March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી વંકાલના તળાવમાંથી વહી રહેલા પાણીને અટકાવવા ઉઠેલી માંગ

તળાવમાંથી વહી રહેલા પાણી અધિકારીઓ દ્વારા રોકવામાં નહીં આવે તો કોર્ટમાં જઈશું: માજી સરપંચ દિપક પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.08: વંકાલ ગામમાં વાણિયાતળાવ ફળીયામાં આવેલ સરકારી તળાવમાં પાણીના સંગ્રહથી આસપાસના વિસ્‍તારમાં બોર-કૂવામાં પાણીના સ્‍તર જળવાઈ રહેવા સાથે લોકો અને પશુઓને પીવાના પાણી માટે મોટી રાહત થતી હોય છે. અને હાલે આ તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ પણ મોટાપાયે થતો હોય. પરંતુ હાલે આ તળાવમાંથી નીચેના ભાગેથી આરસીસી પાઈપ મારફતે પાણી વહી રહ્યું છે. અને પાણીનો નિકાલ થઈ જતા વરસાદી પાણીનો પૂરતા પ્રમાણમાં સંગ્રહ થવાની શકયતા નહિવત જણાતા આ નકામું વહી જતું પાણીને તાત્‍કાલીક ધોરણે અટકાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
અત્રે નોંધનીય છે કે સરકાર દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ થાય,જળ સંચય થાય તે માટે સૂઝલામ સુફલામ જેવીયોજનાઓ અમલમાં લાવી લાખો રૂપિયાની ગ્રાંટ ફાળવી ગામે ગામ ચેકડેમ-તળાવો ઊંડા કરવામાં આવતા હોય છે. અને પાણીના સંગ્રહ માટે સતત પ્રોત્‍સાહન પૂરું પાડવામાં આવતું હોય છે. ત્‍યારે વંકાલ ગામના તળાવમાંથી નીચેના ભાગમાંથી નકામું પાણી હાલે વહેતુ જોવા મળી રહ્યું છે.
જોકે સ્‍થાનિક જાગૃત નાગરિક દ્વારા જાણ કરાતા મામલતદાર દ્વારા સર્કલ ઓફિસર મારફતે સ્‍થળ પર તપાસ કરવામાં આવી હતી. ત્‍યારે તંત્ર દ્વારા તળાવમાંનું પાણી નકામું વહી જતું અટકાવવા નક્કર પગલાં લેવામાં આવે તે જરૂરી છે.
વંકાલ ગામના પૂર્વ સરપંચ દિપકભાઈના જણાવ્‍યાનુસાર વાણિયાતળાવમાં નીચેના ભાગમાંથી વરસાદી પાણી નકામું વહી રહ્યું છે. તે જોતા વરસાદ બાદ તળાવ થોડા દિવસમાં જ સુકાઈ જશે. આજદિન સુધી આવી રીતે પાણી નીકળતું ન હતું અને ઓવરફલો માટે વ્‍યવસ્‍થા કરવામાં આવેલ જ છે. ત્‍યારે તાત્‍કાલિક ધોરણે આ પાણી નીકળતું બંધ થવું જોઈએ એ માટે અમે ઉચ્‍ચ કક્ષાએ લેખિત રજૂઆત પણ કરવામાં છે.
વંકાલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નિલેશભાઈના જણાવ્‍યાનુસાર તળાવમાં જૂનો કાંસ હતો જ તે નાળુ સાફ કરેલ છે. અને સર્કલ ઓફિસર પણ સ્‍થળ પર જોઈ ગયા છે. જૂનો કાંસ હતો જ તેમાં સરપંચે પાઈપ નાંખેલ છે. અમે કોઈ ઠરાવ કર્યોનથી.

Related posts

દાનહ પોલીસ દ્વારા દાદરા ગામે હત્‍યાના આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

વાપી જીઆઈડીસી અંબામાતા મંદિર પરિસરમાં ચાલી રહેલી ભાગવત કથામાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં જુની થયેલી આંબાવાડીના નવીનીકરણ માટે કૃષિ પ્રાયોગિક કેન્દ્ર -બાગાયત ખાતાની પહેલ

vartmanpravah

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બીચ સાઈડ નાઈટ મેરેથોન : સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભા અને ડાયરેક્‍ટર જતિન ગોયલે લીલી ઝંડી બતાવી કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

વલસાડ જિલ્લાની ઔરંગા, પાર, કોલક, લાવરી, તાન, માન નદીઓમાં ઘોડાપુર : અનેક કોઝવે પુલો પરની અવર જવર અટકી પડી

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ વડાના હસ્‍તે ઉત્તરાયણ પૂર્વે વાહન ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment