘટના અંગે પીડબલ્યુડીના અધિકારીએ સ્વિકાર્યું છે. બ્રીજની ગડર નીચે પડી ગઈ છે. જો કે ઘટનામાં કોઈ જાનહાની કે અન્ય કોઈ નુકશાન થવા પામેલ નથી. બલીઠા ફાટક અને મોરાઈમાં બન્ને જગ્યાએ આર.ઓ.બી.ના કામ ચાલી રહ્યા છે. તંત્ર વહેલી તકે કામ પૂર્ણ કરવા જહેમત ઉઠાવી રહેલ પરંતુ કામની ગુણવત્તા ઉપર પણ કાળજી રાખવી જરૂરી છે. કારણ કે સંજાણ બ્રીજના ગાબડા પડવાની ઘટના બાદ આ બીજી ઘટના સામે આવી છે.