April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના પરિવહન વિભાગ દ્વારા દમણની એન્‍જિનિયરીંગ કોલેજમાં ઓટોરીક્ષા-ટેક્ષી ડ્રાઈવરો સાથે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

  • ડ્રાઈવરોને મુસાફરો પ્રત્‍યે સહનશીલતા અને સંવેદનશીલતા રાખી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા એસ.પી. અમિત શર્માએ આપેલી શિખામણ

  • મોટરવાહન નિરીક્ષક બિપિન પવાર અને પી.આઈ. કે.બી.મહાજને ટ્રાફિકના નિયમોની સાથે સાથે મોટર વાહન અધિનિયમની પણ વાહનચાલકોને આપેલી વિસ્‍તૃત સમજણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી અમિત સિંગલાના માર્ગદર્શનમાં પરિવહન સચિવ શ્રી નિખિલ દેસાઈના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું પરિવહન વિભાગ મુસાફરોની સગવડતા અને તેમની સુરક્ષા માટે અનેક પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસની કડીમાં આજે વિભાગ દ્વારા દમણની એન્‍જિનિયરીંગ કોલેજમાં એક પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ જિલ્લાના ઓટોરીક્ષા અને ટેક્ષી ડ્રાઈવરોને મુસાફરો પ્રત્‍યે તેમનો વ્‍યવહાર, વાહન ચલાવતા સમયે રાખનારી સાવધાનીઓ તથા ટ્રાફિક નિયમોની બાબતમાં પ્રશિક્ષિત કરવામાં આવ્‍યા હતા. આજેપ્રદેશના પરિવહન વિભાગ દ્વારા આ પ્રશિક્ષણ કાર્યક્રમના માધ્‍યમથી લોકોમાં એકબીજા પ્રત્‍યે સંવેદનશીલતા અને ટ્રાફિક નિયમો પ્રત્‍યે જાગૃતિ ફેલાવવાના પ્રયાસ કરવામાં આવ્‍યા હતા. આ અવસરે ઓટોરીક્ષા અને ટેક્ષી ડ્રાઈવરોને ટી-શર્ટ વિતરીત કરી તેમને સ્‍વતંત્રતા દિવસે એને પહેરી લોકોમાં જાગૃતિ ફેલાવવા આહ્‌વાન કર્યું હતું.
પ્રશિક્ષણ કાર્યક્રમમાં ઓટોરીક્ષા અને ટેક્ષી ડ્રાઈવરોને સંબોધિત કરતા દમણના એસ.પી. શ્રી અમિત શર્માએ જણાવ્‍યું હતું કે, કોઈપણ વ્‍યક્‍તિ જ્‍યારે પોતાના ઘરથી નિકળે છે ત્‍યારે તેમના મનમાં એ આશા રહે છે કે તે પોતાનું કામ પૂર્ણ કરી સલામત રીતે ઘરે પહોંચશે. લોકોની આ આશાને બરકરાર રાખવાનું મુસાફરોની સાથે સાથે વાહનચાલકોનું પણ એ પરમ કર્તવ્‍ય છે કે તેઓ એકબીજા પ્રત્‍યે સહનશીલતાનો પરિચય આપે. એકબીજા પ્રત્‍યે સંવેદનશીલ રહીને જ આપણે એક બહેતર સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.
પ્રશિક્ષણ કાર્યક્રમમાં પી.આઈ. શ્રી કે.બી.મહાજન અને મોટર વાહન નિરીક્ષક શ્રી બિપિન પવારે ટ્રાફિકના નિયમોની સાથે સાથે મોટર વાહન અધિનિયમની પણ વાહનચાલકોને વિસ્‍તૃત રીતે સમજણ આપી હતી.
પરિવહન વિભાગ દ્વારા આ પહેલાં સી.એસ.આર. અંતર્ગત આરોગ્‍ય વિભાગની સહાયતાથી ઓટોરીક્ષા અને ટેક્ષી ચાલકોની આંખની તપાસનુંઅભિયાન ચલાવાયું હતું. જેમાં જે વાહનચાલકોને ચશ્‍માની જરૂરિયાત બતાવવામાં આવી હતી તેમને આજે આ કાર્યક્રમના અંતમાં એસ.પી. શ્રી અમિત શર્મા દ્વારા ચશ્‍મા પ્રદાન કરવામાં આવ્‍યા હતા. દેવકીનંદન પ્‍લાસ્‍ટિક પ્રા.લિ. દ્વારા સી.એસ.આર. અંતર્ગત જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા યુવકોને ગાડી ચલાવવા માટે પ્રશિક્ષણ આપવામાં આવ્‍યું હતું. આજે આ યુવકોને પણ ડ્રાઈવિંગ લાયસન્‍સ આપવામાં આવ્‍યું હતું.
અંતમાં પરિવહન વિભાગના નિર્દેશક સહ સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહનના સહયોગથી આ પ્રશિક્ષણ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Related posts

ફડવેલ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રમાં ગર્ભાત્‍સવ સંસ્‍કાર યજ્ઞ યોજાયો

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગને મળેલી રાષ્‍ટ્રીય સ્‍તરે એક સાથે બે સફળતા

vartmanpravah

દમણમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ ઉત્‍સવ’ નિમિત્તે ભાજપા દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો 

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીની વલસાડ જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ વલસાડના ગેમઝોનમાં પાલિકા દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

આહવામાં પાર તાપી રિવરલીંક યોજના વિરુદ્ધ જાહેરસભા બાદ રેલીમાં હજારો આદિવાસીઓ ઉમટયા: પાર તાપી રિવરલીંક યોજનાનો વિરોધ પૂર્વ આદિવાસી પટ્ટી વિસ્‍તારમાં જોર પકડી રહ્યો છે

vartmanpravah

Leave a Comment